અત્યારના સમયમાં થોડી અમથી પણ મુશ્કેલી પડે તો પણ એ મુશ્કેલીને સરખી કરવા માટે જો પરિવારજનો કે અન્ય કોઈ વ્યક્તિનો સાથ સહકાર ન મળે તો માણસ કંટાળી જતો હોય છે. અને કંટાળી ગયેલો માણસ અંતે કયુ પગલું ભરી લે તેનું નક્કી હોતું નથી. આવી મુશ્કેલી ભર્યા સમયની અંદર જો કોઈ સારા વ્યક્તિની શિખામણ કે સલાહ ન મળે તો વ્યક્તિ અવળા રસ્તા તરફ પણ દોડવા લાગતો હોય છે..
અત્યારે એક જ સાથે એક જ પરિવારના કુલ સાત સભ્યોના મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોરની છે. અહીં માતા-પિતાની સાથે સાથે પાંચ બાળકોની પણ લાશ નર્મદા નહેરમાંથી મળી આવી છે. એક પછી એક લાશ નીકળતાની સાથે જ ત્યાં હાજર રહેલા સૌ કોઈ લોકોના માથા હલબલી ગયા હતા..
તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે એવું તો શું થયું હશે કે એક પછી એક એમ કુલ સાત લાશો આ નહેરની અંદરથી મળી આવી છે. જ્યારે તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે, શંકરા રામ નામનો વ્યક્તિ તેની પત્ની બાદલીની સાથે રાજી ખુશીથી જીવન જીવતો હતો…
તેને સુખી લગ્ન જીવન દરમિયાન ત્રણ દીકરી અને બે દીકરા હતા. તેમના આસપાસના પડોશીઓનું કહેવું છે કે, શંકરા રામ અને તેની પત્ની બાદલી બંને વચ્ચે એક લડાઈ ઝઘડો થયો હતો. આ ઝઘડો પૂર્ણ થયા બાદ સમગ્ર પરિવારને લઈને શંકરા ઘરેથી નીકળી ગયો હતો. અને ત્યારબાદ તેઓએ સામૂહિક આપઘાત કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે..
આ તમામ લાશો એકબીજા સાથે બાંધેલી હાલતમાં મળી આવી છે. મૃતક વ્યક્તિઓમાં 32 વર્ષનો શંકરા રામ, 30 વર્ષની તેની પત્ની બાદલી, 12 વર્ષની મોટી દીકરી રમીલા, 10 વર્ષનો દીકરો પ્રકાશ, 8 વર્ષની દીકરી રેવકી, 6 વર્ષની દીકરી જાનકી અને ત્રણ વર્ષના દીકરા હિતેશ નો સમાવેશ થાય છે..
તેમના કપડા નર્મદાની મુખ્ય નહેર પાસેથી મળી આવ્યા હતા. એક પછી એક દરેક લાશોને બહાર કાઢવામાં આવી અને તેમને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપવામાં આવી છે. આસપાસના પડોશી લોકોનું કહેવું છે કે, નાની નાની વાત ઉપર પતિ અને પત્ની બંને વચ્ચે ખૂબ જ લડાઈ ઝઘડો થતો હતો..
ઘણી બધી વાર તેમના સગા સંબંધી હોય એ સમાધાન પણ કરાવ્યું પરંતુ તેમના લડાઈ ઝઘડામાં કોઈપણ પ્રકારનો ફર્ક આવતો હતો નહીં. અને હવે પરિવાર આ બધી બાબતોથી કંટાળી જઈને સામૂહિક આપઘાત કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાને લઇ પોલીસ સક્રિય થઈ ગુનો નોંધ્યો છે..
અને આ ઘટનામાં તમામ પાસાઓની તપાસ કર્યા બાદ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. એક સાથે સાત વ્યક્તિના મૃત્યુનો આ બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં માહોલ સર્જાઈ ગયો છે. દિન પ્રતિ દિન આવી હચમચાવી દેતી ઘટનાઓ સામાન્ય લોકોને ઊંડા વિચારમાં મૂકી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]