ઘરેલું મામલામાં પતી અને પત્નીના મનમેળ ન થતા કેટલાય પ્રશ્નો ઉદ્ભવતા હોઈ છે. નાની નાની વાતોમાં પેદા થતી અણસમજ એક મોટા ઝગડાનું સ્વરૂપ ધારણ કરી લેતું હોઈ છે. અને છેવટે અલગ થઈને પછતાવા સિવાઈ કોઈ વિકલ્પ બાકી રેહતો નથી.. આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલમાં બન્યો છે.
બોપલના આનંદનગર રોડ પર આવેલા એક ફ્લેટમાં 41 વર્ષની પરણીતા રહે છે. તેના પહેલા લગ્ન વર્ષ 2004માં થયા હતા પરતું તેના પતિ સાથે મનમેળ ન મળતા તેના વર્ષ 2012માં જ છૂટાછેડા થઈ ગયા હતા. મહિલાને પહેલા પતિ સાથે એક પુત્ર પણ હતો. છુટા છેડા બાદ તે પુત્ર તેની માતા સાથે રેહતો હતો..
હાલ મહિલા બોપલની એક નામચીન સ્કૂલમાં ટીચર છે. ત્યારબાદ આ મહિલાના બીજા લગ્ન થયા છે. પરતું તેનો હાલનો પતિ પણ જુના પતિની માફક મનમેળ થવા જ નથી દેતો. મહિલાની ફરિયાદ છે કે તેનો હાલનો પતિ તેની પહેલા પહેલી પત્ની સાથે ખુબ પ્રેમમાં હતો. કોઈક કારણ સર તેઓના છુટાછેડા થઈ ગયા છે..
પરતું હવે ઘણા વર્ષો પછી તેઓને ફરી પાછો પ્રેમ જાગ્યો છે. તેનો પતિ પહેલી પત્ની સાથે હજુય સંબંધો રાખી તેને અનેક વાર માન મર્યાદા ભૂલીને પાર્ટીઓ કરવા લઈ જતો હતો. સસરા પણ તેને આવાર નવાર લાફા મારી દેતાં હતા. એક દિવસ મહિલાના બીજા પતિએ પહેલા લગ્ન થકી થયેલી દીકરીને કેમ બોલાવતી નથી તેમ કહી તેને લાફો મારી દીધો હતો.
સાસરિયા વાળા તેના પર ગમે ત્યારે હાથ ઉપાડી લેતા હતા. 2018માં લગ્ન બાદ મહિલાના આ બીજા પતિએ દહેજ માંગવાનું શરૂ કર્યું અને મહિલાને તથા તેના દીકરાના ખર્ચા ના પૈસા ન આપવાનું કહી ઝગડા શરૂ કર્યા હતા. એક વાર મહિલાએ તેના ભાઈને કહેતા મામલો વણસ્યો હતો પણ બાદમાં મહિલાના પતિએ માફી માંગી હતી.
મહિલાના પુત્રએ ટીફીનમાંથી બ્રેડ ખાઈ લીધી તેમ કહી ચોર કહીને માર્યા હતા અને ફોન ટોયલેટમાં નાખી દઈ ત્રાસ આપ્યો હતો. અવાર નવાર મહિલા અને તેના પુત્ર સાથે ખરાબ વર્તન કરી માર મારતો હતો. મિત્રોની પત્નીઓ સાથે પણ ઐયાશીઓ કરતો હોવાના આક્ષેપ સાથે પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
સસરાએ આ મહિલાને લાફા ઝીકી દીધા હતા. આટલું જ નહીં તેનો પતિ પહેલી પત્ની સાથે હજુય સબન્ધ રાખતો હોવાની તેને જાણ થઈ હતી અને વડોદરા તેના એક મિત્રના ત્યાં છએક વાર પાર્ટીમાં પણ લઈ ગયો હોવાનું તેને જાણ થઈ હતી. અને ત્યાં બધા માનમર્યાદા મૂકી પાર્ટી કરતા હોવાથી તેણીએ ત્યાં જવાની ના પાડી હતી.
મહિલાનો પતિ મિત્રોની પત્ની સાથે પણ સંબંધો રાખતો હતો. વર્ષ 2020માં મહિલાના પતિને કોરોના થતા તે ઘરે જ સારવાર લેતો હતો. ત્યારે તેની સેવા કરવાનું કહી મહિલાના દીકરાને ઓગ દબાવવાનું કહેતો હતો. મહિલા કોરોના હોવાથી કેમની સાથે રહીને સેવા કરે તેમ કહેતી તો તેને માર મારતો હતો.
મહિલાને જાણ કર્યા વગર તેનો પતિ અન્ય પરિવારજનો સાથે જેસલમેર ફરવા ગયો ત્યારે પણ પુત્રને માર મારતા ત્યાંની પોલીસે સારવાર કરાવી હતી. આટલું જ નહીં નણંદ એ પણ બંનેને સાથે નહિ રહેવા દવું તેવી ધમકી આપી હતી. એક દિવસ મહિલાનો પતિ ઘરે આવ્યો અને તેના ટીફીનમાંથી પુત્રએ બ્રેડ ખાઈ લીધી છે તમે બધા ચોર છો કહીને મહિલાનો ફોન ટોયલેટમાં નાખી દીધો હતો.
મહિલાએ પોલીસને જાણ કરતા આનંદનગર પોલીસ આવતા મહિલાએ અરજી કરી હતી. ત્યાં તેનો પતિ ઘરેથી જતો રહ્યો હતો. બાદમાં તે પરત આવ્યો અને મહિલાના ભાઈએ આપેલા 60 હજાર રોકડા અને અન્ય સામાન ભરીને સૂટકેસ લઈને તે ઘરેથી નીકળી ગયો હતો જે હજુય પરત ન આવતા આખરે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ આપતા મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]