આપણા પરિવારની અંદર ક્યારે કયો વ્યક્તિ આપણને ઉલ્લુ બનાવીને ચાલ્યો જાય તેનું નક્કી હોતું નથી, કારણ કે આજકાલના સમયની અંદર લોકોને પારિવારિક સંબંધો કરતા પૈસા વધુ વહાલા છે. પૈસા માટે વ્યક્તિ ન કરવાના કારનામાં કરવા પણ તૈયાર થઈ જતો હોય છે. અત્યારે એક પરિવારમાં અંદરો અંદર એવી ઘટના બની જ ગઈ છે કે..
જ્યારે કુટુંબના લોકોને એ ઘટનાની ખબર પડી ત્યારે તમામ લોકોને ધોળા દિવસે પણ અંધારા આવી ગયા હતા. અને વિચારવા મજબૂર બની ગયા હતા. આ ઘટના નવીનપુર નામની છે. આ ગામમાં રતિલાલ નામના વ્યક્તિ તેના બંને દીકરા અને બંને દીકરાની પત્નીઓ સાથે રહે છે. રતિલાલનો મોટો દીકરો દીપ કમલ અને નાનો દીકરો હંસરાજ બંને એક મીઠાઈ ની દુકાન ચલાવે છે..
દીપકમલના લગ્ન બિનલ નામની યુવતી સાથે થયા છે. જ્યારે હંસરાજના લગ્ન અનિતા નામની યુવતી સાથે થયા છે. આ તમામ પરિવાર સંયુક્ત કુટુંબની અંદર જીવન જીવી રહ્યો છે. પરંતુ અત્યારે આ કુટુંબ ભાંગી જવા પામ્યું છે. કારણ કે રતિલાલભાઈનો નાનો દીકરો હંસરાજ તેની સગી ભાભીને ભગાવીને લઈ ગયો છે..
અને જતા જતા તેઓએ તમામ સંપત્તિ પણ સાફ કરી નાખી છે. મીઠાઈની દુકાન ચલાવતા આ બંને ભાઈઓ વચ્ચે એક દિવસ ઝઘડો થઈ ગયો હતો. આ ઝઘડા બાદ હંસરાજ તેની સગી ભાભી બિનલને જણાવતો કે તારો પતિ બરાબર ધંધો ચલાવી શકતો નથી. તેમજ તેને સારી રીતે જીવન જીવતા પણ આવડતું નથી..
હંસરાજ હંમેશા તેની ભાભીને તેના ભાઈ વિરુદ્ધ ચડીયામણી કરાવતો હતો. જેને લઈ દીપકમલ અને બિનલ બંને વચ્ચે લડાઈ ઝઘડાઓ પણ થવા લાગ્યા હતા. આ લડાઈ ઝઘડાનો લાભ ઉઠાવીને હંસરાજ તેની ભાભીની એટલી બધી નજીક આવી ગયો કે, ધીમે ધીમે તેને પ્રેમ પણ કરવા લાગ્યો હતો..
તો બીજી બાજુ બિનલ પણ તેના દિયર સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ એકાંતનો સમય વિતાવવા માટે ઘરથી દૂર પણ ચાલ્યા જતા હતા અને એક દિવસ તેઓએ નક્કી કર્યું કે, ઘરની અંદર રહેલી તમામ સંપત્તિને સાફ કરીને જે રોકડ રૂપિયા આવે છે. એ રોકડ રૂપિયા લઇ તેવું ઘરમાંથી બહાર નીકળી જશે..
અને પોતાની રીતે નવી જિંદગી વિકસાવી લેશે, તેઓ એક પણ વાર તેમના માતા-પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો તેમજ કુટુંબની માનસન્માન અને ઈજ્જતનો વિચાર કર્યો નહીં અને તેઓ તાબડતોબ ઘરેથી કપડા અને અન્ય સામાન પેક કરી નીકળી પડ્યા હતા. જ્યારે દીપ કમલ તેમજ રતિલાલ ભાઈને ખબર પડી કે, હંસરાજ બિનલને ભગાવીને લઈ ગયો છે..
અને તેઓ અત્યારે ક્યાં છે, તેનો કોઈપણ વ્યક્તિને અતો પતો નથી. તેઓએ ઘરને પણ વેચી નાખ્યું છે. તેમજ જમીન પણ વેચી દીધી છે. આ સાથે ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીનાને પણ વેચી દઈએ જે પૈસા આવ્યા એ તમામ પૈસા લઈ તેવો અહીંથી નીકળી ગયા છે. તેમજ તેનો કોઈપણ સંપર્ક પણ થતો નથી..
આ ઘટના સામે આવતાની સાથે જ પરિવારજનોની ઇજ્જત તો સાવ માટીમાં મળી જવા પામી હતી. ગામડાના સૌ કોઈ લોકો રતિલાલભાઈના પરિવારજનો વિશે ગમે તેવી વાતચીત પણ ફેલાવવા લાગ્યા હતા. આવી ઘટનાઓ હવે છાશવારે સામે આવવા લાગી છે. જે દરેક લોકો માટે ખૂબ જ મોટો અને ચોંકાવનારો પ્રશ્ન છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]