આજકાલ કોઈપણ માણસનું વર્તન અને સ્વભાવ કેવી રીતે બદલાઈ જતું હોઈ છે તેની કોઈ ગેરંટી નથી હોતી પાતું તેની પાછળ કોઈને કોઈ રહસ્ય જરૂર હોઈ છે. વ્યક્તિના મોબાઈલને ખોલીને જોઈએ તો તે રહસ્ય જરૂર મળી જાય છે. આજકાલ તો પતિ કે પત્નીને શંકા જાય તો તેઓ તરત જ એકબીજાના મોબાઈલ છુપી રીતે ચેક કરી લેતા હોઈ છે.
મોબાઈલ ચેક કરતા જ કેટલાયના ભાંડા ફૂટી જતા હોઈ છે અને પછી પછતાવા નો વારો આવે છે. આવી જ એક ઘટના અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ એક એવા પ્રકારનો બનાવ છે જે વાંચીને તમે પણ બોલી ઉઠશો કે પતિ પત્નીની વચ્ચે આવું પણ બની શકે ખરા !!
અમદાવાદ શહેરમાં એક સયુંકત પરિવારમાં એક પતિ પત્ની પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરતું પારિવારિક જીવનમાં તેઓના ઝગડા વધી હતા તેઓ એકલા રેહવા લાગ્યા હતા. આ યુગલોને 3 સંતાનો છે જેમાં 3 બાળકીઓનો સમાવેશ થાય છે. લગ્નજીવન પસંદ ન કરતા તેમજ પોતાની 3 બાળકી અને પત્નીનો સહેજ પણ વિચાર કાર્ય વગર પતિએ બીજી જગ્યાએ ચક્કર ચાલુ કરી દીધું હતું.
આ વાતની જાણ માસૂમ પત્નીને નોહતી. પરતું પતિ તેની સાથે નાની નાની વાતોમાં ઝગડવા લાગતો હતો અને કેહતો હતો કે તુ મને નથી ગમતી. જતી રહે અહિયાથી. પતિના આ વર્તનથી પત્નીની લાગણીને ખુબ ઠેસ પહોચતી હતી પરતું તે પોતાની ફૂલ જેવી 3 બાળકીને લઈ ને જાય તો જાય ક્યાં!!!
તેને પતિ પર ખુબ શંકા જતા એને પતિના મોબાઈલને ચેક કરવાનું વિચાર્યું. પતિ નાહવા ગયા ત્યારે પત્ની એ છુપી રીતે પતિના મોબાઈલ ચેક કરવાનું ચાલુ કર્યુ. મોબાઈલ ખોલતા જ તેને જે જોયુ તે બાદ તેના હોશ ઉડી ગયા અને ગભરામણ થવા લાગી. તેણે પતિના મોબાઈલમાં અન્ય કોઈ યુવતી સાથે ના ફોટા એ વિડીયો જોયા.
વિડીયો તો તદન એ પ્રકારના હતા કે તેને વર્ણવા પણ મુશ્કેલ છે. આ પ્રકારના વિડીયો જોઈને પત્નીને તરત જ ધ્રાસકો પડ્યો અને તેણે પતિ સામે બધી પોલ ખુલી પાડી દીધી. પતિએ તરત જ તેને તલાક આપી દીધા હતા. આ ઘટના બનતા જ પત્નીએ તેની સાસુ ને પણ જણાવ્યું હતું પરતું તેઓએ પણ પતિનો જ પક્ષ લીધો હતો.
તેથી પત્ની પાસે બીજો કોઈ રસ્તો બાકી રહો નોહ્તો. અંતે પત્નીએ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી દિધિ છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે પતિને રંગે હાથ પકડી પાડવા માટે કામગીરી હાથે ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]