પરિવારના અંદરના સભ્યો તરફથી જ એવી હચમચાવી દે એવી ઘટનાઓ સામે આવવા લાગી છે. જેને જાણીને પરિવારના અન્ય સભ્યો માથું પકડી જતા હોય છે. અને વિચારવા મજબૂર બને છે કે, આખરે આવી ઘટનાઓ અમારા જ પરિવાર સાથે શા માટે બની રહી છે. તો ઘણી બધી વાર શરમનો અનુભવ પણ કરવો પડે છે..
જ્યારે આવા બનાવો સામે આવે ત્યારે પરિવારની ઈજ્જત પણ જતી રહેતી હોય છે. અત્યારે એક આવી જ ઘટના બની જવા પામી છે. આ ઘટના ઇન્દુનગરની ખાડી પાસે આવેલી જલધારા સોસાયટીની છે. આ સોસાયટીમાં રમેશચંદ્ર અને તેનો ભાઈ સુરેશચંદ્ર તેમના પરિવાર સાથે રહેતા હતા. રમેશચંદ્ર મોટો હતો. જ્યારે સુરેશચંદ્રના લગ્ન હજુ થોડા સમય પહેલા જ થયા હતા..
સુરેશચંદ્ર રબરની મીલમાં કામ કરતો અને પરિવારના ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતો હતો. એક દિવસથી રાત્રિના સમયે જ્યારે ફેક્ટરીથી ઘરે આવતો હતો. ત્યારે માર્ગ અકસ્માતમાં ખૂબ જ ઇજાગ્રસ્ત થયો હતો. તેમને દવાખાને પણ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચાવી શક્યો નહીં. અને તેનું મૃત્યુ થઈ ગયું હતું.
લગ્નના માત્ર એક વર્ષની અંદર અંદર જ સુરેશ ચંદ્રનું મૃત્યુ થઈ જતા તેની પત્ની સુનીતા પણ વિધવા બની ગઈ હતી. નાની ઉંમરમાં જ તેના પતિનું મૃત્યુ થઈ જતા હવે તે શું કરશે તેમજ પાછળની જિંદગી કેવી રીતે ગાળશે, તે વાતને લઈને પરિવારજનો વિચારવા લાગ્યા હતા. તેમજ મોતનો માતમ પણ છવાઈ ગયો હતો.
કારણ કે પરિવારે તેમનો લાડકો દીકરો ખોઈ નાખ્યો હતો. પરંતુ સુમિતાને તેના પતિ સુરેશચંદ્રના મૃત્યુનો કોઈ પણ અફસોસ ન હોય તેવું તેના મોઢા ઉપર લાગી રહ્યું હતું અને તેના મૃત્યુના માત્ર બે મહિના બાદ જ એવી કાળી કરતુતો સામે આવી કે, જેને જોઈને પરિવારજનોના ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા હતા.
સુરેશચંદ્ર નું મૃત્યુ થયું ત્યારબાદ તે જ તેની પત્ની સુનીતા તેના મોટાભાઈ રમેશચંદ્રના દિકરા વિક્રમને પ્રેમ કરવા લાગી હતી. શું ખબર તેમનું આ પ્રેમ પ્રકરણ ઘણા લાંબા સમયથી ચાલતું હોય તેવી રીતે તેઓ એકબીજાને મળવા જતા હતા અને એકાંતનો સમય પણ વિતાવવા લાગ્યા હતા. આ ઘટનાની જાણકારી પરિવારના કોઈ પણ સભ્યને ન હતી..
પરંતુ એક વખત જ્યારે રમેશચંદ્રને શંકા ગઈ અને તે તેના દીકરાની પાછળ જવા લાગ્યો. ત્યારે તેણે જોયું તો તેનો દીકરો વિક્રમ અને તેના નાના ભાઈની પત્ની સુનીતા બંને એક હોટેલ રૂમમાં મળવા માટે ગયા હતા. બસ આ દ્રશ્ય જોતાની સાથે જ રમેશ ચંદ્રએ તાત્કાલિક તેના પરિવારના અન્ય સભ્યોને જાણકારી આપી કે, પરિવારની અંદર જ ખૂબ મોટા લફરાઓ ચાલી રહ્યા છે..
ત્યારે સૌ કોઈ લોકો હોટલ પાસે પહોંચ્યા અને એકાએક હલ્લો મચાવી દીધો હતો અને આ બંને વ્યક્તિને રંગે હાથે ખરાબ હરકતો કરતા પણ પકડી લીધા હતા. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પરિવારના સભ્યોની ઈજ્જતના તો ધજાગરા થઈ ગયા હતા. પરંતુ સાથે સાથે સુનિતા અને વિક્રમ પણ હવે તેમનું મોઢું ક્યાંય પણ દેખાવા લાયક બન્યા હતા નહીં..
કારણકે તેમની આ કાળી કરતું જ ને કારણે અત્યારે તેમને મોઢું છુપાવવાનો વારો આવ્યો હતો. આસપાસના પડોશીઓ પણ બોલવા લાગ્યા કે અમને તો પહેલેથી જ આ બંને વ્યક્તિ ઉપર શંકા હતી. આ ઘટનાની જાણકારી વાયુ વેગે સમગ્ર ગામમાં પણ પ્રસરી ગઈ હતી. પરિવારના વડીલો પણ આ ઘટના ને લઈને ખૂબ જ શરમનો અનુભવ કરી રહ્યા છે..
તો સુનિતા અને તેની સાસુએ તો કહી દીધું કે તને હવે અમારા ઘરમાં રહેવાનું કોઈ પણ અધિકાર નથી કારણ કે અમારા દીકરાના મૃત્યુ બાદ તેને સહેજ પણ દુઃખ દેખાય આવ્યુ નથી. તને અમારા પ્રત્યે કોઈ પણ લાગણી નથી. એટલા માટે તું હવે ઘર મૂકીને જઈ શકે છે. આ ઘટનાને લઈને આજે એ પરિવાર ભાંગી જવા પામ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]