Breaking News

પતિના લફરાથી કંટાળી જઈ મહિલાએ 3 સંતાનોને રેઢા મૂકીને આપઘાત કરી લીધો, પતિ કરતો હતો આવી હરકતો.. જાણો..!

જ્યારે માણસની સહન કરવાની શક્તિ પૂર્ણ થઈ જાય છે. ત્યારે તેઓ જિંદગીથી કંટાળી જતા હોય છે. અને હવે દુઃખની ઘડીઓ માંથી કેવી રીતે બહાર નીકળવું તેના વિશે વિચારતા હોય છે. ઉત્તર ગુજરાતના થાનમાં એક પરણીતાએ જિંદગીથી કંટાળી જઈને આપઘાતનું ખૂબ જ મોટું પગલું ભરી લીધું છે..

આ બનાવ થાનના જુના ભરવાડ વાસમાંથી સામે આવ્યો છે. ચોટીલા તાલુકાના નાના પાળીયાદ ગામમાં ગણેશભાઈ પોપટભાઈ શિયાળીયા રહે છે. તેમની દીકરી ગીતાબેનના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા થાનગઢના જુના ભરવાડ વાસમાં સ્થાયી મયુર ઉગાભાઇ પરમાર નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યા હતા..

તેમનું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલતું હતું. આ લગ્નજીવન દરમિયાન ગીતાબેને બે દીકરાને એક દીકરીને જન્મ પણ આપ્યો હતો. આ ત્રણેયની સંતાનો સાથે સમગ્ર પરિવાર ખૂબ જ હળી મળીને એને લાડ પ્રેમથી રહેતા હતા. પરંતુ ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તેમ તેમની સામે રહેતી એક મહિલા સાથે મયુરભાઈને આડ સંબંધ બંધાઈ ગયો હતો..

શરૂઆતમાં તો આ તમામ બાબતો બંધ બારણે ચાલી હતી. પરંતુ એક દિવસ ગીતાબેનને જાણ થઈ ગઈ કે તેમના પતિ મયુરભાઈને સામે રહેતી મહિલા સાથે આડ સંબંધ છે. આ બાબતને લઈને ગીતાબેને મયુર ભાઈને અવારનવાર સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ મયુર એકનો બે ન થયો અને તે અવારનવાર ગીતાબેન સાથે ઉલટો ઝઘડો કરવા લાગ્યો હતો..

આ સાથે સાથે જ શારીરિક અને માનસિક ત્રાસ આપીને મારપીટ પણ કરતો હતો. એક દિવસ તો તેણે તમામ હદો વટાવીને તેને ઘરેથી કાઢી મૂકવાની પણ ધમકી આપી હતી. પોતાના જ પતિના ત્રાસથી કંટાળી જઈને ગીતાબેનને પોતાનો રસ્તો સાફ કરી દેવાનો નિર્ણય લઇ લીધો હતો અને પોતે ઘરે આપઘાત કરી મોતને વાહલું કરી દીધું હતું..

ગીતાબેનને તેમના ત્રણેય સંતાનો વિષય કશું વિચાર્યું નહીં અને આપઘાત કરીને જીવન ટૂંકવી દીધું છે. હવે આ ત્રણેય બાળકોને મયુરભાઈ કેવી રીતે સાચવશે તેમાં તેમની સારવાર કેમ થશે અને તેમનો ઉછેર પણ કોણ કરશે આ તમામ પ્રશ્નો હવે ઉદ્ભવવા લાગ્યા છે. જ્યારે આ બનાવની જાણ ગીતાબેન ના પિતા ગણેશભાઈ પોપટભાઈ શિયાળીયા ને થઈ ત્યારે તેઓ તાત્કાલિક સાસરીયે પહોંચ્યા હતા..

અને ત્યારબાદ તેઓએ થાન પોલીસ મથકમાં તેમના જમાઈ મયુરભાઈ ઉગાભાઇ ભરવાડ સામે ફરિયાદ નોંધાવીને લખાવ્યું છે કે, તેઓએ ગીતાબેનને આપઘાત કરવા માટે મજબૂર કર્યા છે. મયુરભાઈને સામે રહેતી મહિલા સાથે આ સંબંધ હોવાથી મારી દીકરીએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેને રોજબરોજનો ત્રાસ આપીને તેના રસ્તા પરથી સાફ કરી દેવા આપઘાત કરવા માટે પ્રેરી હતી. હાલ પોલીસે આ બનાવને લઈને ફરિયાદ નોંધાવી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *