અમુક પરિવારમાં રહેતા પતિ-પત્ની પોતાના પારિવારિક જીવનને લઈને ઝઘડાઓ કરતા જોવા મળે છે. પતિ-પત્ની વચ્ચે આવા ઝઘડાઓને કારણે તેમના બાળકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો ત્રિવેણી નગર પાસે આવેલા જયસિંહપુરાની રહેવાસી યુવતિ તેના પરિવાર સાથે રહેતી હતી.
પરિવારમાં પતિ-પત્ની અને તેમનો એક દીકરો રહેતા હતા. યુવતીનું નામ પુનમ શુક્લા હતું. તેમની ઉંમર 32 વર્ષની હતી અને તેમના પતિનું નામ નીરજ છે. નીરજ અને પૂનમના લગ્ન ઘણા વર્ષો પહેલા થયા હતા પરંતુ છેલ્લા 6 વર્ષથી બંને વચ્ચે ખૂબ ઝઘડાઓ થતા હતા. નીરજને તેમના જ ગામની કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.
જેના કારણે તે પૂનમને અવારનવાર હેરાન કરીને ત્રાસ આપતો હતો. પૂનમ અને નીરજને સંતાનમાં એક દીકરો હતો. દીકરાનું નામ વિપુલ છે. વિપુલની ઉંમર 12 વર્ષની છે. વિપુલ ધોરણ 8 માં અભ્યાસ કરે છે. નીરજ દુકાનમાં કામ કરે છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. નીરજ ઘણીવાર તેમની પ્રેમિકા સાથે બહાર ફરવા જતો હતો.
જેની કારણે પુનમને જાણ થતા તે ખૂબ જ દુઃખી થતી હતી. અવારનવાર નીરજ પૂનમને પોતાના પિતાને ત્યાંથી લગ્ન પછી કંઈ પણ લાવી નથી. તેમ કહીને પરેશાન કરતો હતો અને વારંવાર લગ્નમાં કઈ આપ્યું નથી. તેમ મેણાટોણા મારતો હતો. નીરજને અન્ય યુવતી સાથેના સંબંધ હોવાને કારણે નોકરાણી તરીકે રહેવા દેતો હતો.
જેના કારણે અવારનવાર તેના પિતા રવિન્દ્ર મિશ્રા જે ઉત્તર પ્રદેશના ઈટવામાં રહે છે તેમને જણાવ્યું હતું. રવિન્દ્ર ભાઈએ તેમની દીકરી કે વારંવાર બધુ સમય પર બરાબર થઈ જશે તે કહ્યું હતું. છતાં પણ નીરજ સુધાર્યો નહીં. જેના કારણે એક દિવસ પૂનમે પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, નીરજ પ્રેમિકા સાથે બહાર ફરવા ગયો છે,
જેના કારણે પિતાએ સમજાવી હતી કે થોડા દિવસ પછી તું પિયર આવતી રહેજે, તેમ કહીને શાંત રહેવા કહ્યું હતું. પરંતુ પુનમને ખૂબ જ માનસિક ત્રાસ પડ્યો હોવાને કારણે એક દિવસ તે પોતાના ઘરે એકલી હતી. તે જ સમયે તેણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેનો દીકરો શાળાએથી આવતા માતાને જમીન પર આ હાલતમાં પડેલી જોઈને તે બુમાબુમ કરવા લાગ્યો હતો.
જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા અને તરત જ પૂનમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે નીરવે તેમના પિયરના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. પિતાએ તરત જ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. નિરવે તેમની દીકરીનો જીવ લીધો છે, તેમ આરોપ લગાવ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]