છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પતિ અને પત્નીની વિવાદ સ્પષ્ટ ઘટનાઓ અવારનવાર સામે આવતી દેખાય છે. જે સાંભળીને ઘણા લોકો વિચારમાં મુકાઇ જાય છે કે સાવી નજીવી બાબતમાં તેઓ કેવી રીતે ઝઘડો કરી બેસે છે. સાસુ અને વહુ ના ઝગડા તો ખૂબ પ્રખ્યાત છે, પરંતુ હવે પતિ અને પત્ની ના ઝગડાઓ પણ અવનવી અને રમૂજી રીતે થતા હોય છે.
તેથી તે સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા ચેનપુર એરિયામાં કેશવ વિલા નામનો ફ્લેટ આવેલો છે. તેમાં એક જર્નાલિસ્ટ યુવક અને તેની પત્ની સાથે રહે છે.
એક દિવસ જ્યારે આ યુવક નોકરી કરીને સાંજે પાછો આવ્યો ત્યારે તેણે ઘરે આવીને જોયું તો તેની પત્ની કોઈ વ્યક્તિ સાથે મોબાઇલ પર વાત કરી રહી હતી. તો પતિએ તેની પત્નીની પાસે જઈને પૂછ્યું કે તું કોની સાથે વાત કરે છે, બસ આટલું સાંભળતા જ પત્ની મગજ નો પિત્તો ગુમાવી બેસતી હતી…
અને પતિ સામે ઊંચા અવાજમાં બોલવા લાગી કે, હું મારા નવા ધણી સાથે વાત કરું છું. અને તારે હવે મારી સાથે શું લેવાદેવા છે. હવે તો આપણે છૂટાછેડા લઈ લેવાના છે. આ સાંભળતા જ પતિ અને પત્ની વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો હતો. બંને વ્યક્તિઓ ઊંચા અવાજમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું..
બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ ગઈ હતી. એવામાં પત્નીએ રસોડામાં જઈને દસ્તો ઉઠાવ્યો હતો અને પતિને માથામાં મારયો હતો અને મારતી મારતી બોલતી જતી હતી કે હું તને છોડીશ નહીં.. હું તને છોડીશ નહી..
આ સાંભળતા જ સામાન્ય રીતે પ્રશ્નો ઉદ્ભવે કે સાવ આટલી અમથી વાતમાં પોતાના પતિ પર કોઈ મહિલા કેવી રીતે વાત કરી શકે. પરંતુ આ વાત હકીકત છે. પતિએ માત્ર એટલું જ પૂછ્યું હતું કે તું મોબાઈલ પર કોની સાથે વાત કરે છે અને તેના જવાબમાં તેની મારફાડ પત્નીએ દોસ્તાના ઘા મારીને જવાબ આપ્યો હતો..
દસ્તો માથામાં વાગતા જ પતી ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. અને તેને તરત જ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેણે પત્ની અને સાળી ની વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. અને આગળની કામગીરી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]