Breaking News

પતિએ કરેલા મેસેજનો જવાબ પત્નીએ ન આપતા સાડીનો ગાળિયો પોરવીને યુવકે કરી લીધો આપઘાત, જોનારા લોકો આંખો મીંચી ગયા….!

અત્યારની યુવાન પેઢીમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, તેઓ નાની-નાની વાતને પોતાના મગજ પર લઈને ગંભીર ઘટનાઓ પોતાની સાથે કરી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે, આવી ઘણી બધી ઘટનાઓ બનતી આપણને જોવા મળે છે પરંતુ હાલમાં એવી જ એક ઘટના સામે આવી હતી.

આ ઘટના જાલૌનમાં ઓરાઈ કોતવાલીપાસે આવેલા મોહલ્લા ઉમરાર ખેડાની છે. એક પરિવારના યુવાકે પોતાની સાથે એવી ઘટના કરી નાખી જે જાણીને પરિવારના લોકોના હાથ-પગ ધ્રુજવા લાગ્યા પરિવારમાં રહેતા યુવકનું નામ સૌરભ આહીરવાર હતું. તેમની ઉંમર 30 વર્ષની હતી. સૌરભ પોતાની પત્ની અને તેમના બાળક સાથે રહેતા હતા.

પત્નીનું નામ નીલમ હતું. સૌરભ અને નીલમને સંતાનમાં એક દીકરો હતો. તેઓ હળી-મળીને પરિવારમાં રહેતા અને સૌરભ સારી એવી નોકરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સૌરભ ની પત્ની નીલમ તેમના બાળકને લઈને થોડો સમય પિયરમાં રહેવા માટે ગઈ હતી અને તે પોતાનો ફોન પણ સાથે લઈ ગયો હતી.

સૌરભને નીલમ અને તેમના બાળકની યાદ આવતા તેમણે નીલમને સોશિયલ મીડિયામાં ઘણા બધા મેસેજ કર્યા હતા પરંતુ નીલમ કોઈ કામમાં વ્યસ્ત હોવાને કારણે અને તેમનો ફોન તેમની પાસે ન હોવાને કારણે તેમણે આ મેસેજ જોયા ન હતા અને કોઈ સામો રીપ્લાય આપ્યો ન હતો જેના કારણે સૌરવ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો.

સૌરવ ત્રાસ અનુભવતો હતો એવું લાગી રહ્યું હતું કે પત્ની તેને એકલો મૂકીને જતી રહી છે. જેના કારણે તે વારંવાર વિચાર કરી રહ્યો હતો ત્યારબાદ નીલમ એ તેના પતિએ મોકલેલા મેસેજ થોડા સમય પછી જોયા હતા અને આ મેસેજ વાંચીને તેણે તેના પતિ સૌરભને ફોન કર્યા હતા પરંતુ ઉપાડી રહ્યો ન હતો જેના કારણે નીલમ ખૂબ જ ચિંતામાં આવી ગઈ હતી.

અને તેના પતિ સાથે કોઈ ઘટના બની હોવાની તેની શંકા જતી જેના કારણે સૌરભની પાસે રહેતા તેના ભાઈએ સૌરવના ભાઈ સુનિલને ફોન કર્યો હતો અને સૌરભ ના ઘરે જઈને જોવા માટે કહ્યું હતું ત્યારે સુનીલ સૌરભ ના ઘરે જવા માટે ગયો ત્યારે તેણે દરવાજો ખટખટ આપ્યો હતો પરંતુ સૌરભે દરવાજો ખોલ્યો ન હતો.

જેના કારણે સુનિલે બારી ખોલીને ઘરમાં જોયું તો સૌરભ ને જોઈને તે ઢાળી પડ્યો હતો આઘાતમાં આવી ગયો હતો અને બૂમ પાડી બેઠો જેના કારણે પાડોશીના લોકો ભેગા થઈ ગયા અને દરેક લોકોએ સૌરભનું જોયું તો સૌરભ લટકી રહ્યો હતો સૌરભે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. સૌરભે આપઘાત કર્યો જેના કારણે તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસ કરી રહી હતી, ત્યારબાદ સુનિલે નીલમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી અને નીલમ પણ તેના પતિને મળવા માટે ઘરે પહોંચી ત્યારે તેમને જાણ થઈ કે તેમના પતિનું મૃત્યુ થઈ ગયું છે સૌરભે તેના બાળકને નિરાધાર કરી નાખ્યું હતું. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે નાની નાની વાતમાં લોકો કંટાળીને કોઈ પણ સમજ વગર આવી ઘટનાઓ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *