રોજબરોજ જીવન જીવવા માટે દરેક વ્યક્તિ વેપાર ધંધો કરે છે અને તેમના પરિવારના સપના પૂરા કરવાની કોશિશ કરતા હોય છે. પરંતુ આ નોકરી અને ધંધાની સાથે સાથે અમુક વખત ખૂબ જ માઠા બનાવો બનવાનું પણ વધી જતું હોય છે, જે કોઈને કોઈ રીતે રોજગારીઓ પર અસર કરતું હોય છે..
અત્યારે પરમનાથ વિસ્તાર પાસેથી એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં સોમેશ્વર નામના એક વ્યક્તિ ચાની લારી ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સવારે 6:00 વાગ્યાથી જ તેમની ચા ની લારી ઉપર આવી જતા હતા અને સાંજના 10:00 વાગ્યા સુધી તેઓ તનતોડ મહેનત કરતા હતા..
પરંતુ એક વખત તેમની ઉપર એક હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે, જેમાં સોમેશ્વરભાઈનું મૃત્યુ થઈ ગયું છે. અત્યારે તેમનો પરિવાર સાવ બેહાલ થઈ ગયો છે. કારણ કે, પરિવારને કમાણી કરનારા વ્યક્તિનું મૃત્યુ થઈ જતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. તેઓ તેમની ચા ની લારી ઉપર ચા બનાવી રહ્યા હતા..
એવા સમયે આ અચાનક જ ગેસનું સિલિન્ડર ફાટ્યું હતું, આ સિલિન્ડર ફાટવાનો અવાજ આવતા જ આસપાસની દુકાનદારો પણ એકઠા થઈ ગયા અને શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. પરંતુ આ સિલિન્ડર એવી રીતે ફાટ્યું કે સૌ કોઈ લોકોના મોતિયા મરી ગયા ગયા હતા અને આ પતરાવાળી ચા ની લારી પાસેથી આગ ભભૂકી ઉઠી હતી..
આ આગનો ભડકો અંદાજે 30 ફૂટ જેટલો ઊંચો થઈ જતા તાત્કાલિક ધોરણે ત્યાં હાજર રહેલા લોકોએ ફાયર બ્રિગેડને પણ ઘટનાની જાણકારી આપી હતી. આ ચા ની લારી સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે, તો આગની ચપેટમાં આવી જનાર સોમેશ્વર ભાઈનું પણ મૃત્યુ થઈ ગયું છે..
સોમેશ્વરભાઈ બિચારા રોજબરોજ તનતોડ મહેનત કરીને જીવન ગુજારતા હતા, કોઈ પણ વ્યક્તિ સાથે તે વધારાની વાતચીત કરતા નહીં અને એકદમ સરસ સ્વભાવ ધરાવતા હતા. એજ વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જતા મોટા ભાગના લોકો અત્યારે ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા છે..
સોમેશ્વરભાઈનો મોટો દીકરો અને નાની દીકરી બંને પણ વારંવાર તેમના પિતાના મૃત્યુને લઈને જોર જોરથી રડી રહ્યા છે. તો સોમેશ્વરની પત્ની તો દુઃખની આ ઘડીને સહન કરી શકી નથી, તેના અન્ય સગા સંબંધીઓ પણ આ દુઃખમાં સહભાગી બનવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]