નવરાત્રીના તહેવારમાં ખેલૈયાઓનો ઉત્સાહ કંઈક જુદો જ હોય છે, દરેક ખેલૈયાવો મન મૂકીને ગરબે ઘૂમે છે, એવામાં પણ હવે શેરી ગરબાની સાથે સાથે મોટા પાર્ટી પ્લોટની અંદર પણ નવરાત્રીનું ખૂબ જ મોટું આયોજન થતું હોય છે, જ્યાં ખૂબ જ જાણીતા કલાકારો પોતાના સુર દરેક ખેલાયોના કાન સુધી પહોંચાડે છે..
અને ખેલૈયાવો આનંદમાં આવીને ગરબાની મજા માણતા હોય છે, અત્યારે મોટા પાર્ટી પ્લોટની અંદર નવરાત્રી રમવા જવાની જીદ પકડેલા એક દીકરા સાથે એવી ઘટના બની ચૂકી છે કે, તેના માતા પિતાને માથે હાથ મૂકીને રડવાનો વારો આવી ગયો હતો. આ ઘટના પ્રીતમ ચોકડી પાસેથી સામે આવી છે..
અહીં આવેલી નવદુર્ગા કોલોનીની અંદર હિરેનભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમની પત્ની અરુણાબેન તેમની નાનકડી દીકરી સ્મિતા અને તેમનો 21 વર્ષનો દીકરો મિતુલનો સમાવેશ થતો હતો. મિતુલ હાલ કોલેજનો અભ્યાસ કરી રહ્યો હતો, અને નવરાત્રીના સમયમાં તેના અન્ય મિત્રો પાર્ટી પ્લોટની અંદર નવરાત્રીના આયોજનના પાસ ખરીદીને ત્યાં ગરબાનો આનંદ લેવા માટે જઈ રહ્યા હતા..
મિતુલનો સ્વભાવ ખૂબ જ મસ્તી મજાક ભર્યો અને અન્ય કોઈ વ્યક્તિ સાથે નાની નાની બાબતોમાં હસી મજાક કરવાનો હતો, મિતુલના મા-બાપ મિતુલના સ્વભાવને ખૂબ જ સારી રીતે જાણતા હતા કારણ કે મિતુલ કોઈ પણ વ્યક્તિની સાથે હસી મજાક કરવા લાગી જતો હતો જેમાં કોઈ વ્યક્તિને તેનો હસી મજાક ગમતો જ્યારે કોઈ વ્યક્તિ તેનાથી ગુસ્સે થઈને તેની સાથે લડાઈ ઝઘડો પણ કરવા લાગતા હતા..
પરંતુ મિતુલ આવી બધી બાબતોને ધ્યાનમાં લેતો નહીં અને તેના સ્વભાવના કારણે જ હાલ તેના સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ચૂકી છે, હિરેનભાઈ અને અરુણાબેન તેમના દીકરા મિતુલના સ્વભાવને ખૂબ જ સારી રીતે જાણતા હોવાને કારણે તેઓએ નક્કી કર્યું હતું કે તેઓ મિતુલને ક્યારેય પણ તેમનાથી છૂટો પડવા દેશે નહીં કારણ કે..
મિતુલ જો તેના માતા પિતા વગર કોઈપણ જગ્યાએ જતો રહેતો, તે કોઈ પણ વ્યક્તિની સાથે સહન પણ ન કરી શકાય તેવી મસ્તીઓ કરવા લાગતો હોય છે. તેને હંમેશા કોઈને કોઈ વ્યક્તિના ચેનચાળા કરવાની કોશિશ કરવાની ખૂબ જ મજા આવતી હતી અને આજ મજા તેની મોતની સજામાં પરિવર્તન પામી ચૂકી હતી..
તેણે તેના અન્ય મિત્રોની સાથે પાર્ટી પ્લોટની અંદર નવરાત્રી રમવા જવા માટે તેના ઘરે મંજૂરી માંગી હતી, પરંતુ એવા સમયે અરુણાબેન અને હિરેનભાઈએ તેના દીકરાને મંજૂરી આપી નથી કારણ કે, તેઓને તેમના દીકરા ઉપર સહેજ પણ વિશ્વાસ હતો નહીં, તેઓ તેમના દીકરાને તેમના વગર કસે પણ જવા દેવા ઇચ્છતા હતા નહીં..
એટલા માટે તેઓએ મંજૂરી આપી નહીં, પરંતુ મિતુલ ઘરની અંદર ચીજ વસ્તુઓની તોડફોડ કરવા લાગ્યો હતો અને જોર જોરથી બૂમાબૂમ કરવા લાગતા અંતે કંટાળી ગયેલી તેની માતાએ તેને તેના મિત્રો સાથે નવરાત્રી રમવા જવા માટે મંજૂરી આપી દીધી હતી, તેમનો દીકરો રાતના આઠ વાગ્યા આસપાસ તેમના ઘરેથી મિત્રો સાથે નીકળ્યો હતો..
અને સાંજના 12:00 વાગ્યા આસપાસ તે ઘરે પરત પહોંચી જશે તેવું જણાવ્યું હતું, પરંતુ રાત્રીના બે વાગ્યા છતાં પણ તેમનો દીકરો મિતુલ ઘરે પહોંચ્યો નહીં ત્યારે હિરેનભાઈ અને અરુણાબેનને ખુબ જ ચિંતા સતાવા લાગી હતી, તેની સાથે રહેલા અન્ય મિત્રોને પણ માહિતી મેળવવા માટે હિરેનભાઈ ફોન લગાવી રહ્યા હતા..
જ્યારે મિતુલનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો, જ્યારે તેની સાથે રહેલા અન્ય મિત્રોને ફોન લગાવવામાં આવ્યો અને ખબર પડી કે મિતુલ અહીં કોઈ અજાણ્યા વ્યક્તિઓની સાથે નાની અમથી બોલાચાલીની અંદર લડાઈ ઝઘડો કરવા લાગ્યો હતો અને આ લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, સામેની બાજુએથી કુલ સાત જેટલા યુવકો મિતુલને ઢોર મારવા લાગ્યા હતા..
અને આ ઘા વાગતાની સાથે જ તેના માથાના ભાગે ખૂબ જ ઉડો ઘા વાગી ગયો અને જેમાં તેનું મૃત્યુ થયું છે, જ્યારે આ ઘટના વિશે અરુણાબેન તેમાં હિરેનભાઈએ સાંભળ્યું ત્યારે તેમને તો માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો હતો કારણ કે, તેઓ તેમના દીકરાના સ્વભાવને ખૂબ જ સારી રીતે જાણતા હતા છતાં પણ તેઓએ તેમના દીકરાને તેમનાથી છૂટો મૂક્યો..
અને તેના મૃત્યુનો કિસ્સો કાનેથી સાંભળવાનો વારો આવ્યો હતો, આ ઘટનાએ દરેક લોકોને ખૂબ જ ચોંકાવી દીધા હતા, તેની સાથે રહેલા અન્ય મિત્રોએ જણાવ્યું કે તેઓ જ્યારે પાર્ટી પ્લોટની અંદર પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં પ્રવેશ કરતી વખતે ઘણા બધા ખેલૈયાઓની ખૂબ જ લાંબી લાઈનો દેખાઈ આવી હતી..
અને મિતુલે આ લાઈનની અંદર ઉભા રહીને પ્રવેશ મેળવવાને બદલે તે અન્ય કોઈ વ્યક્તિની લાઇનની અંદર ઘૂસવાની કોશિશ કરતો હતો અને એ વખતે નાની અમથી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી, આ બોલા ચાલી એટલી બધી આગળ વધી ગઈ કે સામેની બાજુએથી કુલ સાત જેટલા યુવકો મિતુલને ઢોર મારવા લાગ્યા હતા..
મિતુલની સાથે ગયેલા તેના જ કોલોનીના મિત્રોએ જણાવ્યું કે, મિતુલે સૌપ્રથમ લડાઈ ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું, જ્યારે સામે રહેલા યુવકોએ મિતુલને ખૂબ જ ખરાબ રીતે ઢોર માર્યો હતો. જેમાં મિતુલનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. અરુણાબેન અને હિરેનભાઈ તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં..
તેમનો એકનો એક લાડકવાયો દીકરો ખૂબ જ કરુણ રીતે મૃત્યુ પામ્યો હતો, આ ઘટનાને લઈને તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવા તેઓ ઈચ્છે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]