સમાજની દીકરીઓ સાથે આધુનિક સમયમાં ખૂબ જ મોટી છેતરપિંડીઓ થઈ રહી છે, દીકરીઓ અને મહિલાઓને યુવકો પોતાની વાતોમાં ફસાવીને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધી રહ્યા છે અને સમય જતા માનસિક ત્રાસ આપીને તેમનો જીવ પણ લઈ રહ્યા છે, આવી જ ઘટના માસુમ દિકરી સાથે બની હતી. આ ઘટના નોઈડામાં બની હતી.
નોઈડાના હોશિયારપુર ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં શીતલ શર્મા નામની દીકરી રહેતી હતી. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ રહેતા હતા. શીતલની ઉંમર 22 વર્ષની હતી. તેમના ભાઈનું નામ કુણાલ હતું. કુણાલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. શીતલના પિતા નું નામ ધરમપાલ હતું.
પરંતુ તેમનું અઢી મહિના પહેલા જ કોઈ બીમારીને કારણે મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ શીતલ તેમની માથા અને ભાઈ સાથે જ રહેતી હતી. શીતલ વિમાની કંપનીમાં કામ કરતી હતી. તે છેલ્લા પાંચ વર્ષથી આ કંપનીમાં નોકરી કરી રહી હતી. તેની સાથે જ વિમાની કંપનીમાં એક યુવક નોકરી કરી રહ્યો હતો. આ યુવકનું નામ ગૌરવ હતું.
ગૌરવ અને શીતલ ખૂબ જ સારા એવા મિત્રો હતા. આ બંને સાથે કંપનીમાં કામ કરતા હોવાને કારણે બંને એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. ગૌરવ ગામમાં રહેતો હતો પરંતુ નોકરી ધંધા માટે તે શહેરમાં આવ્યો હતો. ગૌરવના પિતાનું નામ બ્રહ્મપાલ હતું. ગૌરવ ને શીતલ ખૂબ જ પસંદ હતી. જેના કારણે બંને વચ્ચે મિત્રતામાંથી ધીમે ધીમે પ્રેમ સંબંધ બંધાયો હતો.
પરંતુ ગૌરવના પિતાએ ગામમાં બીજી કોઈ યુવતી સાથે તેમના લગ્ન નક્કી કરી નાખ્યા હતા. જેના કારણે છ મહિના પહેલા ગૌરવના લગ્ન બીજી કોઈ યુવતી સાથે થયા હતા. આ વાત શીતલને ખબર હતી છતાં પણ ગૌરવ શીતલ સાથે રહેવા માંગતો હોવાને કારણે ગૌરવે તેની પત્નીને શીતલ સાથે અફેર હોવાનું કહ્યું હતું.
અને તે શીતલ સાથે લિવ-ઈનમાં રહેશે તેમ પણ જણાવ્યું હતું, જેના કારણે ગૌરવના પિતા બ્રહ્મપાલને આ વાતની જાણ થતા તેને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ફરી ગામમાં પાછો ગયો ન હતો અને તેણે પોતાની પત્નીને પણ છોડી દીધી હતી, ત્યારબાદ તે શીતલ સાથે રહેવા લાગ્યો હતો.
બંને હોશિયારપુરમાં જ આવેલી એક બજારમાં બિલ્ડીંગમાં ભાડેના ફ્લેટમાં રહેવા લાગ્યા હતા. બંને લિવિંગમાં રહીને પોતાનું જીવન ચલાવી રહ્યા હતા બંને ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા હતા અને તેમાંથી આવતા પૈસા માંથી ઘર ચલાવતા હતા. ધીમે ધીમે ગૌરવ શીતલને પણ હેરાન કરવા લાગ્યો હતો. જેના કારણે શીતલ ગૌરવ સાથે રહેવા માગતી ન હતી.
ગૌરવ શીતલને તેની સાથે લગ્ન કરવા માટે પણ દબાણ કરતો હતો. જો કે તે બંને આર્ય સમાજમાં પરિવારની ગેરહાજરીમાં લગ્ન કરી લીધા હતા પરંતુ તે ફરીથી લગ્ન કરવા માગતો હતો પરંતુ શીતલ ગૌરવ સાથે રહેવા માગતી ન હતી જેના કારણે તેણે લગ્ન કરવાની ના કહી હતી. બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ હતી. એક દિવસ બંને નોકરીએ ગયા હતા.
તે સમયે પણ આ વાતને લઈને બંને વચ્ચે બોલા ચાલી શરૂ થઈ ગઈ જેના કારણે શીતલ કંપનીની બહાર નીકળી અને તેમની કંપની ત્રીજા માળે આવેલી હતી. તે સમયે શીતલ કંપનીની બહાર નીકળી ગૌરવ પણ તેની પાછળ પાછળ બહાર નીકળ્યો હતો. શીતલને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શીતલને બોલાચાલીમાં ગુસ્સે થયેલા ગૌરવે ધક્કો મારી દીધો હતો.
જેના કારણે શીતલ ત્રીજા માળેથી બિલ્ડીંગની નીચે રોડ પર પડી ગઈ હતી. પડતાની સાથે શીતલના માથામાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. આસપાસના લોકો શીતલને બચાવવા માટે ભેગા થઈ ગયા તે સમયે ગૌરવ પણ શીતલ પાસે પહોંચ્યો હતો અને આસપાસના લોકોને તે શીતલનો ભાઈ છે અને શીતલ તેની બહેન છે તેમ ગણાવીને તેની કારમાં શીતલને હોસ્પિટલ લઈ ગયો હતો.
ત્યારબાદ શીતલની સારવાર કરાવવાને બદલે તે શીતલને બીજનોરમાં લઈ જતો હતો તે જ સમયે શીતલના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા તે સમયે દરેક લોકોને જાણવા મળ્યું હતું કે તે કોઈ શીતલનો ભાઈ ન હતો. તે શીતલને ચોરી છુપીથી લઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ તરત જ પોલીસના ઘટનાની જાણ કરી હતી.
જેના કારણે પોલીસે ગૌરવના લોકેશનની તપાસ કરીને ગૌરવને પકડી પાડ્યો હતો અને તેની સાથે શીતલનું પણ મૃત્યુ થઈ ગયું હતું. જેને કારણે શીતલના મૃતદેહને પણ શીતલના પરિવારજનોને સોંપ્યો હતો અને ગૌરવની ધરપકડ કરી હતી. ગૌરવએ પોતાના પ્રેમ સંબંધની ખુબ જ ખરાબ રીતે સાબિત કર્યો હતો.
શીતલનું મૃત્યુ થઈ જતા તેનું પરિવારમાં માતા અને તેનો ભાઈ ખૂબ જ રડી રહ્યા હતા. પરિવારના લોકોએ ગૌરવ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આવી ઘટના બની જતા એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં આવ્યા ઘણા બધા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]