પરણિત મહિલાએ માથાભારે પતિની આ વાતથી કંટાળીને કર્યો આપઘાત, જાણીને ભલભલાના ડોળા ફાટી ગયા..વાંચો..!!

અવારનવાર શહેરોમાં પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે. લોકો આજકાલ પોતાના જ પરિવારના લોકો સાથે વેર રાખીને તેમના જીવ લઈ રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક પરિણીત મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમણે જે કારણથી જીવ ગુમાવ્યો હતો તે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા.

આ ઘટના બહાદુરપુરમાં બની હતી. જેમાં એક પરિવારની મહિલા તેમના પતિ અને બાળકો સાથે રહેતી હતી. ગંજબા સેડાના રહેવાસી વિનોદ ખટીક નામના યુવકની બહેનના લગ્ન ઘણા વર્ષો પહેલાં બહાદુરપુરના રહેવાસી યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. તેમની બહેનનું નામ નીતુ હતું. તેમની ઉંમર 30 વર્ષની હતી.

અને તેના લગ્ન બહાદુરપુરના રહેવાસી યુવક રવિ સાથે કરાવવામાં આવ્યા હતા. તે બંનેને લગ્નજીવન દરમિયાન બે બાળકો હતા. બંને બાળકો સાથે નીતુ ખૂબ જ ખુશીથી રહેતી હતી પરંતુ તે બંને વચ્ચે થોડા સમયથી કોઈ વાતનો અણ બનાવ ચાલતો હતો. જેના કારણે નીતુ માનસિક રીતે કંટાળી ગઈ હતી.

એક દિવસ રવિ બપોરના સમયે બજારમાં ગયો હતો અને તે બજારમાંથી પાછો આવ્યો ત્યારે તેમણે નીતુ ને ફોન લગાવ્યો હતો. ફોન કરતાં નીતુ ફોન ઉપાડી રહી ન હતી. જેના કારણે નીતુ જે રૂમમાં સુતી હતી. તે રૂમમાં રવિએ જઈને જોયું તો નીતુ સળગતી હાલતમાં જોવા મળી હતી. તેણે પોતાના પર આગ લગાવી દીધી હતી.

જેના કારણે રવિએ તરત જ દોડીને નીતુને બચાવવા માટે આગ ઓલવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે રવિના બંને હાથ બળી ગયા હતા. અને નીતુ ને તે બચાવી શક્યો ન હતો. ત્યારબાદ તે બુમા બૂમ કરવા લાગ્યો હતો. જેના કારણે આસપાસના લોકો ભેગા થયા હતા અને નીતુને આગમાંથી બહાર કાઢવામાં આવી હતી.

અને તરત જ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી તે સમયે કોઈ પણ ડોક્ટર હાજર ન હોવાને કારણે તેમને એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા બાદ તેમની સારવાર 15 કલાક સુધી ચાલી હતી પરંતુ બાદમાં નીતુ નું મૃત્યુ થઈ ગયું હતું.

નીતુએ પોતાના બંને બાળકોને માતાની મમતાથી નિરાધાર કરી નાખ્યા હતા. ત્યારબાદ પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો તે સમયે જાણવા મળ્યું હતું કે નીતુના શરીર ઉપર હુમલાના નિશાન જોવા મળ્યા હતા.

અને નાકમાંથી પણ લોહી વહી ગયું હતું જેના કારણે ની તો ને કોઈ અન્ય કારણે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેને કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment