કોઈ પણ વ્યક્તિ સાથે અચાનક શું બની જાય તે કહી શકાતું નથી. દરેક લોકો સાથે આજકાલ માનવ સર્જિત અને કુદરતી ગંભીર ઘટનાઓ અચાનક બની રહી છે, જેને કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જયપુરમાં બની હતી.
જેમાં એક યુવક તેમના પિતરાઇ ભાઈને મળવા ગયો હતો. આ યુવકનું નામ અશોક મિના હતું. તેમની ઉંમર 32 વર્ષની હતી. અશોક નાંગલ શેરપુર ગામમાં પોતાના પરિવાર સાથે રહેતો અને તે જયપુરમાં પોતાના અભ્યાસની પરીક્ષાઓની તૈયારી કરતો જેના કારણે એક દિવસ તેઓ પોતાના પિતરાઈ ભાઈ ને મળવા ગયો હતો.
તેમનો પિતરાઈ ભાઈ મોતીનગરમાં રહેતો હતો જેના કારણે ત્રણ દિવસ પહેલા પિતરાઈ ભાઈ ના ઘરે અલવર માં આવ્યો અશોકે જયપુરમાં બીએચસી પરીક્ષા પાસ કરી હતી અને તેમનો પિતરાઈ ભાઈ નું નામ સુમીત હતું. સુમિત અને અશોક બંને અલવારના મોતીનગરમાં આવેલી એન્જિનિયરિંગની કોલેજમાં એન્જિનિયરિંગ ની તૈયારી કરી રહ્યા હતા..
બંને એક દિવસ સાંજના સમયે બેસીને પોતાની સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા બંને ખૂબ જ ખુશ હતા એકબીજાને મળીને તેઓ પોતાને દરેક ચિંતા ભૂલી ગયા હતા. અને ખૂબ જ રાજી ખુશીથી વાતો કરી રહ્યા હતા. અશોક ત્રણ દિવસ તેમના પિતરાઈ ભાઈના ઘરે રોકાયો હતો. અશોકને કોઈપણ બીમારી ન હતી.
અને તે જયપુરથી અલવર આવ્યો ત્યારે એકદમ તંદુરસ્ત દેખાતો હતો. ત્રણ દિવસ પછી બંને ભાઈઓ સાંજના સમયે બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક જ અશોકની છાતીમાં દુખાવો થવા લાગ્યો જેના કારણે તેણે પોતાના પિતરાઈ ભાઈ સુમિતને તેની છાતીમાં દુખી રહ્યું છે તેમ જણાવ્યું હતું. સુમિત અશોક ને તરત જ હોસ્પિટલમાં લઈ ગયો હતો.
અને તેમની સારવાર કરાવવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું હતું અચાનક જ મૃત્યુ થઈ જતા તેમના પિતરાઈ ભાઈ સુમિત આઘાતમાં આવી ગયો હતો. સુમિત્તે જયપુરમાં રહેતા તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારના લોકોને અચાનક જ તેમના દીકરાની મૃત્યુની જાણ થતા તેઓ આઘાતમાં આવી ગયા…
કારણ કે દીકરો તેમના ઘરેથી રાજી ખુશી અને હસતો બહાર ગયો હતો અને તેની સાથે આવી ઘટના બની જતા પરિવાર બે ધાર આંસુએ રડી રહ્યો હતો પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]