જ્યારે પરિવારમાં દીકરા કે, દીકરીનો જન્મ થાય ત્યારથી માંડીને જ્યાં સુધી બાળક સમજણું ન થાય ત્યાં સુધી દરેક સેકન્ડે નાના બાળકોની જવાબદારીઓને માથે ઉપાડીને તેમની પરવરીશ કરવાની જવાબદારી માતા પિતા ઉપર આવેલી હોય છે, આ જવાબદારીના જવાબ રૂપે જ્યારે માતા-પિતા ઘરડા થાય ત્યારે તેમને તેમના બાળકો પ્રત્યેથી આશા હોય છે કે..
તેના બાળકો ઘડપણની અંદર તેમનો સાથ સહકાર આપે અને તેમની કહેલી વાત માને પરંતુ અત્યારે તો 20 થી 25 વર્ષની ઉંમરના જુવાન યુવક યુવતીઓ પણ મા બાપની વાતનું કશું માનતા નથી, અને અંતે તેમને ધરાઈ ધરાઈને પછતાવો થાય છે કે, તેઓ માતા-પિતાની વાતને સમજી શક્યા નહીં..
પરંતુ એવા સમયે હાથમાંથી બધું જતું રહ્યું હોય છે, અશોક પાર્ક વિસ્તારમાં રહેતા સંજયભાઈ નામના વ્યક્તિના પરિવારમાં અત્યારે ખૂબ જ મોટો હોબાળો મચી ગયો હતો, સમગ્ર પરિવાર ગણતરીની મિનિટોમાં જ દોડતો થઈ ગયો હતો. કારણકે તેમના પરિવારની લાડકવાઈ દીકરી એ ખૂબ જ મોટો કાંડ કરી નાખ્યો હતો..
સંજયભાઈ તેના માતા-પિતા તેની પત્ની તેનો એક દીકરો અને એક દીકરીની સાથે જીવન ગુજારે છે, સંજયભાઈની મોટી 21 વર્ષની લાડકી દીકરી અવારનવાર પરિવારના દરેક સભ્યોને ખૂબ જ સારી સલાહ અને શિખામણો આવતી હતી. 21 વર્ષની આ દીકરી એ તેના દાદાનું વ્યસન પણ છોડાવી દીધું હતું..
અને સંજયભાઈને પણ વ્યસન છોડાવવામાં મદદરૂપ બનતી હતી, તે અવારનવાર પરિવારના દરેક સભ્યોને આગળના જીવનમાં કેવી રીતે સારી શિખામણો કામ આવી શકે તેની સમજણ આપતી હતી. પરંતુ એ જ દીકરી એક દિવસ એવું રચી નાખ્યું કે, પરિવાર માનવા માટે તૈયાર હતો નહીં કે શું આ એ દીકરી છે? જેણે પરિવારના દરેક સભ્યોને સારી શિખામણો આપી હતી..
પરંતુ આજે પોતે જ ખૂબ જ મોટા કાંડની અંદર સપડાઈ ગઈ છે, સંજયભાઈ ની 21 વર્ષની લાડકી દીકરી સોસાયટીના ગેટ પાસે આવેલી પાણીપુરીની લારીવાળા યુવકના પ્રેમમાં જોડાઈ ગઈ હતી, તેણે એક પણ વાર તેના પરિવારજનોનો વિચાર કર્યો નહીં કે તેનો પરિવાર તેના પ્રેમ સંબંધને સ્વીકારશે કે નહીં કોઈ પણ પ્રકારની વાતચીતને સમજ્યા વગર તે પાણીપુરીની લારી ચલાવનારા યુવકના પ્રેમ સંબંધમાં જોડાઈ ગઈ..
અને થોડા જ દિવસની અંદર પાણીપુરીની લારી ચલાવતો મનોજ નામનો આ યુવક 21 વર્ષની શોભાને ભગાડીને લઈ ગયો હતો, પરિવાર શોધખોળે ચડી ગયો હતો કે, શોભા હજુ સુધી કેમ ઘરે આવી નથી. જ્યારે તપાસ કરી તો ખબર પડી કે, શોભા તેના કોઈપણ મિત્રના સંપર્કમાં નથી અને તેનો ફોન પણ સ્વીચ ઓફ બતાવી રહ્યા છે..
આખો દિવસ સુધી શોધ કરી અને અંતે સાંજના સમયે જ્યારે સંજયભાઈ તેમની દીકરીના ગાયબ થવાના સમાચાર પોલીસ સ્ટેશનને આપવા જઈ રહ્યા હતા, એવા વખતે સંજયભાઈના ફોન ઉપર અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. જેમાં 21 વર્ષની દીકરી શોભા તેના પિતાને જણાવતી હતી કે, તે મનોજ નામના યુવકને ખૂબ જ પ્રેમ કરે છે..
અને તેની સાથે આગળનું લગ્નજીવન વિતાવવા માંગે છે, તેનો આ પ્રેમ સંબંધ પરિવારના કોઈ પણ સભ્ય સ્વીકારશે નહીં તેવું વિચારીને તેઓ ઘર મૂકીને ભાગી ગયા છે. જ્યારે સંજયભાઈએ પૂછ્યું કે, આ પ્રેમી કોણ છે.? અને તે શું કામ ધંધો કરી રહ્યો છે, ત્યારે શોભાએ જણાવ્યું કે તેમને સોસાયટીના ગેટ ઉપર પાણીપુરીની લારી ચલાવનાર યુવક મનોજ તેને છેલ્લા કેટલાક વર્ષથી પસંદ કરી રહ્યો હતો..
તેઓ ઘરેથી ખોટું બોલીને પણ એકબીજાને મળવા માટે જતા હતા, અને હવે તેઓ આગળનું લગ્નજીવન વિતાવવા માટે ભાગી ગયા છે. અત્યારે તેઓ ક્યાં છે, તેનો કોઈ પણ અતોપતો મળી આવ્યો નથી, સંજયભાઈએ આ બાબતની જાણકારી પોલીસને પણ આપવાનું વિચાર્યું નહીં અને તે પોતાની દીકરીને મનોમન મરેલી સમજીને પોતાના ઘરે પરત આવી ગયા હતા..
અને સૌ કોઈ સભ્યોને જણાવી દીધું કે, આપણી દીકરી હવે આ દુનિયાની અંદર જીવતી રહી નથી. આપણા માટે હંમેશા માટે મરી ગઈ છે, આપણી દીકરીને હવે આપણે ક્યારે પણ યાદ કરીશું નહીં. આ બનાવ જ્યારે બન્યો ત્યારે સોસાયટીમાં પણ હડકંપ મચી જવા પામ્યો હતો, તેમજ સગા સંબંધીઓ પણ જોતાને જોતા જ રહી ગયા કે, આખરે આ પરિવારમાં દીકરીએ એવું રચી નાખ્યું છે કે, બિચારા સંજયભાઈ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]