આખી જિંદગી દરમિયાન જે વ્યક્તિએ પોતાનું શરીર તોડીને મહેનત અને મજૂરી કરીને પૈસા કમાયા હોય એ પૈસાની કમાણી જો કોઈ વ્યક્તિ માત્ર બે સેકન્ડની અંદર છીનવીને જતો રહે તો એવી મુશ્કેલી ઘટનાને કોઈ વ્યક્તિ સહન કરી શકતું નથી, અત્યારે એક પરિવાર સાથે એવી ઘટના બની ગઈ કે, આ પરિવાર હવે ક્યારે પણ સુખ શાંતિથી ઊંઘ નહીં લઈ શકે..
આ બનાવ મમતા પાર્ક વિસ્તારમાંથી સામે આવ્યો છે, મુકેશભાઈ નામના વ્યક્તિ તેના પરિવાર સાથે અહીં વસવાટ કરી રહ્યા છે. મુકેશભાઈ જ્યારે શહેરમાં રહેવા માટે આવ્યા ત્યારે જુદું જુદું કામકાજ કરીને પૈસા કમાતા હતા અને હવે તેઓ છેલ્લા પાંચ વર્ષથી એક કંપનીમાં મજૂરી કરવા માટે જતા હતા અને તેમના પરિવારનું ગુજરાન પણ ચલાવતા હતા..
તેઓએ તેમની દીકરીના લગ્ન માટે પહેલેથી જ ઘણા બધા રૂપિયાની સાચવણી કરી રાખી હતી, આ તમામ રૂપિયાની રકમ તેઓ તેમના કબાટમાં લોકરમાં રાખી મુકતા હતા, સાંજના સમયે મુકેશભાઈ જ્યારે ફેક્ટરીએથી કામકાજ કરીને ઘરે પરત આવ્યા ત્યારે તેમની પત્ની ભોજન તૈયાર રાખ્યું હતું..
આ ભોજનને લીધા બાદ સમગ્ર પરિવાર ઘસઘસાટ ઊંઘમાં સુઈ ગયો હતો, પરંતુ બીજા દિવસે જ્યારે સવારમાં ઉઠ્યો ત્યારે એવી ઘટના બની ચૂકી હતી કે, આ પરિવારની ઊંઘ હંમેશા માટે ઉડી ગઈ હતી. જ્યારે મુકેશભાઈ એને તેમનો પરિવાર સવારના સમયે જાગ્યા ત્યારે તેમને જણાવ્યું કે, તેમના ઘરની અંદર રહેલો તમામ સામાન્ય વેર વિખેર કરી નાખવામાં આવ્યો હતો..
આ દ્રશ્યને મુકેશભાઈની પત્નીએ સૌપ્રથમ જોયું હતું, ત્યારબાદ તેઓએ મુકેશભાઈને ઉઠાડયા અને કહ્યું કે, આપણા ઘરમાં ચોરી થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઘરનો તમામ સામાન વેર વિખેર છે તેમજ ઘરના લોકરના તાળા પણ તોડી નાખવામાં આવ્યા છે, જ્યારે મુકેશભાઈએ તેના કબાટમાં મુકેલા રૂપિયા સુરક્ષિત છે કે નહીં.?
તે તકાસણી કરવા માટે નજીક ગયા તેને જોયું તો એ કબાટનો લોકર પણ તોડી નાખવામાં આવ્યું હતું અને કબાટની અંદર મુકેલા 7,00,000 રોકડાની સાથે સાથે ચાર લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા, એક જ ઘરમાંથી એટલી મોટી ચોરી થઈ જવાને કારણે મુકેશભાઈ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..
તેઓ સતત અને સતત વિચારતા રહ્યા કે, આખરે એવું તો શું થયું હશે કે એક જ રાતમાં તેમની કમાયેલી તમામ મૂડી તેમની પાસેથી છીનવાઈ ગઈ છે. તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે, તેવા સમાચાર જ્યારે મમતા પાર્ક વિસ્તારમાં ફેલાયા ત્યારે કેટલાક બધા લોકો તેમના ઘર પાસે ચર્ચા વિચારણા કરવા માટે એકઠા થઈ ગયા હતા..
મુકેશભાઈના પત્ની પણ ચોરીની આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી હતા, જ્યારે તેમના દીકરાને દીકરી તો રડવા પણ લાગ્યા હતા. મુકેશભાઈ હિંમત દાખવીને તરત જ પોલીસ સ્ટેશન હાજર થઈ અને ત્યાં તેઓ ફરિયાદ નોંધાવી દીધી કે, તેમના ઘરેથી ખૂબ જ મોટી રકમની ચોરી થઈ ગઈ છે..
જો આ રકમ તેમને પરત નહીં મળે તો તેઓ રસ્તા ઉપર આવી જશે કારણ કે, મળેલા તમામ રૂપિયાની મૂડી તેઓએ તેમની દીકરીનો લગ્ન માટે એકઠી કરીને રાખી હતી, પરંતુ તેમના ઘરે પ્રસંગ આવી પહોંચે એ પહેલાં તો ચોર લૂંટારાઓ આવી પહોંચ્યા અને ઘરમાંથી ચોરી કરીને જતા રહ્યા છે..
પોલીસે તપાસ પણ શરૂ કરી હતી, પરંતુ પોલીસને પણ પ્રાથમિક તપાસની અંદર કેટલીક શંકાઓ જોવા લાગી છે. કારણ કે, મુકેશભાઈ અને તેનો પરિવાર ઘસઘસાટ ઊંઘમાં સૂતો-સૂતો નસકોરા બોલાવતો રહ્યો અને ચોર લુટારા ચોરી કરીને જતા રહ્યા છે, છતાં પણ પરિવારના કોઈ સભ્યને આ ઘટના વિશે ખબર રહી નથી..
આ બાબત દરેક લોકોને ખૂબ જ ઉપયોગી લાગી રહી છે, નક્કી મુકેશભાઈના જ પરિવારનો કોઈ સભ્ય આ ઘટનાની અંદર સામેલ હોય તેવી પોલીસને શંકા છે, એટલા માટે એક પછી એક દરેક વ્યક્તિને પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે સીસીટીવી કેમેરાની તપાસ કરી તો ખબર પડી કે, મુકેશભાઈના ઘરે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પ્રવેશ્યો નથી..
અને કોઈપણ વ્યક્તિ બહાર પણ નીકળ્યો નથી, છતાં પણ આ ચોરીની ઘટના કેવી રીતે બની હશે તે વિચારવા દરેક લોકો મજબૂર થઈ ગયા છે. આ સીસીટીવીની ફૂટે જોતા તો શંકા મુકેશભાઈ ના પરિવારના જ કોઈ સભ્ય ઉપર જઈ રહી છે. આ ઘટનાની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે..
અને ત્યારબાદ અસલી આરોપી કોણ છે, તેની પણ ખબર પડી જશે. અત્યારે મુકેશભાઈ અને તેના પરિવારના દરેક સભ્યો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે, કારણકે તેમની ઘણી બધી મૂડી આ ચોરીની અંદર ચોરી થઈ ગઈ છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]