Breaking News

પરિવાર તેના દીકરાની વહુને કહેતો કે, “તારી બુદ્ધિ પગની પાની એ છે”, અને વાતની ઠેસ પહોચી જતા મહિલાએ કરી નાખ્યું એવું કે આખો સમાજ મોઢા ફાડીને જોતો રહી ગયો..!

પરિવારમાં દરેક સભ્યો વચ્ચે સમજણનો સારો મેળ હોવો ખૂબ જ જરૂરી છે. જો વાતે વાતે લડાઈ ઝઘડો શરૂ કરી દેવામાં આવે તેમજ પોતાની જ મનમાની કરવામાં આવે તો એ પરિવાર લાંબો સમય સુધી એક સાથે રહી શકતો નથી, એક ને એક દિવસ એવા પરિવારજનોને છૂટું થવું પડતું હોય છે..

અને જો પરિવારની અંદર એકતા તૂટે તો કોઈ બહારનો વ્યક્તિ પણ છેતરપિંડી કરીને જતો રહે છે અને આપણે તેમનો સામનો કરી શકતા નથી. અત્યારે એક પરિવારજનોની ભૂલને કારણે તેમના જ પરિવારની એક દીકરાની વહુને જીવ જતો રહ્યો છે. આ ઘટના રસિક વાળા પાસે આવેલી સંતોક સોસાયટીની છે. આ સોસાયટી ની અંદર અખિલેશભાઈ તેમના પરિવાર સાથે રહે છે..

અખિલેશભાઈની પત્ની ઉમા ભણેલ ગણેલ અને ખૂબ જ હોશિયાર હતી. જ્યારે પર પરિવારના કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે જો પરિવારજનોથી યોગ્ય નિર્ણય લેવાતો ન હોય તો ઉમા તેનો મંતવ્ય રજૂ કરતી હતી, જે તાર્કિક રીતે યોગ્ય હોય. પરંતુ તેના પરિવારજનોને ઉમાની કોઈ પણ પ્રકારની વાતચીત પસંદ હતી નહીં..

તેવો હંમેશા કહેતા કે, આ ભણેલ ગણેલ વહુને લાવીને તો આપણું ઘર બરબાદ થઈ જવા પામ્યો છે. આ ઉપરાંત ઉમાને તેની સાસુ સુશીલાબેન કહેતી કે તારી બુદ્ધિ તો પગની પાની એ છે. એટલે તારે પરિવારની કોઈ બાબતની અંદર બોલવાની કોઈ જરૂર નથી. અમને જે યોગ્ય લાગશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું અને તારે તો બસ ચૂપચાપ જિંદગી જીવવાની છે..

ઉમાને દરેક વખતે ખૂબ જ ઠેસ પહોંચી જતી હતી. જો તે તેના પતિને આ બધી બાબતો કહે તો તેનો પતિ કહે તો કે સાસરીએ આવી બધી બાબતો સહન કરવાની હોય છે. વારેવારે આવી બધી ઘટનાઓ મને કહેવાની કોઈ જરૂર નથી. જો સહન થતું હોય તો અહીં રહેજે નહીતો તું તારા પિયરે જઈ શકે છે..

મહિલાને ખૂબ જ ખોટું લાગ્યું હતું અને એક દિવસ તેણે આ સાસરિયાવાળાને દોડતા કરી દીધા છે. રાત્રે સૌ કોઈ લોકોએ ભેગા ભોજન જમ્યા હતા અને ત્યારબાદ વહેલી સવારમાં ઉમાએ ઝેરી દવાના ટીકડા પીઈને આપઘાત કરી લીધો હતો અને અંતિમ નોટની અંદર લખતી ગઈ કે, તેના સાસરિયાવાળા લોકોને વહુને કેવી રીતે સાચવવી જોઈએ..

તે આવડતું નથી. બસ પોતાની જ મનમાંની ચલાવતા આવડે છે. તેમજ તેઓએ ક્યારેય મને સાથ સહકાર કે સારી રીતે બોલાવી નથી. હંમેશા માઠા વેણ વચનો કીધા છે. અને ક્યારેય પણ આગળ વધવા દીધી નથી. તેનું તેને ખૂબ જ ખોટું લાગી આવ્યું છે. અને તેને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. જ્યારે આ ઘટનાના સમાચાર ઉમાના માતા પિતા સુધી પહોંચે ત્યારે તેઓ પણ પગમાં ચપ્પલ પહેર્યા વગર જ તેમની દીકરીના સાસરે આવવા માટે નીકળી ગયા હતા..

રડતા મોઢે તેઓએ તેમની દીકરીનો અંતિમ ચહેરો જોયો હતો અને ત્યારબાદ ઉમાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી હતી. ઘટનાના સમાચાર પોલીસ સુધી પહોંચતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને દરેક ભાષાની માહિતી મેળવીને તપાસ ચલાવી રહી છે. આ અંતિમ નોટને આધારે ઉમાના માતા પિતાએ તેના સાસરીયા વાળા લોકો સમક્ષ આક્ષેપ કર્યા છે..

કે તેઓએ તેમની દીકરીનો જીવ લઈ લીધો છે. જેના બદલ ઘટના પાછળ જોડાયેલા તમામ જવાબદાર લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. હકીકતમાં કોઈ વખત વ્યક્તિને કહેલું માઠું વાણવચન પણ એટલું બધું દર્દનાક સાબિત થઈ જતું હોય છે કે, તેનો જીવતો જાગતો ઉદાહરણ હાલ તમે જોઈ શકો છો…

આ બનાવ બનતાની સાથે જ તેમનું આખું કુટુંબ મોઢા ફાડીને જોતું રહી ગયું હતું. કારણ કે ઉમાએ આપઘાત કરી લેતા સમગ્ર પરિવારજનોની આંખો ખુલ્લી ગઈ અને એક વ્યક્તિએ બીજા વ્યક્તિ સાથે કેવી રીતે વાતચીત અને જીવન વ્યવહાર રાખવું જોઈએ તેની સમજણ મેળવવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *