આજકાલ ચોર-લૂંટારા એવા વ્યક્તિઓને ટાર્ગેટ બનાવે છે કે તેની દિનચર્યા જાણવી ખૂબ જ સહેલી હોય. તેઓ થોડા દિવસ સુધી જે તે વ્યક્તિના ઘરના તમામ સભ્યોની દિનચર્યા ઉપર નજર રાખીને બેઠા હોય છે કે કયા સમય દરમ્યાન ઘરનો કયો સભ્યો બહાર જાય છે. તમામ દિનચર્યા અને સારી રીતે સમજ્યા બાદ તેઓ મોકો મળતાની સાથે જ ઘરમાં ત્રાટકી પડે છે..
અને કીમતી સામાન ઘરેણાં દાગીના લઈને ભાગી જતા હોય છે. ચોર લૂંટારા દિવસેને દિવસે ખૂબ જ ચતુર બનતા જાય છે. પરંતુ પોલીસખાતું પણ એ લોકો કરતાં વધારે ચાલાક છે. એટલા માટે તેઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવતા હોય છે. હાલ અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સ્મિત સાગર સોસાયટીમાં સોનારા પરિવાર રહે છે..
પરિવારના મોભી મધુસુદનભાઈ તેમજ તેમની પત્ની અમૃતા બહેન તેમનો દીકરો વિશ્લેષ ભાઈ તેમજ તેમના દીકરાની પત્ની હેતલબેન એમ કુલ ચાર સભ્યોએ ઘરમાં રહે છે. એક દિવસ સવારના સમયે વિશ્લેષ અને તેમની પત્ની હેતલબેન બંને થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયા હતા. અને એ જ સમયે મધુસુદનભાઈ અને અમૃતા બહેન બંને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાસે આવેલી એક કપડાની દુકાનમાં કપડાં લેવા માટે ગયા હતા..
જ્યારે મધુસુદનભાઈ તેમજ વિશ્લેષ ભાઈ બંને એક જ સમયે ઘરે પરત ફર્યા હતા. ઘરે પરત પડતાની સાથે જ તેઓએ જોયું કે તેમના ઘરના મેન દરવાજાના તાળા તૂટેલા હતા. તેમજ દરવાજો એકદમ અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યો હતો. આ જોતાની સાથે જ તેઓ તાત્કાલિક ધોરણે ઘરની અંદર પ્રવેશ્યા હતા..
ઘરની અંદર પ્રવેશતાની સાથે જ તેઓએ જોયું કે ઘરનો તમામ સામાન વેરવિખેર છે. જાણે કોઈ કીમતી વસ્તુ શોધી રહ્યો હોય તેવી રીતે ઘરના તમામ સામાન્ય તોડી મરોડીને ફેંકી દીધો હતો. ત્યારબાદ તેઓ ઘરના બેડરૂમમાં પહોંચ્યા ત્યાં તેમના કબાટને તાળું તૂટેલું હતું તેમજ કબાટ ની અંદર મૂકેલી તિજોરી નો લોક પણ તૂટેલો હતો..
તિજોરી ની અંદર વિશ્લેષ ભાઇના પત્ની હેતલબેન ના દોઢ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ભરેલા હતા. સોના ચાંદીના દાગીના કરેલું એક બોક્સ ગાયબ હતું. આ સાથે થોડા ઘણા રોકડા રૂપિયા પણ ગાયબ હોવાથી મધુસુદનભાઈ તેમજ વિશ્લેશભાઈ બંને આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા.
તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેમની ગેરહાજરીમાં ઘરમાં ખૂબ મોટી ચોરી થઇ જશે. તેઓ સવારમાં જાગીને ખુશી ખુશી પિક્ચર જોવા માટે ગયા હતા. તો તેમના માતા-પિતા કપડાં લેવા માટે ગયા હતા. પરંતુ ઘરે જ્યારે પરત ફર્યા ત્યારે તેઓ હક્કા-બક્કા રહી ગયા હતા અને ચોર લૂંટારા ચોરી કરીને નાસી ચૂક્યા હતા.
એવા જ પ્રકારની એક ઘટના અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પણ બની છે. કાલુપુર વિસ્તારના મોહલ્લામાં નાસીર ભાઈ પઠાણ નામના વ્યક્તિ રહે છે. તે પોતે ડેકોરેશનનું કામકાજ કરે છે. અને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક દિવસ તેમના સાળાની દીકરીની સગાઇ હોવાને કારણે તેઓ ઘરના તમામ સભ્યો સાથે તાળુ મારીને ફતેવાડી ગયા હતા..
સગાઈ પ્રસન્ન સાંજનો હોવાથી તેઓ રાત્રે મોડે તે ઘરે પરત ફર્યા હતા. ઘરે આવતાની સાથે જ તેઓએ જોયું કે ઘરનું તાળું તૂટેલું હતું તેમજ તિજોરી પણ તૂટેલી હતી તિજોરીમાં મુકેલા બે લાખ રૂપિયા અને સોના-ચાંદીના દાગીના પણ ગાયબ હતા. આ બાબતને લઇને નાસીર ભાઈ પઠાણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..
એક દિવસની અંદર જ પદ્ધતિથી બે જગ્યાએ ચોરી થયા હોવાથી પોલીસને આ બંને ઘટનાઓમાં કંઈક કનેક્શન હોવાનું જાણવા મળી છે. પોલીસે આ બંને ઘટનાઓને નોંધીને તપાસ શરૂ કરી છે. ખરેખર ચોરી અને લુંટફાટના આ કિસ્સાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]