શિક્ષક દરેક બાળકોને ભણાવી ગણાવીને સારા કરિયર સેટ કરવામાં મદદરૂપ બને છે. એક શિક્ષક માટે બાળકોને ભણાવવા ખૂબ જ અઘરી બાબત છે. કારણ કે દરેક બાળકોના મન જુદા-જુદા હોય છે અને જુદી-જુદી રીતે કામ કરે છે. દરેક બાળકોને પૂરતી સમજ પડે એ માટે શિક્ષકની ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે..
કોઈક વખત શિક્ષક વિદ્યાર્થીઓને ઠપકો પણ આપે છે. પરંતુ હવે તો શિક્ષક વિદ્યાર્થીઓને ઢોર માર મારે એવા ઘણા બધા બનાવો અવારનવાર સામે આવે છે. જેમાં વધુ એક બનાવ હરિયાણાના પાણીપત જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક દેખાવડી શિક્ષિકાએ ધોરણ 11 ની એક વિદ્યાર્થીનીને ઢોરની જેમ માર માર્યો છે.
આ બનાવો અઢાગામ પાસે આવેલી ચંદન બાલ વિકાસ પબ્લિક સ્કૂલમાંથી સામે આવ્યો છે. આ શાળામાં રાધિકા શર્મા ધોરણ 11 માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીની કોમર્સના વર્ગોમાં બેસે છે. આ શાળામાં ડિમ્પલ નામની એક શિક્ષિકા ધોરણ 11 માં ભણાવી રહી હતી. એ સમય દરમિયાન તેણે દરેક વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી હતી અને કહ્યું હતું કે પરીક્ષામાં જે લોકોને ઓછા માર્ક્સ આવશે તેને ડંડા મારવામાં આવશે અને ઠપકો આપવામાં આવશે..
35 માર્ક્સ ની પરીક્ષા લીધી હતી જેમાંથી રાધિકાને માત્ર ચાર માર્ક્સ મળ્યા હતા, એટલે કે 31 માર્ચ ઓછા મળવાને કારણે શિક્ષિકાએ તેને 31 લાકડીઓ હાથ ઉપર મારી હતી. ઉપરાંત 31 ડંડા ખાવાને કારણે આ વિદ્યાર્થીનીનો હાથ લીલો પડી ગયો હતો અને સોજો આવી ગયો હતો. આ ઉપરાંત હાથ ફાટવા લાગ્યો હતો.
ત્યારબાદ વિદ્યાર્થીની ઘરે આવી અને કોઈપણ ચીજ વસ્તુઓને અડકતા તેનું હાથ દુખવા લાગતો હતો. આ દ્રશ્ય જોઈ તેના માતા પિતા ને પૂછ્યું તો તેણે જણાવ્યું કે શાળામાં ડિમ્પલ નામની તેને 31 ડંડા માર્યા છે. આ સાંભળતા જ વિદ્યાર્થીનીના પિતા રાજેશ શર્મા આ શાળાએ હાજર થયા અને આ શિક્ષિકા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું..
પરંતુ શાળાએ ચાર દિવસનો સમય માંગ્યો અને આ શિક્ષિકા ઉપર કાર્યવાહી ચલાવી શું તે ગુનેગાર છે કે, પછી નિર્દોષ..? તે જણાવવામાં આવશે. પરંતુ શાળા તરફથી ધાંધ્યાગીરી થતા અંતે રાજેશ શર્માએ પોલીસ સ્ટેશનમાં આ શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવી છે. એને જણાવ્યું છે કે, તેને પ્રેમથી ભણાવવાની બદલે તેમની દીકરીની 31 ડંડાઓ માર્યા છે..
અને રાજેશ્વરમાં દુર્ગા કોલોનીના સલામ ખાનામા રહે છે. તો બીજી બાજુ આ આરોપી શિક્ષિકા ડિમ્પલએ જણાવ્યું હતું કે, તમામ આરોપો પાયા વિહોણો છે, મેં માત્ર એક થી બે જ લાકડીઓ આ વિદ્યાર્થીને મારી છે. પરંતુ 31 લાકડીઓ મારવાની આ વાત બિલકુલ ખોટી છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીના પરિવારજનો મને લેખિતમાં માફી માંગવાનું જણાવી રહ્યા છે કે,
મેં તેમની દીકરીને ઢોર માર્યો છે એને મારાથી ભૂલ થઈ છે પરંતુ હું આ માટે અત્યારે માફી માગું છું. પરંતુ તેઓ ખાસ કરીને કારણ વગર વાતને લંબાવી રહ્યા છે. આ બનાવ સામે આવ્યા બાદ અન્ય વાલીઓમાં પણ ભારે ફાફડાટ મચી ગયો છે. કારણ કે આજે રાધિકા શર્માને 31 ડંડાઓ મારવામાં આવ્યા છે.
તો આવતીકાલે અન્ય બાળકને પણ મારવામાં આવી શકે છે. તેઓ પોતાના બાળકને લઈને ખૂબ જ ચિંતાતુર થયા છે. આ મામલે તેઓએ ઉપલા અધિકારીઓને પણ ફરિયાદ આપી છે અને શાળા સામે પણ કાયદેસરના પગલાંઓ લેવામાં આવશે. બાળકોને માર મારીને સમજાવવાને બદલે પ્રેમથી સમજાવવા જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]