એવું કહેવામાં અને માનવામાં આવે છે કે, વહેલી સવારે આપણને જે સ્વપ્ન આવે છે. તે સ્વપ્ના મોટાભાગે સાચા પડે છે. કેટલાક લોકો આ બાબતને સ્વીકારે છે. તો કેટલાક લોકો આ વાતને મનનો વહેમ માને છે. અત્યારે આ ઘટનાને લઈને દરેક લોકોના મનના વહેમ ઉડી ગયા છે. આ મામલો બિહારના જીવાપુરનો છે..
જીવાપુર ગામમાં રાઘવજીભાઈ નામના 63 વર્ષના એક વડીલ દાદા તેમના પરિવાર સાથે રહે છે. તેમનો પરિવાર ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલો છે. એક દિવસ સવારના સમયે રાઘવજીભાઈ પથારીમાંથી બેઠા થઈને પરિવારના સભ્યોને કહેવા લાગ્યા કે, તેમને વહેલી સવારે એક સપનું આવ્યુ છે..
અને એ સ્વપ્નમાં તેમના પરદાદાએ આવીને કીધું કે, વાડીમાં આપણા કુવા પાસે મેં ખુબ જ જુનો ખજાનો દાટેલો છે. અને ત્યારબાદ પર દાદા તેમના સ્વપ્નમાંથી ચાલ્યા ગયા હતા. રાઘવજીભાઈએ કહ્યું કે, આપણે આપણા કુવા પાસે ખોદકામ કરીને જોવું જોઈએ કારણ કે વહેલી સવારના સપનાઓ સાચા પડતા હોય છે.
રાઘવજીભાઈના બંને દીકરાઓએ કહ્યું કે, તમે ચિંતા ના કરો અને આ તમામ બાબતોને ભૂલાવી દો, આ તમામ બાબતો મનના વહેમ છે. જેના ઉપર આપણે ક્યારેય પણ ધ્યાન દેવું જોઈએ નહીં અને મહેનતથી કમાણી કરીને પરિવાર તેમજ ઘર સંસાર ચલાવું જોઈએ. પરંતુ રાઘવજીભાઈએ તેમના ખેતરના જુના નકશાઓ અને કાગળિયાઓ શોધી કાઢ્યા હતા..
અને તે મુજબ જુના કુવા પાસે ગામના મજૂરોને લઈ ગયા અને ત્યાં ખોદકામ શરૂ કરાવી દીધું હતું. આસપાસના ખેતરના માલિકોને પણ એવું લાગતું હતું કે, રાઘવજીભાઈ ખૂબ જ મોટી મૂર્ખામી કરી રહ્યા છે. પરંતુ જ્યારે ખોદકામ પાંચ ફૂટ સુધી અંદર પહોંચ્યું ત્યારે અચાનક જ રણકાર પેદા થયો હતો..
અને માટી સાફ કરીને જોયું તો એક પિત્તળનો ઘડો મળી આવ્યો અને આ ઘડાની અંદર સોના ચાંદીના ઝવેરાત મોતી અને રાણી સિક્કા પણ મળી આવ્યા હતા. આ ખજાનો જોતાની સાથે જ આસપાસના ખેતરોમાં કામ કરનાર લોકો ખજાનાને જોવા માટે ત્યાં એકઠા થઈ ગયા હતા. રાઘવજીભાઈના બંને દીકરા પણ તાબડતોબ પોતાનો કામ ધંધો મૂકીને પોતાની વાડીએ હાજર થઈ ગયા હતા..
જે લોકોને મનના વહેમ હતા એ વહેમ દૂર થઈ ગયા અને સવારનું આ સ્વપ્ન સત્ય થઈ ગયું હતું. ગામના કેટલાક કહેવા લાગ્યા કે આ વાડી અમારી હતી અને ત્યારબાદ અમારા વડીલોએ તમારા વડીલને પૈસા લઈ ખેતર વેચી દીધું છે. એટલા માટે આ ખજાના ઉપર અમારો હક બને તો બીજી બાજુ રાઘવજીભાઈએ જણાવ્યું કે, આ ખજાનાનો હક કોઈ વ્યક્તિનો નથી..
આ હક માત્ર ને માત્ર મારો જ રેહશે. આ ખજાના મળ્યાની જાણ ગામના સરપંચે પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ કરી હતી. પોલીસનો કાફલો પણ હાલ ખેતરે પહોચી ગયો છે અને જરૂરી કામગીરીઓ શરુ કરી છે. આ અગાઉ પણ એવી ઘણી બધી જગ્યાએ થી જુના ખજાનાઓ મળવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]