રોજબરોજ એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે સાંભળતા જ દરેક લોકોના હૈયા ધ્રુજી જાય છે. અત્યારના સમયમાં માતા-પિતા પોતાના બાળકોને કોઈ પણ ઠપકો આપી શકતા નથી. બાળકો તરત જ પોતાના મગજમાં આ વાતને લઈને ગંભીર ઘટનાઓ કરી રહ્યા હોય છે. જેના કારણે માતા-પિતા ખૂબ જ ડરી રહ્યા છે.
હાલમાં ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ થોડા દિવસોમાં જ શરૂ થવા જઈ રહી છે પરંતુ તે શરૂ થાય તે પહેલા જ એવી ચોકાવનારી ઘટના સામે આવી છે કે, જે સાંભળીને દરેક માતા-પિતા પોતાના બાળકોને ખૂબ જ ધ્યાન રાખશે. આ ઘટના રાજસ્થાનમાં આવેલા દૌસા જિલ્લાના લાલસોટ શહેરમાં આવેલી નવી કોલોનીમાં રહેતા પરિવારની દીકરી સાથે બની છે.
બસરામભાઈ મીનાભાઈ પોતાના પરિવાર સાથે કોલોનીમાં ઘણા સમયથી રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહે છે. બસરામભાઈ તેમની પત્ની સાથે ખૂબ હળીમળીને રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમાં દીકરીની ઉંમર 15 વર્ષની છે. તેમનું નામ ખુશ્બુ છે અને દીકરો નાનો છે.
તે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની ઉંમર નવ વર્ષની છે. ખુશ્બુ ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. તે ભણવામાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતી. હાલમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની થોડા દિવસોની જ વાર રહી છે. જેના કારણે ખુશ્બુ પોતાનો અભ્યાસ ઘરે બેસીને કરી રહી હતી. ખુશ્બુના પિતા બસરામભાઇ મીના જાલોર જિલ્લામાં આવેલી એક સરકારી શાળામાં સરકારી શિક્ષક તરીકે કામ કરે છે.
ખુશ્બુ ઘણા દિવસથી ઘરે બેસીને જ પોતાનું વાંચન કરી રહી હતી. ખુશ્બુ બીજી વિદ્યાર્થીનીઓ જેમ ભણવામાં નબળી ન હતી. તે ખૂબ જ હોશિયાર હતી અને શાળામાંથી થોડા દિવસો પહેલા રજા આપી દેવામાં આવી હતી. જેના કારણે દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી આરામથી બેસીને અભ્યાસ કરી શકે.
જેના કારણે ખુશ્બુ અને તેની બીજી બહેનપણીઓ ઘરે બેસીને અભ્યાસ કરી રહી હતી. ખુશ્બુ દરરોજ સવારના સમયે અભ્યાસ કરવા માટે બેસી જતી અને સાંજ થતા તે ઉભી થતી હતી. એક દિવસ ખુશ્બુની માતા તેના નાના ભાઈની સ્કૂલે ફી ભરવા માટે ગઈ હતી. જેના કારણે ખુશ્બુ ખરે એકલી હતી અને તે વાંચન કરી રહી હતી.
જેના કારણે તેમની માતાએ ઘરનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. માતા નાના ભાઈની શાળાએ ફી ભરવા માટે ગઈ હતી અને ખુશ્બુ ઘરે એકલી હતી. ત્યારબાદ માતા ફી ભરીને ઘરે પરત આવી ત્યારે તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ખુશ્બુએ દરવાજો ખોલ્યો નહીં, ત્યારબાદ માતાએ પાડોશમાં ઘરની ચાવી હોવાને કારણે તેણે ચાવી લઈને ઘરનો દરવાજો ખોલ્યો હતો.
માતા ઘરમાં ગઈ અને જઈને એવું જોયું કે, જોતાની સાથે જ તે ચોકી ઉઠી હતી અને તેનો શ્વાસ અધર ચડી ગયો હતો. તે આઘાતમાં સરી પડી હતી અને તે બુમો પાડવા લાગી હતી. જેને કારણે પાડોશના લોકો તરત જ દોડીને ખુશ્બુના ઘરે આવ્યા હતા. તેમની માતાને શું થયું છે? તેમ પૂછે તે પહેલા દરેક પાડોશીના લોકોએ પણ એવું જોયું કે, જોતાની સાથે જ પાડોશીના લોકો પણ ચોકી ગયા હતા.
દરેક લોકોએ જોયું ખુશ્બુ પોતાના રૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી. ખુશ્બુએ લટકીને આપઘાત કરી લીધો હતો. જેના કારણે તરત પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી અને ખુશ્બુના પિતાને પણ આ સમાચાર આપવામાં આવ્યા હતા. દીકરીને આવા સમાચાર સાંભળીને પિતા તરત જ લાલસોટ પહોંચી ગયા હતા.
અને તેમની દીકરીએ આ પગલું શા માટે ભર્યું તેનો વિચાર કરીને રડી રહ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખુશ્બુના રૂમની તપાસ કરવામાં આવી હતી. તે સમયે એક કાગળ મળ્યું હતું, આ કાગળમાં ખુશ્બુએ અંતિમ નોટ લખી હતી. આ વાંચતાની સાથે જ પરિવારના લોકોના હોશ ઉડી ગયા હતા પોલીસનું કહેવું હતું.
કે ખુશ્બુએ તણાવમાં આવીને આ પગલું ભર્યું છે, કારણ કે અંતિમ નોટમાં લખ્યું હતું કે, ‘હું 95% થી વધુ ટકા લાવી શકું તેમ નથી અને હું ધોરણ 10 મા ખૂબ જ કંટાળી ગઈ છું, I am sorray’ લખ્યું હતું. માતા-પિતાને આ વાંચતાની સાથે જ આઘાત લાગી ગયો હતો. તેમની એકની દીકરી પરીક્ષા પહેલા આવું પગલું ભરી લીધો હતો.
અને દીકરીએ કાયમ માટે પોતાની જિંદગીને પતાવી દીધી હતી. રડીને બંને માતા પિતાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેમના નાનાભાઈ વારંવાર તેમની બહેન વિશે પૂછી રહ્યો હતો પરંતુ કોઈ પણ વ્યક્તિઓ જવાબ આપી શકતા ન હતા. શાળાના શિક્ષકોને પ્રિન્સિપાલને પણ આ વાતની જાણ થતા જ તેઓ પણ આઘાતમાં આવી ગયા હતા.
હોશિયાર વિદ્યાર્થીએ આવું પગલું ભરી લીધું હોવાને કારણે દરેક લોકો નિરાશ થઇ રહ્યા હતા. પોલીસને અંતિમ નોટ પરથી એવું લાગી રહ્યું હતું કે, વિદ્યાર્થી પર અભ્યાસનું દબાણ હતું, જેના કારણે તેમણે અંતિમ નોટ લખીને આપઘાતનું પગલું ભરી લીધું હતું. માતા-પિતાએ પોતાના બાળકો પર અભ્યાસનું દબાણ કરવું જોઈએ નહિ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]