અત્યારે કોની સાથે કઈ ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. અવારનવાર દરેક વિસ્તારોમાંથી એવા કિસ્સાઓ બનતા જોવા મળે છે કે જેના કારણે આજકાલ કોઈ પણ કામો કરતા પહેલા વિચાર કરવો જોઈએ. હાલમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. આ ઘટના લલિતપુરમાં આવેલા થાના બારના ખજરા ગામના રહેવાસી પરિવારના દીકરા સાથે બની હતી.
પરિવારમાં માતા-પિતા તેમજ બે ભાઈઓ, બહેનો અને સૌથી નાના ભાઈની પત્ની રહેતા હતા. પરિવારમાં રહેતા મોટાભાઈનું નામ રાજેશ છે અને તેમના પિતાનું નામ રમેશ છે. સૌથી નાના ભાઈનું નામ શૈલેષ હતું. તેમની ઉંમર 20 વર્ષની હતી. શૈલેષના 6 મહિના પહેલા લગ્ન કરાવવામાં આવ્યા હતા. પરિવારમાં બે ભાઈ અને બહેનમાંથી શૈલેષ સૌથી નાનો હતો.
શૈલેષ લગ્ન બાદ મજૂર તરીકે કામ કરતો હતો અને તે સાથે-સાથે અભ્યાસ પણ કરતો હતો. ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યો હતો. શૈલેષ મજૂરી કામ કરીને તેમના પરિવારને આર્થિક મદદ પણ કરતો હતો. એક દિવસ શૈલેષ અને તેમનો બિહારનો રહેવાસી મિત્ર કરણ તેમના ઘરની સામે આવેલી જળ જીવન મિશન હેઠળ નિર્માણાધીન પાણીની ટાંકી પર કોઈ કામ હોવાને કારણે ગયો હતો.
ઘરની એકદમ સામે જ આ પાણીની ટાંકી આવેલી હતી. ઘરના તમામ લોકોએ આ પાણીની ટાંકીનું કામ કરવાની ના પાડી હતી. છતાં પણ શૈલેષ અને તેમનો મિત્ર પાણીની ટાંકી પર કામ કરવા માટે ચડ્યા હતા. તેઓ લગભગ 100 ફૂટ ઉપર લાકડાના પાલખ લઈને ચડ્યા હતા. તે સમયે કરણ લાકડાનો પાલખ પકડીને ઉભો હતો.
અને શૈલેષ લાકડાના પાલખ પર ચડીને ટાંકી પર કોઈ કામ કરી રહ્યો હતો. અચાનક જ પાલખ મજબૂત ન હોવાને કારણે તૂટી ગયું હતું. પાલખ તૂટતા જ શૈલેષ 100 ફૂટ ઊંચાઈએ ચડ્યો હતો. ત્યાંથી નીચે પડી ગયો હતો અને કરણ વચ્ચે કોઈ પાઇપ આવી જવાને કારણે તે પાઇપ પકડીને અટકી ગયો હતો.
ત્યારબાદ શૈલેષનો નીચે પડવાનો અવાજ સાંભળતા જ પરિવારના અને ગામના આસપાસના લોકો તરત જ ટાંકી પાસે ભેગા થઈ ગયા હતા અને શૈલેશને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ઉપરથી પડતા શૈલેષનું માથું ફાટી ગયું હોવાને કારણે ડોક્ટરોએ હોસ્પિટલ પહોંચતા જ તેનું મૃત્યુ થઈ ગયાનું જાણ કરી હતી.
પરિવારમાં શૈલેષના મૃત્યુની જાણ થતાં જ શૈલેષની પત્ની પોતાની ભાન ભુલાવી બેઠી હતી. તે બેહોશ થઈ ગઈ અને તેમની બહેનો પણ ખૂબ જ રડી રહી હતી. શૈલેષ ની માતા રડીને પોતાની હાલત ખરાબ કરી નાખી હતી. પરિવારના સૌથી નાના દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં.
તરત જ શૈલેષ ના મોટાભાઈ રાજેશે પોલીસ સ્ટેશનમાં આ ટાંકીના કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના બાંધકામ હેઠળની પાણીની ટાંકી પાસે જાળી મૂકવામાં આવી ન હતી. જેના કારણે તેમણે પોતાના ભાઈએ બેદરકારીમાં જીવ ગુમાવ્યો છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]