મહેનતની કમાણી કરીને વસાવેલી દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું અને તેની સાર સંભાળ કરવી એ દરેક વ્યક્તિની ફરજ માં આવે છે, અમૃતભાઈ નામના વ્યક્તિ એ તેમના નવા બનાવેલા બંગલાની અંદર તેઓ રહેવા માટે ચાલ્યા ગયા હતા. તેઓ છેલ્લા બે મહિનાથી તેમના નવા બંગલાની અંદર રહેતા હતા..
પરંતુ એક દિવસ તેમની સાથે એવી ઘટના બની ચૂકી હતી કે, સમગ્ર સોસાયટીના લોકો તેમના બંગલા ઉપર એકઠા થઈ ગયા અને દરેક લોકો માથું ખંજવાળીને વિચારવા લાગ્યા હતા. આ ઘટના કેશવ નગર વિસ્તારની છે, અહીં અમૃતલાલના બંગલામાં છેલ્લા બે થી ત્રણ દિવસથી અતિશય દુર્ગંધ આવી રહી હતી..
પરિવાર આ બાબતથી ખૂબ જ હેરાન હતો કે, આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. જ્યારે તેઓએ તપાસ કરી તો ખબર પડી કે, તેમના બંગલાની અંદર નળમાંથી આવતા પાણીમાં આ દુર્ગંધ આવી રહી છે, અને પાણીનો કલર પણ જુદો છે. અમૃતલાલભાઈ તેમના પડોશમાં રહેતા વ્યક્તિને પણ આ બાબત વિશે પૂછપરછ કરી હતી..
તો તેઓએ જણાવ્યું કે, તેમના ઘરે પાણી બિલકુલ સ્વચ્છ આવી રહ્યું છે. અમૃતલાલભાઈએ વિચાર્યું કે, માત્ર તેમના જ કરે પાણીનો આ પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. એટલા માટે તેઓએ વિચાર્યું કે, પાણીના ટાંકામાં સાફ-સફાઈ કરાવી નાખીશું જેથી કરીને અંદર રહેલી અશુદ્ધિઓ દૂર થઈ જશે અને ત્યારબાદ સાફ પાણી આવવા લાગશે..
એટલા માટે તેઓએ પાણીના ટાંકાની સાફ-સફાઈ કરવાવાળા વ્યક્તિઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ઘરમાં આવેલા લોકો પાણીના ટાંકાની અંદર ઉતરી ગયા અને સાફ-સફાઈ કરવા લાગ્યા હતા, અંદર ઉતરતાની સાથે સફાઈ વાળા લોકોને અંદરથી એવું દ્રશ્ય દેખાયું કે, તેઓ ઉલટી કરતા કરતા તરત જ આ ટકામાંથી બહાર નીકળી ગયા..
અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા, ત્યારે અમૃતલાલ ભાઈએ નજર ફેરવીને જોયું તો પાણીના ટાંકાની અંદરથી કોઈ અજાણ્યા વ્યક્તિની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી, પાણીના ટાંકાની અંદર ખૂબ જ દુર્ગંધ મળતી હતી. અને પાણીનો કલર પણ બદલાઈ ગયો હતો, આ લાશ સડી જવાને કારણે પાણીની અંદર પણ ખૂબ જ દુર્ગંધ ભરી બદબૂ આવી રહી હતી..
ઘટનાને લઈએ ચારેકોર ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો, એવામાં અમૃતલાલભાઈ તરત જ પોલીસ સ્ટેશનને પણ માહિતી આપી દીધી કે, તેમના ઘરે પાણીના ટાંકાની અંદરથી કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે, આ ઉપરાંત આસપાસના પડોશીઓને આ વાતની જાણકારી મળતા જ તેઓ પણ અમૃતલાલભાઈના ઘર પાસે ઉમટી પડ્યા હતા..
પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી, આ લાશને બહાર કાઢવામાં આવી અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. તપાસ બાદ ખબર પડશે કે, આ લાશ કોઈ આ વ્યક્તિની છે. જ્યારે અમૃતલાલભાઈ ને આ બાબત વિશે પૂછપરછ કરવામાં આવી કે..
તમારા ઘરની અંદર રહેલા પાણીના ટાંકાની અંદર કોઈ અજાણી વ્યક્તિની લાશ મળી આવી છે, છતાં પણ તમે આ બાબતે બિલકુલ અજાણ છો, આ બાબત સૌ કોઈ લોકોને ખૂબ જ અજુગતી લાગતી હતી, અમૃતલાલભાઈએ જણાવ્યું કે, તેઓ આ મકાનની અંદર રહેવા આવ્યા તેના માત્ર બે જ મહિના વિદ્યાર્થીઓ છે..
આ ઉપરાંત તેઓ અઠવાડિયાની અંદર મંત્રી બે થી ત્રણ દિવસ જ પોતાના પરિવાર સાથે અહીંયા રહે છે, ત્યારબાદ તેમનો પરિવાર તેમના અન્ય મકાનની અંદર પણ રહેવા માટે જતો રહેતો હોય છે. આ સમય દરમિયાન નક્કી કોઈ વ્યક્તિએ તેમના ઘરે આ લાશને પાણીના ટાંકાની અંદર ધકેલી દીધી હશે..
આ ઘટનાને લઈને જ્યારે આગામી પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, તેમના પડોશમાં રહેતા વ્યક્તિએ જ સોસાયટીમાં રહેતા અન્ય વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને અમૃતલાલભાઈના પાણીના ટાંકાની અંદર લાશ ફેંકી દીધી હતી. જેથી તમામ દોષનો ટોપલો અમૃતલાલ ભાઈના માથા ઉપર આવી જાય..
પરંતુ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી તમામ ભાંડો ફૂટી ગયો હતો અને પડોશમાં રહેતો વ્યક્તિ પકડાઈ ચૂક્યો હતો. આ હોશ ઉડાવતી ઘટના સામે આવતા જ લોકોમાં માહોલ સર્જાઈ ગયો હતો, ઘટનાને લઇ અમૃતલાલભાઈ પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરંતુ અંતે તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો કે, આ ઘટનાનો અસલી ગુનેગાર પોલીસની ઝડપમાં આવી ચૂક્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]