અકસ્માતની ઘટનાઓ ઘણા બધા પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. પાછળના સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં અકસ્માતમાં પરિવારના જ કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય અને ત્યારબાદ રોકકળનો માહોલ સર્જાઈ જતો હોય છે. અત્યારે એક ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો..
અને એ વખતે જ ઘરની અંદર મોતનો માતમ પણ છવાઈ ગયો હતો. આ બનાવો લક્ષ્મીકાંત પાર્કની છે. આ સોસાયટીમાં કુલદીપ ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. તેમના એકના એક દીકરા પીન્ટુના લગ્ન લેવાયા હતા. લગ્ન પ્રસંગની અંદર તમામ મહેમાનો પણ આવી પહોંચ્યા હતા અને જુદી-જુદી વિધિઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી..
લગ્ન પ્રસંગની અંદર દરેક સગા સંબંધીઓને મહેમાનો સોળે કળાથી સજીને આવી પહોંચે છે. વરરાજા પીન્ટુની ચારેય સગી બહેનો તેના ભાઈના લગ્નને લઈને ખૂબ જ સુખ હતી. તેવો બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે તેમના ઘરથી અંદાજે 17 કિલોમીટર દૂર આવેલા એક ઓળખીતા વ્યક્તિને ત્યાં ગયા હતા..
તેઓ કાર લઈને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ તૈયાર થઈને તેમના ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમની કારનું ટાયર ફાટી ગયું હતું અને ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો હતો. કારનું ટાયર ફાટી જવાને કારણે કાર ફગોળાઈ ગઈ હતી અને નીચે રહેલા ખાડાઓમાં ઘસડાઈ જવાને કારણે કારની અંદર બેઠેલી ચારે સંગી બહેનોનું મૃત્યુ થઈ ગયું હતું..
સૌથી મોટી બહેને ગળામાં જે ઘરેણા પહેર્યા હતા, તે ઘરેણા માથામાં ઘૂસી જવાને કારણે લોહીની નદીઓ પણ વહેવા લાગી હતી. જે ઘરની અંદર શુભ પ્રસંગની ઘડી આવી પહોંચી હતી. તે ઘરની અંદર જ હવે એક સાથે ચાર અર્થીઓ ઊઠવા લાગતા મોતનો માતમ છવાઈ ગયો હતો. પરિવારજનોની રોકાણની સ્થિતિ જોઈને સૌ કોઈ લોકોને આંખમાં આંસુ આવી ગયા હતા..
કોઈપણ વ્યક્તિથી દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં, કારણકે જે ભાઈ ના લગ્ન માટે ચારે બહેનો આતુરતાથી રાહ જોઈને બેઠી હતી અને એ જ બહેનો હવે તેના સગા ભાઈના લગ્ન કરવા માટે જીવતી રહી નથી. આ બનાવએ ચારેકોર ચકચાર મચાવી દીધો હતો. માત્ર બે કલાકની અંદર જ એકના એક ભાઈની જાન લઈને જવાનું હતું..
પરંતુ એ પહેલા જ આ દુઃખની ઘડી સામે આવી જતા લગ્ન પ્રસંગનો માહોલ પણ નહીં અટકી પડ્યો હતો, કન્યા પક્ષના લોકોને પણ જ્યારે ખબર પડી કે, વરરાજાની સગી જ્યારે બહેનોનું મૃત્યુ થયું છે. ત્યારે તેઓ પણ દુઃખની આ ઘડીમાં પરિવારજનોને સંભાળવા માટે આવી પહોંચ્યા હતા..
પરિવારજનોની હાલત એટલી બધી ગંભીર બની ગઈ હતી કે, વરરાજાના પિતા તો ત્યાંને ત્યાં ઢળી પડ્યા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા પડ્યા હતા. વરરાજાની માતા પણ તેમની ચારેય દીકરીઓના મોતને લઈને ખુબ જ ભાંગી પડ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]