અત્યારના સમયમાં દેખાદેખીની રેસ ચાલી રહી છે. જો કોઈ નજીકનો વ્યક્તિ સારી લાઈફ સ્ટાઈલથી જિંદગી જીવતો હોય તો તેને જોઈને અન્ય વ્યક્તિઓ પણ જીવન ધોરણ ઊંચું લાવવા માટે મન ફાવે તેમ ખર્ચાઓ કરે છે. પરંતુ બીજાનું જીવન જોઈને મન ફાવે તેમ ખર્ચા કરતી પહેલા પોતાની કમાણી ઉપર એક વખત નજર કરવી જોઈએ..
જો કમાણી સારી હોય અને પરિવારની દરેક જરૂરિયાતો પૂરી થતી હોય તો બચેલા પૈસા માટે વાપરી શકાય છે, પરંતુ જો કમાણી જ ઓછી હોય તો મોજ શોખ ને પડતા મૂકીને સૌપ્રથમ પરિવારને સાચવવાની ફરજ પૂરી પાડવી જોઈએ. પરંતુ આ બાબતે અત્યારના સમયમાં ઘણા બધા લોકો સમજી શકતા નથી અને છેલ્લે તેમને પછતાવાનો વારો આવતો હોય છે..
પરિવારમાં જો પતિ અને પત્ની બંનેની પૈસા બાબતની સમજણ ખૂબ સારી હોય તો પરિવાર હંમેશા આગળ પ્રગતિ કરે છે. પરંતુ જો પાણીની જેમ પૈસા વાપરવામાં આવે તો પરિવારને બે પાંદડે થવામાં ખૂબ જ વાર લાગી જતી હોય છે. હાલ પોતાનાં મોજશોખ પૂરા કરવા માટે એક વ્યક્તિ એવી જાળમાં ફસાઈ ચૂક્યો હતો કે, અંતે તેને કશું સમજણ ન આવતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો..
પરંતુ તેના મિત્રો અને સગા સંબંધીઓની સુજબુજના કારણે તેને આ બાબત માંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે. આ ઘટનાને જાણ્યા બાદ સમાજના દરેક લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ ગયો છે કે, જેમાંથી દરેક લોકોએ શીખ લેવી જોઈએ, આ ઘટના શેઠની વાડીની પાછળના પ્લોટીંગમાં આવેલા પારસ પાર્કની છે.
આ સોસાયટીમાં પ્રફુલ સિંહ નામનો યુવક તેની પત્ની નીતુ સાથે રહે છે. જ્યારથી તેના લગ્ન નીતુ સાથે થયા છે. ત્યારથી જ નીતુ હંમેશા તેના પતિને કોઈને કોઈ બાબતને લઈ નીચો દેખાડવાની કોશિશ કરતી હતી. નીતુ એક પૈસાવાળા ઘરની દીકરી હતી. એટલા માટે તેના દરેકને પૂરા કરવા માટે બિચારો પ્રફુલ સિંહ ગમે ત્યાંથી પૈસા નું મેનેજમેન્ટ કરીને તેના પત્નીના શોખ પૂરા કરતા હતા..
તે એટલો બધો દેવામાં ડૂલી ગયો હતો કે, સમાજના લોકોને પોતાનું મોઢું દેખાડવા માટે પણ શરમ અનુભવી રહ્યો હતો. જ્યારે તેની પાસે બધા રસ્તા બંધ થઈ ગયા ત્યારે તેને તેના મિત્રોને વાત કરી હતી કે, તેની કમાણી ખૂબ ઓછી છે. અને તેના પત્નીના શોખ પૂરા ન કરે તો તેની પત્ની છુટાછેડા આપવાની ધમકીઓ આપી રહી છે..
એટલા માટે તેને સારું લગ્નજીવન પૂરું પાડવું ખૂબ જ જરૂરી બની ગયું છે. અને તેણે ઘણા બધા લોકો પાસેથી પૈસા ઉછીના લીધા છે. હવે એ લોકોને પૈસા પરત આપવા માટે તેની પાસે કશું બાકી બચ્યું નથી. ત્યારે તેના મિત્રોએ તેને થોડો ઘણો સપોર્ટ કર્યો હતો અને ત્યારબાદ તેણે તેમના પરિવારજનોને પણ જણાવ્યું કે મારી સાથે આ મોટી મુશ્કેલી બની ગઈ છે..
જેમાંથી હવે હું બહાર નીકળવા માંગું છું. કારણ કે આ મુશ્કેલીમાં દિન પ્રતિદિન મારું મગજ ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે. તેના કુટુંબીજનોએ તેને સાથ સહકાર આપ્યો અને તેને આ મુસીબતમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની પત્ની સાથે સમજણ કરાવી આપી હતી કે, જો સુખી લગ્ન જીવન જીવવું હશે તો પછી એને પત્ની બંનેનો સાથ સહકાર હોવો જરૂરી છે..
મન ફાવે તેવી રીતે કમાણી વગરના પૈસા વાપરવાથી ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ જોયા બાદ નીતુ પણ બધું સમજી ચૂકી હતી. હાલ પરિવાર રાજી ખુશીથી જીવન જીવી રહ્યો છે. આ ઘટનાને લઈને ચારે કોર ચકચાર મચી ગયો હતો. પરિવારને ચલાવવામાં પતિ અને પત્ની બંનેની સમજણ સારી હોવી ખુબ જ જરૂરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]