Breaking News

પૈસા ઉછીના લાવીને પિતાએ દીકરીના લગ્ન ગોઠવ્યા અને દીકરીએ લગ્ન પહેલા જ કરી નાખ્યું એવું કે પરિવારની ઈજ્જત ગઈ કાંકરા સમાન બની ગઈ…!

જેમ-જેમ દીકરા અને દીકરીઓ મોટા થતા જાય છે. તેમ તેમના મા બાપને તેમની ખૂબ જ ચિંતા વધી જાય છે. કારણ કે ઉંમર વધતાની સાથે સાથે તેમને લગ્ન કરાવીને તેમનું લગ્ન જીવન સુખી રહે તેવી પણ આશા રાખવી પડે છે. મોટાભાગના મા-બાપ તેમના દીકરા અને દીકરીઓને લગ્નના સમયેએ સારી શિખામણો આપીને કહે છે કે, નાની નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે..

પરંતુ અત્યારે એક દીકરીએ તેના પિતાની કોઈપણ પરિસ્થિતિનો ધ્યાન રાખ્યા વગર જ પરિવાર સાથે એવું કામ કરી નાખ્યું છે કે, બિચારો પરિવાર ખૂબ જ આઘાતમાં ચાલ્યો ગયો છે. 20 વર્ષની શીતલ નામની જુવાન દીકરીના લગ્ન તેના પિતાએ તેમના બાજુના ગામમાં રહેતા ધનસુખ નામના યુવક સાથે નક્કી કરી નાખ્યા હતા..

શીતલના પિતા ડ્રાઇવિંગનું કામકાજ કરીને જે પૈસા કમાય તેનાથી ઘર ચલાવતા હતા. પરિવાર ખૂબ જ ગરીબ હોવાને કારણે પરિસ્થિતિ ખરાબ હતી. શીતલના લગ્ન કરવા માટે શીતલના પિતા પ્રતાપભાઈએ તેમના ગામના એક કરોડપતિ શેઠ પાસેથી ₹2,00,000 ઉછીના લીધા હતા..

પરંતુ લગ્ન શરૂ થાય એ પહેલા જ શીતલે એવું કારનામું કરી નાખ્યું છે કે, પ્રતાપભાઈની સાથે સાથે સમગ્ર પરિવાર અત્યારે ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે. પરિવારજનોએ લગ્ન પ્રસંગ ગોઠવી નાખ્યો હતો, તેમાં મહેમાનોને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું હતું અને માત્ર બે દિવસની અંદર જ જાન ઘરે પહોંચવાની હતી..

એ પહેલા જ સાંજના સમયે શીતલે ઘરમાં તેના પિતાએ મુકેલા બે લાખ રૂપિયા રોકડા તેમજ તેની માતા અને તેના ભાભીના પાંચ તોલા સોનાના તેમજ બે કિલો ચાંદીના ઘરેણા લઈને તે ગાયબ થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે પરિવારજનો એ ઘરમાં જોયું તો શીતલનો ક્યાંથી અતો પતો ન દેખાતા પરિવારજનો ખૂબ જ હચમચી ઊઠ્યા હતા…

કારણકે બે દિવસ બાદ તેમના ઘરે જાન પરણવા માટે આવવાની હતી અને હવે શીતલ ક્યાંયથી દેખાઈ ન આવતા સૌ કોઈ લોકોને ચિંતા થવા લાગી હતી. શીતલના પિતા વિચારવા લાગ્યા કે, જો શીતલ બે દિવસની અંદર ઘરે પરત નહીં આવે તો લગ્ન પ્રસંગ અટકી પડશે. તેમજ જાન લઈને આવતા લોકોની સામે તેમની ઈજ્જતના કાકરા થઈ જશે..

અને હકીકતમાં એવું જ થઈ ગયું હતું. કારણ કે બે દિવસ સુધી શીતલનો કોઈપણ અતો પતો લાગ્યો નહીં. તે ઘરેથી બધી જ ચીજ વસ્તુઓ લઈને ભાગી ગઈ હતી. તે ક્યાં ગઈ છે..? કોની સાથે ગઈ છે..? અને કઈ હાલતમાં છે..? તેની કોઈ પણ જાણકારી હજુ સુધી પરિવાર પાસે પહોંચી હતી નહીં..

એટલા માટે શીતલના પિતા પ્રતાપભાઈ તરત જ પોલીસ પાસે ગયા અને ત્યાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે, તેમની દીકરી ઘરેથી ચોરી કરીને જતી રહી છે. અને ક્યાં ગઈ છે, તેની કોઈ પણ જાણકારી મળી નથી. અત્યારે આ પરિવાર ખૂબ જ દુઃખમાં છે. બિચારા પિતાએ પેટે પાટા બાંધીને તેનો ઉછેર કર્યો હતો. અને ગામમાંથી પૈસા ઉછીના લાવીને તેના લગ્ન પ્રસંગ યોજ્યા ત્યાં પરંતુ આ દીકરી એક પણ વાર તેના પિતાનો વિચાર કર્યો નહીં અને ઘર મૂકીને ભાગી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *