જે લોકો ખૂબ જ મોટા વેપાર અને કારોબાર સાથે જોડાયેલા હોય તેઓએ તેમના ઘરે તિજોરી પણ રાખે છે. કારણ કે આ તિજોરીની અંદર ધંધાકીય ચીજ વસ્તુઓનું જોખમ ભરવામાં મદદરૂપ બને છે. મોટાભાગે જ્યારે કોઈ ઘરની અંદર ચોરી થાય છે. ત્યારે તિજોરી જેવી ચીજ વસ્તુઓને નિશાની બનાવીને તેને તોડ્યા બાદ અંદરથી તમામ કિંમતી ચીજ વસ્તુ અને પૈસા ચોરી કરી ભાગી છુટતા હોય છે..
પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારની ચોરીની ઘટના વગર જ તિજોરી ખોલતા એક કરોડપતિ શેઠને માથે હાથ દઈને રોવાનો વારો આવી ગયો હતો. આ ઘટના રામેશ્વર સોસાયટીની છે, આ સોસાયટીમાં એક બંગલાની અંદર હરિપ્રસાદ ભાઈ નામના એક કરોડપતિ શેઠ તેના પરિવાર સાથે રહે છે..
હરિપ્રસાદ ભાઈને ઓઇલ બનાવવાની એક મિલ ચાલી રહી છે. આ ઉપરાંત તેમના દીકરા પણ વિદેશમાં ખૂબ જ સારો વ્યવસાય ચલાવી રહ્યા છે. પરંતુ એક દિવસ અડધી રાત્રે તેમની ઊંઘ ઉડાડી દે તે પ્રકારનો એક કિસ્સો તેમના ઘરે જ બની જવા પામ્યો હતો. સાંજના સમયે પોતાની ઓઇલ મિલેથી પરત આવ્યા બાદ હરિપ્રસાદ શેઠ તેની પત્ની સાથે ભોજન લઈને તેમની રૂમની અંદર સૂઈ ગયા હતા..
તેમના જ રૂમમાં એક લોખંડની તિજોરી તેઓ રાખતા હતા. જેની અંદર તેઓ તેમની પત્નીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા પણ સાચવતા હતા. અડધી રાત્રે આ તિજોરીની અંદરથી અચાનક જે ખળભળાટનો અવાજ આવા લાગ્યો હતો. આ અવાજ સાંભળતા જ હરિપ્રસાદ નામના આ કરોડપતિ શેઠની ઊંઘ ઊડી ગઈ અને તેઓએ તરત જ તેમના રૂમની અંદર લાઈટ શરૂ કરીને તિજોરીનો લોક ખોલીને અંદર જોવાની કોશિશ કરી હતી..
કે આ ખળભળાટનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે, તેમણે તેમની પત્નીને પણ જગાડીને આ ઘટનાની અંદર તેમનો સાથ સહકાર આપવાનું જણાવ્યું હતું. તેમની પત્નીને તો ડર લાગવા લાગ્યો કે, આવો ખળભળાટનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. હરિપ્રસાદ ભાઈએ જીગર નાખીને તિજોરીનો લોક ખોલી નાખ્યો હતો અને અંદરથી જે દેખાયું છે..
તે જોઈને તેવો માથે હાથ દઈને રોવા લાગ્યા હતા કારણ કે, આ તિજોરીની અંદર મુકેલા તમામ રોકડ રૂપિયાને ઉંદરડા કોતરી ગયા હતા. તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે આટલી મોટી રકમની નોટને શા માટે ઉંદર હોય એ કોતરી નાખી હશે. તેઓએ જોવાની કોશિશ કરી કે ઉંદરે ક્યાંથી આ તિજોરીની અંદર પ્રવેશ કર્યો છે..
ત્યારે તેમને દેખાયું કે તિજોરીની પાછળના ભાગેનું પતરું કાટખાઈ ગયેલું હોવાથી તે કપાઈ ગયું હતું અને ત્યાંથી ઉંદરોએ આ તિજોરી ની અંદર પ્રવેશ કરી લીધો અને અંદર રહેલા રોકડ રૂપિયા અને કોતરી નાખ્યા હતા. તેમની પત્નીના ઘરેણા તેઓએ તરત જ બહાર કાઢી નાખ્યા હતા. જ્યારે અંદર રહેલી પૈસાની નોટ કપાઈ ગયેલી હાલતમાં તેમને મળી આવી હતી આ તમામ નોટ હવે તેમના માટે વ્યર્થ બની ગઈ હતી..
જ્યારે આ ઘટનાની જાણકારી તેઓએ નજીકના પાડોશીઓને આપી ત્યારે હરિપ્રસાદ ભાઈની સફળતાથી બળતરા થયેલા પડોશીઓ કહેવા લાગ્યા કે, નક્કી હરીપ્રસાદ ભાઈની આ કાળી કમાણી હશે. એટલા માટે તેમને નસીબ થઈ નથી અને અંતે કુદરતે તેમને બરાબરનો જવાબ આપ્યો છે અને ઉંદરડાએ તેમના રહેલા અનીતિના રૂપિયાને કોતરી નાખ્યા છે.
દરેક લોકો જુદી-જુદી વાતચીતો કરવા લાગ્યા હતા. પરંતુ આ ઘટના આટલી બધી રહસ્યમય જનક સાબિત થઈ છે કે, જેની ન પૂછો વાત. સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે, બિચારા હરિપ્રસાદ ભાઈના કેવા નસીબ હશે કે તેમને એક પણ રૂપિયો આ તિજોરીની અંદરથી નસીબ થયો નથી અને ઉંદરઓએ તમામ રૂપિયાની નોટોને કોતરી નાખી છે..
આ અગાઉ પણ એક આવી જ ઘટના સામે આવી હતી કે, જેમાં એક દીકરીના પિતાએ તેની દીકરીના લગ્ન માટે સાચવેલા એક રૂપિયાની ડબ્બા પેટડીની અંદર મૂક્યા હતા. પરંતુ આ ડબા પેટડીની નીચેના ભાગેથી ઉંદરઓએ પ્રવેશ કરીને અંદર રહેલા રૂપિયાની તમામ નોટોને કોતરી નાખી હતી..
એ દીકરીનો પરિવાર એકદમ મધ્યમ વર્ગીય પરિવાર હતો, જે પોતાના કામથી કામ રાખીને જીવન જીવીને ખુશ રહેતો હતો. અને એ પરિવાર સાથે જ આવી ઘટના બની જતા એ વખતે સૌ કોઈ લોકોએ દુઃખની લાગણી પણ વ્યક્ત કરી હતી. પરંતુ અહીં હરિપ્રસાદ ભાઈ કરોડપતિ શેઠ છે. છતાં પણ તેઓ આ રૂપિયા નષ્ટ થઈ જવાને કારણે ખૂબ જ દુઃખી થયા છે અને માથે હાથ દઈને રડવા લાગ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]