એક જ પરિવારમાં રહેતા લોકો સાથે ક્યારે શું બની જાય તે કહી શકાતું નથી. એકસાથે લોકો પોતાના જીવ કોઈ આકસ્મિક ઘટના બનતા ગુમાવી રહ્યા છે પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જેમાં સગી ત્રણ બહેનો પરિવારથી દૂર થઈ હતી. આ ઘટના મધ્યપ્રદેશના ગઢ વિસ્તારના લાલગાંવ ચોકી પાસે આવેલા કોલાઈ ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી.
પરિવારના યુવકનું નામ શિવકુમાર સાકેત છે. તેઓ પોતાના પરિવાર સાથે શહેરના ઈંટોરામાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહે છે. પતિ-પત્ની મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 4 દીકરીઓ અને દીકરો છે. ચાર દીકરીઓમાં મોટી દીકરીની ઉંમર 18 વર્ષની હતી.
તેનું નામ રેશું સાંકેત હતું. બીજી દીકરીનું નામ રન્નુ સાકેત હતું. તેમની ઉંમર 16 વર્ષની હતી અને ત્રીજી દીકરીનું નામ રેશમા સાકેત હતું. તેની ઉંમર 13 વર્ષની હતી અને તેનાથી એક નાનો ભાઈ છે. ત્રણેય બહેનો પરિવારમાં ખુશી ખુશી રહેતી હતી. શિવકુમારને પણ ત્રણ બહેનો ઘણા કામોમાં મદદ કરતી હતી. જેના કારણે તેઓનું પરિવારનું આર્થિક ગુજરાત ચાલતું હતું.
શિવકુમાર અને તેની પત્ની એક દિવસ કામ માટે બહાર ગયા હતા. ઘરમાં ત્રણ દીકરીઓ અને દીકરો હતા. માતા પિતાએ મોટી દીકરીને તેમના ભાઈ-બહેનને સાચવવાનું કહ્યું હતું. ત્રણેય બેહનો ઘરનું કામ બાકી હોવાને કારણે કામ કરીને દરરોજ તેઓ રીવા ઘાટ પર કપડાં ધોવા માટે જતી હતી.
તેઓ દરરોજની જેમ ત્રણેય બહેનો સાથે મળીને રીવામાં કેનાલ પાસે કપડાં ધોવા માટે ગઈ અને તે સમયે નાની બહેન પાણીમાં નાહી રહી હતી અને મોટી બંને બહેનો કપડાં ધોઈ રહી હતી. જેના કારણે નાની બહેન રેશ્માને નાતા સમયે પગ લપસી ગયો હતો અને પગ લપસી જતા તે ઊંડા પાણીમાં જતી રહી હતી. નાની બહેનને ડૂબતી જોઈને રેશું અને રેનનું બંનેએ પાણીમાં કૂદકો માર્યો હતો.
અને નાની બહેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ત્રણે બહેનો ઊંડા પાણીમાં જતી રહી હોવાને કારણે બહાર આવી શકી નહીં. જેના કારણે ત્યાંથી પસાર થતાં એક યુવકની નજર કેનાલમાં ત્રણેય બહેનો ડૂબી રહી હતી. તેના પર પડી હતી. તેઓ તરત જ બૂમાબૂમ કરીને કેનાલ પાસે દોડી આવ્યા હતા અને તેઓએ ત્રણે બહેનોને બચાવવાની ખૂબ જ કોશિશ કરી..
પરંતુ ત્રણે બહેનનો ડૂબી જવાથી પાણીમાં જતી રહી હતી. તરત જ યુવકે એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણે બહેનોને પાણીમાંથી શોધવાની તપાસ ચાલુ કરી હતી. ગામના સૌ કોઈ લોકો ભેગા થઈ ગયા હતા અને તેમના માતા-પિતા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પાણીમાંથી ત્રણે બહેનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય બહેનોના મૃતદેહ જોઈને જ માતા-પિતા આઘાતમાં ઢળી પડ્યા હતા. દીકરીઓની માતા પોતાનું ભાન ભુલાવી બેઠી હતી. અચાનક તેમની દીકરીઓ સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. એકસાથે એક જ ઘરની દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા આવ્યા હતા. જેના કારણે સૌ કોઈ લોકો શોકમાં આવી ગયા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]