આજકાલના સમયમાં ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી. જે વ્યક્તિ સાથે આપણે ઘણા વર્ષોનો સમય વિતાવ્યો હોય આખરે તે જ વ્યક્તિ આપણને દગો આપીને પણ જતો રહે અને આપણને ખબર રહેતી નથી. એવી ઘણી બધી ઘટના પાછળના સમયમાં સામે આવી ચૂકી છે અને અત્યારે વધુ એક હચમચાવી દેતી ઘટના ગતિયાના વાડા પાસેથી સામે આવી છે..
અહીં આવેલી કુમકુમ નગર વિલા સોસાયટીમાંથી અતિશય ચોંકાવી દેતી ઘટના સામે આવી છે. આ સોસાયટીના મકાન નંબર 45 માં વિશાલભાઈ નામના એક કાપડના વેપારી રહે છે. વિશાલભાઈના પરિવારમાં તેમના માતા પિતા તેમની પત્ની ઉર્મિલા તેમનો આઠ વર્ષનો દીકરો રોનક તેમજ તેમની બાર વરસની દીકરી આધ્યાનો સમાવેશ થાય છે..
છેલ્લા કેટલાક સમયથી વિશાલભાઈને તેમની પત્ની ઉર્મિલા ઉપર શંકા જવા લાગી હતી કે, ઉર્મિલા પરિવારના સભ્યોનું ધ્યાન રાખતી નથી અને અન્ય કોઈ વ્યક્તિના ગાઢ સંપર્કમાં છે. પરંતુ તેઓ આ શંકા ને ક્યારેય પણ તેમની પત્નીની સામે રજૂ કરી શક્યા નહીં. પરિણામે એક દિવસ તેમની પત્ની એવો ખેલ ખેલી નાખ્યો કે, સમગ્ર પરિવારના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા..
વિશાલભાઈ મકાન નંબર 45 માં રહેતા હતા. જ્યારે તેમની બાજુના મકાન નંબર 46માં વિશાલ ભાઈના મિત્ર ધનરાજભાઈ તેમના પરિવાર સાથે રહે છે. બંને એકબીજાના મિત્ર હોવાથી ધનરાજભાઈ અવારનવાર વિશાલભાઈ ના ઘરે આવી પહોંચતા હતા. અને એ સમય દરમિયાન જ ધનરાજભાઈ તેમજ વિશાલભાઈની પત્ની ઉર્મિલા બંને એકબીજાને મનોમન પસંદ કરવા લાગ્યા અને તેઓ એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા હતા..
આ ઘટનાની જાણકારી અન્ય કેવી વ્યક્તિને હતી નહીં. તેવો છેલ્લા કેટલાક સમયથી તો રંગરેલીયા પણ વિતાવવા લાગ્યા હતા. એક દિવસ સાંજના સમયે વિશાલભાઈની પત્નીએ પરિવારના સભ્યો સાથે ભોજન લેવાનો ઇન્કાર કર્યો હતો અને તેને ભૂખ નથી તેવું જણાવી દીધું હતું. પરિવારના દરેક સભ્યોએ જમી લીધું અને ત્યારબાદ તેઓ સુઈ ગયા હતા..
પરંતુ ધીમે ધીમે તેમની આંખો એવી રીતે ઘેરાવા લાગી કે સમગ્ર પરિવાર બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ ઉર્મિલાએ તેના પડોશમાં રહેતા ધનરાજને પોતાના ઘરે બોલાવ્યો અને વિશાલની તિજોરીમાંથી રાખેલા રૂપિયા તેમજ ઉર્મિલાના સોના ચાંદીના ઘરેણા અને તેના સાસુ-સસરાના પણ બચાવેલા રૂપિયા એક થેલામાં ભરી ઉર્મિલા તેના પડોશમાં રહેતા ધનરાજ નામના યુવક સાથે ભાગી ગઈ હતી..
બીજા દિવસે સવારે જ્યારે પરિવારજનો બપોરના સમયે ભાનમાં આવ્યા ત્યારે તેઓએ જોયું તો સમગ્ર ઘર માં સામાન વેર વિખેર થઈ ગયો હતો અને ઘરની અંદરથી ઉર્મિલા ગાયબ હતી. તો તેમના બાજુના ઘરમાંથી ધનરાજનો પણ કોઈ પણ અતો પતો મળ્યો નહીં, વિશાલભાઈ તરત જ ધનરાજના ઘરે પહોંચી ગયા અને તેના પરિવારના સભ્યોને જણાવવા લાગ્યા કે, શું તેઓને આ બંને વ્યક્તિની કોઈ પણ જાણકારી છે કે નહીં..?
ત્યારે ધનરાજની પત્નીએ પણ જણાવ્યું કે, તેમને ઘણા સમયથી ધનરાજ તેમજ ઉર્મિલા ઉપર શંકા જતી હતી. પરંતુ તેઓએ સંબંધ બગડી જવાની બીક રાખીને ક્યારેય આ ઘટનાની વાતચીત ખુલાસે કરી નહીં, જ્યારે બંનેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે હવે આ બંને વ્યક્તિએ એક નવું ઘર વસાવા નું મન બનાવી લીધું છે..
અને હવે તેઓ ક્યારે અહીં પરત આવવાના નથી. તેઓ ક્યાં છે..? તેનો હજુ સુધી પણ કોઈ પણ હતો પતો લાગ્યો નથી. જ્યારે આ ઘટના બની ત્યારે વિશાલભાઈના માતા પિતા તો કહેવા લાગ્યા કે આ કેવી વહુ તેમને ભટકાઈ ચૂકી છે કે, જેણે તેના એક દીકરો અને એક દીકરીને પડતા મૂકીને ઘર ભાંગીને બીજા યુવકની સાથે ભાગી ગઈ છે..
ઉર્મિલાએ સમગ્ર પરિવારજનોનું નાક કપાવી નાખ્યું હતું, તો બીજી બાજુ ઈજ્જતના તો કાંકરા થઈ ગયા હતા. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે સામાન્ય વ્યક્તિના પણ મગજ કામ કરતાં બંધ થઈ જતા હોય છે. હકીકતમાં આ ઘટનાએ ચકચાર મચાવી દીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]