શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ચોકાવનારા બનાવો બની રહ્યા છે, જેમાં ગામમાં રહેતા લોકો તેમનું કોઈ કામ હોવાને કારણે બીજા ગામ જતા હોય છે અને તેઓ પોતાનું ઘર બંધ કરીને જાય ત્યારે હંમેશા તેઓ તેમના પાડોશીઓને ભલામણ કરીને જાય છે. કારણ કે ઘર બંધ રહેતા તેમના ઘરનું ધ્યાન રાખવાનું કહેવવામાં આવે છે.
પરંતુ ક્યારેક તેઓનું ધ્યાન ન રહેતા એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જાણીને દરેક લોકોએ સાવચેતીને રહેવું જોઈએ. આ ઘટના કુરવાડ ગામમાં બની હતી. આ ગામમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બંને દીકરા રાજીખુશીથી રહે છે. પરંતુ બંને દીકરા મોટા થઈ જતાં તેઓને ભણવા માટે ઇન્દોર મોકલવામાં આવ્યા હતા.
અને બંને દીકરા ઈન્દોરમાં જ નોકરી કરે છે. તેઓ સારી એવી નોકરી કરીને તેમના પિતાને આર્થિક મદદ કરતા હતા. ગામમાં રહેતા યુવકનું નામ મનોહર સિંહ છે. તેઓ પોતાની પત્ની સાથે રહેતા હતા. પતિ-પત્ની બંને દીકરા ઈન્દોર નોકરી માટે જવાને કારણે એકલા જ રહેતા હતા પરંતુ તેઓની કોઈ કામ હોવાને કારણે તેઓ બહારગામ ગયા હતા.
મનોહર ભાઈની પત્ની પણ તેમના નજીકના ગામમાં ગઈ હતી. મનોહરભાઈ ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. બંને પતિ-પત્ની ઘરની બહાર જતા તેઓએ ઘરને તાળું માર્યું હતું અને ઘરમાં કોઈ નહોતું જેના કારણે પોતાના પાડોશીઓને ઘરનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી હતી પરંતુ ઘર બંધ છે તેમ લુંટેરાઓને જાણ થતા તેઓ મનોહરભાઈના ઘરમાં ઘૂસ્યા હતા.
ઘરમાં તમામ સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો. ઘરમાં રહેલા 70,000 રોકડા, બે સોનાના હાર, એક સોનાનું પેંડલ, 2 ચાંદીના પાયલ, 4 ચાંદીના સિક્કા લઈ ગયા હતા અને તેઓ જે રસ્તેથી આવ્યા હતા તે રસ્તે જ બહાર નીકળી ગયા હતા. ગામમાં આસપાસના ઘરમાં કોઈને પણ જાણ થઇ ન હતી. ત્યારબાદ મનોહરભાઈ પોતાના ઘરે આવતા તેમણે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું.
જેના કારણે તેઓ ઘરમાં બધો સામાન જેમતેમ જોઇને તે જગ્યા પર બેસી ગયા હતા અને માથે હાથ મૂકીને રડવા લાગ્યા હતા. તે સમયે આસપાસના લોકો તેમના ઘરે પહોંચ્યા હતા અને પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘરે પહોંચી હતી અને તમામ તપાસ કરી હતી. તેમના બંને દીકરાને પણ ઘરમાં ચોરી થયાની જાણ કરવામાં આવી હતી..
આ ગામમાં ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે. ઘણી વખત ઈલેક્ટ્રીક થાંભલા પરથી ખેતરોમાં જે વાયરો પસાર થઈ રહ્યા છે તે વાયરોની ચોરી થાય છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે તેઓની ખેતી કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. જેના કારણે પોલીસને ખબર આ ઘટનાની જાણ કરવામાં આવી છે.
પોલીસ મનોહર ભાઈના ઘરે લૂંટ કરવા આવેલા લુટેરાઓની તપાસ કરી રહ્યા હતા. મનોહરભાઈ અને તેમની પત્નીએ પોતાની કમાણીનો એક એક પૈસા ભેગો કરીને સોનાના દાગીના બનાવ્યા હતા પરંતુ ચોરી થઈ જતા તેઓને માથે હાથ મૂકીને રોવાનો વારો આવી ગયો હતો. તેમના પર મુશ્કેલી આવી પડી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]