રોજબરોજના સમાચાર વાંચતાની સાથે જ આપણે વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ કે કેટલાક લોકો માટે તો અન્ય વ્યક્તિઓના જીવ લેવા સાવ સામાન્ય વાત થઈ ચૂકી છે. નાની અમથી બાબતોમાં પણ મામલો આટલો બધો આગળ વધી જતો હોય છે કે, જેમાં કોઈને કોઈ વ્યક્તિના જીવ જતા હોય છે..
જ્યારે પણ હવે આપણે કોઈના જીવ જવાની વાતો સાંભળવી છે, ત્યારે આપણું મગજ પણ બે ઘડી કામ કરતું બંધ થઈ જતું હોય છે. અત્યારે માત્ર એક જ સોસાયટીની અંદરથી ચાર લોકોના જીવ ખેંચાઈ જવાનો મામલો સામે આવતાની સાથે સમગ્ર સોસાયટીમાં હલ્લો મચી ગયો હતો, આ ઘટના નવજીવન ચોક પાસે આવેલી અમરાવતી કોલોનીની છે..
આ કોલોનીની અંદર લક્ષ્મણભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, લક્ષ્મણભાઈના પડોશમાં નરોત્તમદાસ ભાઈ પણ તેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે, નરોત્તમદાસભાઈનો જીવ ખૂબ જ ટૂંકો હતો, તે હંમેશા કોઈને કોઈ ચીજ વસ્તુઓ મેળવી તેમજ છીનવી લેવાની વૃત્તિ ધરાવતા હતા..
પણ તે લક્ષ્મણદાસ ભાઈના પરિવાર સાથે ખૂબ જ પારિવારિક રીતે જીવન જીવતા હતા, તેઓ અવારનવાર લક્ષ્મણદાસ ભાઈને તેમના સમગ્ર પરિવારની સાથે તેમના ઘરે જમવા માટે પણ બોલાવતા હતા, એક દિવસ તેઓએ તેમના રહેતા લક્ષ્મણદાસ ભાઈ ને પોતાના ઘરે થેપલા અને ખીર જોવા માટે બોલાવ્યા હતા..
પરિવારમાં તેમના પત્ની તેમજ તેમનો દીકરો અને તેમની દીકરીનો પણ સમાવેશ થતો હતો, એક જ પરિવારના ચાર વ્યક્તિ તેમના પડોશી એ આમંત્રણ આપીને થેપલાને ખીર ખાવા માટે બોલાવ્યા હતા. આ ભોજન લેવા માટે તેઓ તેમના પડોશમાં નરોત્તમદાસભાઈના પરિવારના ઘરે પહોંચી ગયા હતા..
બિચારા પરિવારને એવી તો શી ખબર કે, નરોત્તમદાસ એટલી હદ સુધી નીચે ઉતરી ગયો છે કે તેના જીવ પણ લઈ લેશે. નરોત્તમદાસ ભાઈ ને ખબર હતી કે લક્ષ્મણદાસભાઈની વર્ષો જૂની જમીનની બાજુમાંથી હાઇવે નીકળતો હોવાને કારણે જમીન કરોડો રૂપિયાની બની ચૂકી છે, લક્ષ્મણદાસ ભાઈએ થોડા સમય પહેલા જ આ જમીનને વહેંચવા માટે હરાજીઓ શરૂ કરી હતી..
કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આ જમીનને ખરીદવા માટે ઘણા બધા લોકોએ પડાપડી બોલાવી દીધી પરંતુ જે કોઈ પણ વ્યક્તિ પાંચ કરોડની ઉપર બોલી લગાવશે તે વ્યક્તિને જ આ જમીન વહેંચવામાં આવશે, તેવું લક્ષ્મણદાસ ભાઈઓ જણાવ્યું હતું. આ જમીનના કાગળિયાઓ લક્ષ્મણદાસભાઈના ઘરે હતા..
આ ઉપરાંત પહેલેથી જ વૈભવશાળી પરિવાર હોવાને કારણે તેમની પાસે ઘણી બધી હીરા ઝવેરાત અને સોના ચાંદીના દાગીના પણ હતા. નરોતમદાસભાઈની નજર લક્ષ્મણદાસ ભાઈની સંપત્તિ ઉપર હતી, પરંતુ આ વાત લક્ષ્મણદાસ ભાઈ સમજી શક્યા નહીં. તેઓ તેમના પડોશમાં થેપલાની ખીર ખાવા માટે ગયા હતા..
દરેક પરિવારના સભ્યોએ પેટ ભરીને થેપલાને ખીર જમ્યા હતા, આ ખોરાક ખાતાની સાથે જ અડધી કલાકમાં લક્ષ્મણદાસભાઈ તેમની પત્ની તેમજ તેમનો મોટો દીકરો અને નાની દીકરી સહી ચારે વ્યક્તિ ધીમે ધીમે ઢળી પડવા લાગ્યા હતા અને તેમને ઝેરની અસર શરૂ થઈ જતાની સાથે એક જ સાથે ચારે ચાર વ્યક્તિઓનો જીવ ખેંચાઈ ગયો હતો..
આ ચારેય વ્યક્તિનું મૃત્યુ થઈ ગયા બાદ નરોત્તમદાસભાઈ લક્ષ્મણ દાસના ખીચામાંથી ઘરની ચાવી લઈને તેના ઘરે પહોંચી ગયા અને ત્યારબાદ તમામ સંપત્તિના કાગળિયાઓ તેમજ હીરા જડિત સોના ચાંદીના દાગીના પણ મેળવીને તેમના ઘરે આવી પહોંચ્યા હતા, અને ત્યારબાદ નરોત્તમદાસ તેમના પરિવારના સાથે લઈને ત્યાં રફુચક્કર થઈ ગયો હતો..
બીજા દિવસે સવારના સમયે જ્યારે સોસાયટીના લોકોએ લક્ષ્મણદાસનું ઘર ખાલી જોયું ત્યારે તેમને શંકા ગઈ કે, એક જ સાથે ઘરના ચાર વ્યક્તિઓ ક્યાં ચાલ્યા ગયા હશે. તેમજ નરોત્તમદાસભાઈ અચાનક જ તેમના પરિવારની સાથે ક્યાં જઈ રહ્યા હશે, તે વિચારવા લાગ્યા હતા. જ્યારે સોસાયટીમાં વાસ આવવા લાગી અને રહીશોએ આ વાસ ક્યાંથી આવી રહી છે..
તેની તપાસ મેળવી ત્યારે ખબર પડી કે, આ દુર્ગંધ નરોત્તમદાસ ભાઈના ઘરેથી આવી રહી છે. ઘરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો અને જોયું તો અંદર તેમના પડોશમાં રહેતા લક્ષ્મણદાસ ભાઈ તેમની પત્ની તેમનો મોટો દીકરો અને નાની દીકરી સહીત કુલ ચાર વ્યક્તિઓની લાશ મળી આવી હતી..
અને આ લાશ દુર્ગંધ મારી રહી હતી. આસપાસના પડોશી આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને આપી હતી, પોલીસ તેમની ટીમને સાથે લઈને ઘટના સ્થળે તપાસ માટે પહોંચી ગયા હતા. આ ચાર વ્યક્તિઓની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી ત્યારે ખબર પડી કે તેમને કોઈ ખોરાકની અંદર ઝેર મેળવીને પીવડાવી દેવામાં આવ્યું છે..
જેના કારણે આ ચારેય વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે લક્ષ્મણ દાસભાઈના ઘરે તલાસી મેળવવામાં આવી ત્યારે તેમના ઘરે ચોરી થયા હોય તેવા દેખાઈ આવ્યા હતા, જ્યારે બીજી બાજુ નરોતમદાસ ભાઈ તેમજ તેમના પરિવારના કોઈ પણ સભ્યનો ફોન સંપર્કમાં ન હોવાને કારણે દરેક લોકો સમજી ચૂક્યા હતા કે, લક્ષ્મણદાસ ભાઈના પરિવારને સાફ કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ તે પરિવારને સાથે લઈને રફુચક્કર થઈ ગયા છે..
આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીમાં હલ્લો મચી જવા પામ્યો હતો, સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે નરોત્તમદાસ ભાઈને પરિવારને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે તેઓ એક હસતા ખેલતા પરિવારનો જીવ લઈ લીધો છે, સંપત્તિ મેળવવાની લાલચમાં આ વ્યક્તિએ એવડું મોટું પગલું ભરી લીધું હતું કે, ચાર લોકોનો જીવ લઈને સમગ્ર પરિવારને ખલાસ કરી નાખ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]