Breaking News

પાડોશીએ વહેલી સવારે ઘરમાં ઘુસીને કુહાડી લઈને રૂમમાં સુતેલા માં-દીકરાને વાઢી નાખ્યા, રુંવાટા બેઠા કરતો બનાવ આવ્યો સામે..!

રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેરમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક અજાણ્યા યુવક દ્વારા બે વ્યક્તિની હ.ત્યા. કરી દેવામાં આવી છે. આ બનાવ વિશે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેર 65 વર્ષીય લોગરલાલ પોતાની માતા કેસરબાઈ મીના સાથે રહેતા હતા.

બે દિવસ પહેલા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં લોગરલાલ અને કેસરબાઈની હ.ત્યા.ની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં અત્યારે આ ફરિયાદ તેમના પાડોશી દ્વારા લખાવવામાં આવી હતી. ઉદયપુર પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. તેમના પાડોશી દ્વારા જણાવવામાં આવ્યું કે કેસર બાઈ ઘરના આંગણામાં સુતા હતા.

આ દરમિયાન સવારે સાડા પાંચ વાગ્યે મેઘરાજ નામનો એક વ્યક્તિ ઘરમાં ઘૂસ્યો હતો. મેઘરાજએ કેસરબાઈ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. કેસરબાઈએ જ્યારે બૂમા બૂમ કરી ત્યારે તેનો પુત્ર ઘર ની અંદરથી બહાર આવ્યો હતો. તેમજ તેની માતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમય દરમિયાન તેને ગળા પર કુહાડીનો ઘા વાગતા તેનો ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું…

કેસરબાઈ પણ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમની બૂમો સાંભળીને આસપાસના પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા. જેથી મેઘરાજ નામનો વ્યક્તિ ગભરાઈને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પાડોશી દ્વારા આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઉદયપુર પોલીસ સ્ટેશનના એએસપી મુકેશ સાંકળ અને ડીએસપી સુધા પલાવત દ્વારા આ તમામ ઘટનાનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ દ્વારા મૃતકોના પરિવાર સાથે વાતચીત કરવા જાણવા મળ્યું કે તેઓ મેઘરાજ નામનો આ વ્યક્તિ પહેલા તેમની પાડોશમાં જ રેહતો હતો.

આ ઉપરાંત લસાડીય ના ટાટકીયા ગામમાં પણ સૌ કોઈ આ વ્યક્તિને જાણતા હતો. ઉદયપુરના પોલીસ અધિકારી વિજેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે .હ.ત્યા.નું કારણ હજુ પણ સ્પષ્ટ નથી. આ ઉપરાંત પોલીસ દ્વારા હ.ત્યા. કરનાર આરોપી માનસિક રીતે અસંતુલિત હોવાનું જણાવવામાં આવ્યું છે.

ફોરેન્સિક ટીમ દ્વારા તમામ ઘટનાની તપાસ કરીને બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. કેસરબાઈ ને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. આ ઉપરાંત લોગર લાલને પણ ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પરિવારમાંથી બે વડીલનું મૃત્યુ થઈ જતા આખા પરિવાર શોk મગ્ન થઈ ગયો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા મેઘરાજની ધરપકડ કરાઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *