Breaking News

પડોશી બહાર જાય એટલે સાચવવા આપેલી ચાવીથી તાળું ખોલી યુવક ઘરમાં ઘુસી જતો, એકદિવસ રંગે હાથે ઝડપાઈ જતા સામે આવ્યું મોટું ભોપાળું.. જાણો..!

આજકાલના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ ઉપર મુકેલો વિશ્વાસ સમય જતાની સાથે ખોટો થઈ જતો હોય છે, હાલ એક એવો જ બનાવ સામે આવ્યો છે. જેને જાણ્યા બાદ દરેક વ્યક્તિએ ખૂબ જ ચેતી જવું જોઈએ નહીં તો, તેમની સાથે પણ આવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આ બનાવ રાધિકા પાર્ક સોસાયટીનો છે..

આ સોસાયટીની અંદર હરજીવનભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ બેન તેમજ તેમનો દીકરા આશિષ નો સમાવેશ થાય છે. ગીતાંજલિ બેન ઇમિટેશનનું કામકાજ કરતા હતા, એટલા માટે તેઓને વારંવાર ઘરની બહાર જવાની ફરજ આવી પડતી હતી..

જ્યારે તેમનો દીકરો આશિષ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો, ગીતાંજલી બેને તેમના ઘરની એક ચાવીને તેમના પડોશીના ઘરે સાચવવા માટે આપી દીધી હતી. જેથી કરીને કોઈ વખત હરજીવનભાઈ ઘરે ઓચિંતા આવે તો તેમને કોઈ અગવડતા ન પડે અને પડોશીના ઘરેથી ચાવી લઈને તેઓ પોતાનું ઘર પણ ખોલી શકે..

એટલા માટે તેઓએ તેમના પડોશમાં રહેતા અંજલીબેનના ઘરે તેમના મકાનની એક ચાવી રાખી મૂકી હતી, તેમને અંજલીબેન ઉપર ખૂબ જ વિશ્વાસ હતો કે, તેઓ આ ચાવીને ખૂબ જ ધ્યાનપૂર્વક સાચવશે. પરંતુ ગીતાંજલિ બેનને એવી તો શી ખબર કે, અંજલિ બેનનો દીકરો પ્રીતેશ એક દિવસ ખૂબ જ ખરાબ કામ કરી નાખશે..

ગીતાંજલીબેન પોતાના ઘરે તાળું મારીને બપોરના સમયે પોતાના ઈમીટેશનના કામકાજ માટે ઘરની બહાર નીકળી ગયા હતા, તેઓએ અંજલી બહેનને જણાવ્યું કે, તેઓ ઘરથી બહાર જાય છે અને સાંજના સાત વાગ્યા આસપાસ તેઓ ઘરે પરત આવવાના છે. ત્યાં સુધી તેમના ઘરે જો કોઈ વ્યક્તિ કે મહેમાન આવે તો તેમની સાર સંભાળ રાખી લેજો..

આટલું કહીને તેઓ પોતાના કામકાજ માટે નીકળી ગયા હતા, ગીતાંજલિ બેન જેવા ઘરને તાળું મારીને બહાર નીકળ્યા કે, પાછળથી 10 મિનિટ બાદ તરત જ તેમના પડોશમાં રહેતા અંજલિબાનનો દીકરો પ્રીતેશ ગીતાંજલિ બેનના ઘરની ચાવી લઈને તેના ઘરની અંદર તાળું ખોલી ઘૂસી ગયો હતો..

અને ત્યારબાદ તેણે એવો મોટો કાંડ કરી નાખ્યો કે, રંગે હાથે ઝડપાઈ જતા તેને મોટું નીચે કરીને ચાલવાનો વારો આવી ગયો હતો, ગીતાંજલિ બેન પોતાના ઘરને તાળું મારીને ઘરે થી થોડે દૂર પહોંચ્યા ત્યારે તેમને જણાવ્યું કે, તેમનો મોબાઈલ ફોન ઘરે ભુલાઈ ગયો છે. એટલા માટે તેઓ ઘરે પરત આવ્યા અને પોતાનો મોબાઈલ ફોન લેવા માટે ઘરનું તાળું ખોલે એ પહેલાં તો તેમણે એવું દ્રશ્ય જોઈ લીધું કે..

તેઓ ચીસો નાખવા લાગ્યા હતા, તેવો જોયું કે તેમનું ઘરનું દરવાજો ખુલ્લો છે. આ દરવાજાની અંદર પ્રવેશ કરતાની સાથે જ તેઓના વોશ ઊડી ગયા હતા, તેમને લાગ્યું કે, નક્કી તેમના ઘરે કોઈ ચોર લૂંટારો પ્રવેશી ગયો છે. એટલા માટે તેઓ જોર જોરથી બૂમાબૂમ કરવા લાગ્યા હતા, જ્યારે તેઓ ઘરના અંદરના રૂમમાં પ્રવેશ કર્યા ત્યારે તેમણે તેમના પડોશીના દીકરા પ્રિતેશને પોતાના બેડરૂમમાં મૂકેલી તિજોરી પાસે જોયો હતો..

પ્રિતેશ આ તિજોરીને ખોલવાની કોશિશ કરતો હતો, પરંતુ ગીતાંજલિ બેન ઘરની અંદર પ્રવેશ કરી જતા તે રંગે હાથે પકડાઈ ચૂક્યો હતો. ગીતાંજલી બેને તરત જ આ વાતની જાણકારી તેમના પતિ હરજીવનભાઈને કરી હતી, હરજીવનભાઈ પણ પોતાને ઘરે પહોંચી આવ્યા અને તેઓએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી તેમના ઘરે મુકેલા રૂપિયા માંથી થોડા ઘણા રૂપિયા ઓછા વધતા થતા હોય તેવું તેમને જણાતું હતું..

પરંતુ ક્યારે પણ વ્યવસ્થિત ગણતરી રાખતા ન હોવાને કારણે તેઓને બરાબર રીતે જણાવ્યું નહીં, પરંતુ જ્યારે તેઓએ પ્રિતેશને તેમના ઘરની અંદર ચોરીના ઈરાદે આવેલો જોતા જ સાથે તેઓ સમજી ચૂક્યા હતા કે, નક્કી આ યુવક તેમના ઘરની અંદર ઘૂસી જતો હશે અને તેમના મુકેલા રૂપિયામાંથી નજીવા કિંમતના રૂપિયા ચોરી કરી લેતો હશે..

જ્યારે પ્રિતેશને કડક પૂછપરછ કરીને પૂછવામાં આવ્યું કે, શું આ વાત સાચી છે. ત્યારે તેને જણાવ્યું હતું કે, આ બાબત બિલકુલ સાચી છે. તેણે છેલ્લા બે વર્ષથી હરજીવનભાઈના ઘરેથી ઘણા બધા રૂપિયાની ચોરી કરી છે, રૂપિયાના બંડલની વચ્ચેથી તે અમુક નોટોને ફેરવી લેતો હતો. જેથી કરીને કોઈ વ્યક્તિને ખબર પડે નહીં..

આ સિલસિલો અંદાજે બે વર્ષ સુધી ચાલતો રહ્યો હતો, પરંતુ ગીતાંજલિ બેનના હાથે ઓચિંતા જ પ્રિતેશ પકડાઈ જવાને કારણે આ તમામ ઘટનાનું ભોપાળુ સામે આવી ગયું હતું અને સમગ્ર સોસાયટીના લોકો પણ ચોકી ઉઠ્યા કે, આવા ચોર લૂંટારાઓને આપણે સોસાયટીમાં ક્યારેય પણ સ્થાન આપવું જોઈએ નહીં..

આ ઘટનાને લઈને સોસાયટીના લોકોમાં પણ રોશ ફાટી નીકળ્યો હતો, તો બીજી બાજુ હરજીવનભાઈ અને તેમનો પરિવાર પણ આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી હતો કે, તેમને જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂક્યો તે જ વ્યક્તિઓએ તેમની સાથે ખૂબ જ મોટો દગો કરી નાખ્યો હતો, આ ઘટનાને લઈ પ્રિતેશની માતા અંજલીબેન પણ ખૂબ જ દુઃખી હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *