હાલના સમયમાં હવે રહસ્યમય કિસ્સાઓ બનવાનો પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. દિન પ્રતિ દિન એવી ઘણી બધી રહસ્યમય ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થતી હોય છે. અત્યારે તો કેટલાક વ્યક્તિને મૃત્યુ પણ એવી રહસ્યમય રીતે થવા લાગ્યા છે કે, તેને જાણીને પરિવારજનો પણ ચક્કર ખાઈ પડે છે..
અત્યારે એક વ્યક્તિનું આવી જ રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. આ બનાવો ઓમકાર સોસાયટી પાસે આવેલી હિંમતનગર વિસ્તારનો છે. અહીં શેરી નંબર પાંચમાં આવેલા 37 નંબરના મકાનમાં નિલેશભાઈના મયુર તેના પરિવાર સાથે રહે છે. તેમની સોસાયટીમાં રહેતા પરેશભાઈના લાડકા દીકરાનો જન્મદિવસ હતો..
આ જન્મદિવસના પ્રસંગે તેઓએ સોસાયટીના સૌ કોઈ રહીશોને આમંત્રણ આપ્યું હતું અને તેમના દીકરાની જન્મદિવસની ઉજવણીમાં પાવભાજીનું ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યારે નિલેશભાઈ આ પ્રસંગની અંદર પાવભાજી ખાઈ રહ્યા હતા. ત્યારે પાવભાજીનો કોળિયો મોઢામાં મુકતાની માત્ર 10 મિનિટની અંદર જ તેઓ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા..
તેઓ સાથે જ્યારે આ ઘટના બની ત્યારે અન્ય રહીશોમાં ફફળાટ મચી ગયો હતો. નિલેશભાઈની પાસે જ બેઠેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, નિલેશભાઈ પાવભાજી ખાતાની સાથે જ નીચે ઢળી પડ્યા છે. સોસાયટીના ઘણી વધારે તેમને કાર લઈને હોસ્પિટલએ લઈ પહોંચ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ નિલેશભાઈ રસ્તામાં જીવ ગુમાવી દીધો હતો.
આ કિસ્સામાં ચારે કોરે એવી વાત ફેલાઈ ગઈ હતી કે, નિલેશભાઈનું પાવભાજી ખાવાને કારણે મૃત્યુ થઈ ગયું છે. કારણ કે તેઓ પાવભાજી ખાવાની શરૂઆત કરી એ પહેલા બિલકુલ સ્વસ્થ હતા પરંતુ પાવભાજીનો કોળિયો મોઢામાં મુકતાની માત્ર 10 મિનિટની અંદર જ તેઓ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા અને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ થઈ ગયું છે..
હોસ્પિટલે ડોક્ટરે તેની તપાસ શરૂ કરી અને તેઓએ જણાવ્યું કે, આ યુવકનું મૃત્યુ પાવભાજી ખાવાને કારણે નહીં પરંતુ બીજા કોઈ કારણોસર થયું છે. જ્યારે નિલેશભાઈના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે ત્યારે ખબર પડી કે, જ્યારે તેઓ પાવભાજી ખાતા હતા. ત્યારે તેમને હૃદય રોગનો હમલો આવ્યો હતો અને અચાનક જ તેઓ નીચે ઢળી પડયા તેમજ તેમનો શ્વાસ બંધાઈ ગયો અને ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
અત્યારે હૃદય રોગના હમલાને કારણે દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. શરીરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં સહેજ પણ ચૂક થઈ જાય કે, વ્યક્તિને ખૂબ જ મોટી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી જતો હોય છે. તેમના પરિવારજનોનું કહેવું છે કે, નિલેશભાઈ જેના ઘણા દિવસથી છાતીમાં દુખાવો થતો હોય તેવી ફરિયાદ કરતા હતા..
પરંતુ પરિવારજનોએ તેને એસિડિટીનું સ્વરૂપ આપીને ઘરેલુ ઉપચાર કરી આ દુખાવાને રાહત આપી દેતા હતા. પરંતુ હકીકતમાં તેમને કોઈ એસિડિટીનો દુખાવો નહીં પરંતુ અન્ય કોઈ ચીજ વસ્તુનો દુખાવો હતો. જે હૃદય રોગના હુમલામાં પરિવર્તન પામ્યો છે. અને અત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું છે.
આ ઘટના સામે આવ્યા બાદના સૌ કોઈ લોકો સાવચેત થઈ ગયા છે. નિલેશભાઈના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે. દરેક લોકો કહી રહ્યા છે કે, હજારો કામ બાજુ પર મૂકીને પહેલા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો ક્યારે મોત આપણા માથા ઉપર આવીને બેસી જાય તેનું નક્કી રહેતું નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]