Breaking News

પડોશીએ કહ્યું કે, ‘તમારી અગાસીમાં પાણીના ટાંકામાંથી વાસ આવે છે’, પરિવારે ધાબે ચડીને ઢાંકણું ખોલતા જ મળ્યું એવું કે બધા ચક્કર ખાઈ ગયા..!

ઘણી બધી ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થતી હોય છે. જે બનાવ અચાનક જ આપણી નજર સામે આવી જાય અને જેને સાંભળતા જ એકાએક દિલમાં ધ્રાસકો પડે તેવી ઘટના અને ચોંકાવનારી ઘટના માનવામાં આવે છે. અત્યારે ઉત્તર ભારતના દેહરાદુનના મોહિની રોડ પર દલનવાલા વિસ્તાર માં એક પરિવાર ના સભ્યોને ખૂબ જ મોટો આંચકો લાગ્યો હતો…

તેઓ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેની એક સોસાયટીમાં રહે છે. તેમના બંગલામાં પરિવારના સભ્યોની સાથે સાથે ઘરના સફાઈ કર્મચારીઓ પણ રહે છે. તેમના ઘરે ગોપી નામનો એક સફાઈ કર્મચારી છેલ્લા 15 વર્ષથી નોકર તરીકે કામ કરે છે. ઘરના મોભી દિનેશભાઈ આનંદ ખૂબ મોટો બિઝને ચલાવે છે. એક દિવસ આ સફાઈ કર્મચારી કે જેનું નામ ગોપી છે તે ત્રણથી ચાર દિવસ સુધી ઘરમાં દેખાયો હતો નહીં..

દિનેશભાઈ વિચાર્યું કે, ગોપી કોઈ કારણસર તેના વતન પશ્ચિમ બંગાળ ગયો હશે. પરંતુ આવી રીતે જાણ કર્યા વગર તે ક્યારેય પણ જતો હતો નહીં. એટલા માટે પરિવારજનોને ચિંતા સતાવા લાગી હતી. આ નોકર ની ઉંમર 54 વર્ષની હતી. ગોપી અચાનક જ દેખાતો બંધ થયો તેના ત્રણ દિવસ પછી દિનેશભાઈ ના પડોશમાં રહેતા પડોશીઓ તેમના ઘરે દોડી આવ્યા હતા..

અને જણાવ્યું કે તેમના બંગલાના ટેરેસ ઉપર રહેલા ટાંકામાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી છે, આ સાંભળતા જ શરૂઆતમાં તો દિનેશભાઈએ નકારી કાઢી અને જણાવ્યું કે તેઓ સમયસર તેમના પાણીના ટાંકાની સફાઈ કરાવે છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા જ તેમના ટાંકાની સફાઈ કરવામાં આવી હતી..

એટલે તેમના ટાંકામાંથી જ દુર્ગંધ આવે છે એ વાત બિલકુલ ખોટી સાબિત કરી દીધી હતી. પરંતુ પાડોશીઓએ જણાવ્યું કે તેઓએ તમામ વિસ્તારમાં ચેકિંગ કર્યા બાદ તેઓને જણાવ્યું છે અને નક્કી તેમના જ ટંકામાંથી વાસ આવે છે. પડોશીઓ દિનેશભાઈ સાથે વરછટ કરવા લાગ્યા હતા અને દિનેશભાઈએ આ ઘટનાના સમાધાન કરવા માટે પરિવારના સૌ કોઈ સભ્ય સાથે ટેરેસ ઉપર ગયા..

અને ત્યાં પાણીના ટાંકાનું ઢાંકણું ખોલીને જોતા જ દિનેશભાઈના હોશ ઉડી ગયા હતા. આ સાથે સાથે તેની સાથે આવેલા લોકો પણ ખૂબ જ ભયભીત થઈ ગયા હતા. કારણ કે દિનેશભાઈની અગાસીમાં રહેલા આ પાણીના ટાંકામાંથી તેમના ઘરમાં કામ કરતો 54 વર્ષનો નોકર ગોપીની લાશ મળી આવી હતી.

આ જોતા જ તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે ગોપીને કોણે પાણીના ટાંકામાં નાખી દીધો હશે..? તેઓએ તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી લીધા હતા. ઘટના સ્થળે પોલીસની ટીમો ગણતરીની મિનિટોમાં જ પોગી ગઈ ત્યારબાદ તેઓએ ગોપીની લાશને પાણીના ટાંગામાંથી બહાર કાઢી હતી. અને આ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી હતી..

ત્યારબાદ પોલીસે પરિવારના સભ્યોની સાથે સાથે પડોશીઓને પણ એકઠા કરી તેમની પૂછપરછ શરૂ કરી હતી પરિવારજનોએ જણાવ્યું કે ગોપી છેલ્લા ત્રણથી ચાર દિવસથી ઘરમાં દેખાયો હતો નહીં. પરિવારજનો એ વિચાર્યું કે તે તેના વતન ગયો હશે, પરંતુ તેની લાશ અચાનક જ પાણીના ટાંકા માંથી મળી આવતા સૌ કોઈ લોકો હચમચી ગયા છે..

તપાસ કરનાર પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ગોપીના શરીર પરથી કોઈ પણ પ્રકારના ઈજાના નિશાન જોવા મળ્યા નથી. હાલ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ત્યાંથી જરૂરી માહિતી મળ્યા બાદ આ કેસને આગળ ધપાવવામાં આવશે. આ ઉપરાંત ગોપીની .હ.ત્યા. થઈ છે કે, પછી તેને પાણીના ટાંકામાં કૂદીને આપઘાત કરી લીધો છે..

આ પ્રશ્નને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ચોંકાવનારો મામલો સામે આવતા સમગ્ર સોસાયટીમાં ફફડાટ મચી ગયો છે. તેમજ આ ઘટના વાયુવેગે પ્રસરી જતા આસપાસની સોસાયટીના રહીશો પણ ઘટના સ્થળે એ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *