રાજકોટના જેતપુરમાં એક એવી ઘટના બની છે. જે સાંભળતાની સાથે જ તમે માથું પકડી લેશો. હકીકતમાં રાજકોટના જેતપુરમાં ભાવિકનગર વિસ્તારમાં પૂર્વ પતિએ મહિલાને છરીના ઘા મારીને પતાવી દીધી છે. આ ઘટના બનતાની સાથે જ ભાવિકનગર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે.
ભાવિકનગર વિસ્તારમાં પ્રસંતબહેન શાંતુભાઇ નામની મહિલા રહે છે. જેની ઉંમર ૪૦ વર્ષની છે. તેના લગ્ન શાંતુભાઇ કહોર નામના યુવક સાથે થયા હતા. લાંબા લગ્નજીવન બાદ તેઓનું શાંતુ કહોર સાથે છૂટાછેડા થઇ ગયા હતા. એટલા માટે પ્રસંતબહેન પોતાના બે સંતાનો કે જેમાં ૧૪ વર્ષની એક દીકરી અને ૧૨ વર્ષનો એક દીકરો સાથે રહે છે.
માતા અને બંને સંતાન રાજીખુશીથી રહેતા હતા. એવામાં એક દિવસ સવારમાં નવ વાગ્યા આસપાસ પ્રસંતબહેનનો પૂર્વ પતિ શાંતુભાઇ અને તેનો ભત્રીજો શિવરાજ બંને તેમના ઘરે ધસી આવ્યા હતા. અને પ્રસંતબહેનને આડેધડ છરીના ઘા મારીને પતાવી દીધા હતા. આ બનાવ બન્યો એ સમયે પ્રસંતબહેનના બંને સંતાનો ત્યાં જ હાજર હતા..
છતાં પણ તેઓ તેમની માતાને બચાવી શક્યા ન હતા. પોતાની નજર સામે પોતાના પિતાએ તેમની માતાને પતાવી દીધી હતી. આ દ્રશ્ય જોવું કોઈ સહેલી બાબત નથી. ચપ્પુના ઘા મારી સાથે જ પ્રસંતબહેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. અને શાતુ અને શિવરાજ બંને ત્યાંથી ભાગી ગયા હતા..
ત્યારબાદ બંને સંતાનો એ પડોશીઓ ની મદદ માંગી હતી. તાત્કાલિક ધોરણે પડોશી 108ને ફોન કરીને પ્રસંતબહેનને હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે પ્રસંતબહેનને તપાસ બાદ મૃત જાહેર કરી દેતાં બંને સંતાન નોંધારા બન્યા છે. આ બાબતને લઈને પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરી છે…
પોલીસને જાણવા મળ્યું છે કે, પ્રસંતબહેનના શાંતુભાઇ સાથે છૂટાછેડા થઇ ગયા હતા. છતાં પણ શાંતુભાઇ તેઓને વારંવાર મારી નાખવાનો પ્રયાસ કરી રહયા હતા. આ ઉપરાંત પ્રસંતબહેનની દીકરી એ પોલીસને જણાવ્યું હતું કે મારા પપ્પાના પહેલા લગ્ન એ મહિલા સાથે થયા હતા…
એ મહિલાને મારા પપ્પાએ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. અત્યારે મારી મમ્મી પર પણ મારા પપ્પાએ ત્રણથી ચાર વાર હુમલો કરવાની કોશિશ કરી છે. એમજ તેઓ અમને એક પણ રૂપિયો વાપરવા માટે આપતા નથી. એટલા માટે અમે અમારા પિતાથી અલગ રહ્યા છીએ..
હું સવારમાં સુતી હતી. એ સમય દરમિયાન મારા પપ્પા અને મારો પિતરાઈ ભાઈ બંને અમારા ઘરે આવ્યા હતા. અને મારી મમ્મીને છરી મારીને મારી નાખી છે. હું અને મારો ભાઈ મારી મમીને બચાવી શક્ય નહી કારણ કે તેઓના હાથમાં છરી હતી. આ ઘટના બનતાની સાથે જ ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે..
પોલીસે દીકરીનું નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. દીકરીએ કહ્યું છે કે, મારા પપ્પા મારી મમ્મીને ખૂબ જ હેરાનગતી પહોંચાડતા હતા. મારા પપ્પા અને મારા પિતરાઈ ભાઈ બંનેને ફાંસીએ ચડાવો.. દીકરીના આ શબ્દો સાંભળતા ની સાથે જ આસપાસના સૌ કોઈ લોકો ના રુંવાડા બેઠા થઇ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]