Breaking News

ચોમાસુ આ દિવસના નોરતાની મજા બગાડશે, હવામાન વિભાગે આપી આ મોટી આગાહી.. વાંચો..!

છેલ્લા કેટલાક દિવસોથી અનિયમિત અને અવિરતપણે ગાંડોતુર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સવાલ થાય છે આ વરસાદ ક્યારે થંભશે? કેમ કે ગુજરાતન લોકપ્રિય તહેવાર નવરાત્રીની હવે શરૂઆત થી ચુકી છે. પરતું વરસાદના કારણે નવરાત્રીમાં ગરબે ઘૂમવાનું બગડે એ તો ગુજરાતીઓને ન પોસાય..

ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિમાં પણ વરસાદ આવવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. હવે ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાના આરે છે.

હાલમાં વરસાદ પડવાનું કારણ ચોમાસાની વિદાય વખતે ઘણી  વખત આવા ઝાપટાં પડતા હોય છે. અરબ સાગરની હવામાં હજુ પણ ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે તેથી તે ભેજના કારણે ગુજરાતમાં નવરાત્રીના પાવાના પર્વની વચે જ વરસાદ લાવશે તેવું અનુમાન છે. કારણકે કે સામાન્ય ભેજ પણ વરસાદને ખેચી લાવે છે.

નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે  વરસાદ થાય. પરંતુ આ વરસાદ ચોમાસાની વિદાય વચ્ચે માવઠાં  જેવો ગણી શકાય. દર વર્ષે મેઘરાજા વિદાય લેતી વખતે ગાજવીજ વીજળીના કડાકા ધડાકા સાથે વરસતા હોઈ છે. તેવી જ રીતે આ વર્ષે પણ કડાકા સાથે જ વિદાય લેશે.

આ વખતે તારીખ 12 થી તારીખ 22 સુધીમાં પણ હવામાનમાં અચાનક પલટો આવશે. અને નવરાત્રિમાં પણ તડકો પડે અને  વાદળો પણ આવે આવી સ્થિતિ રહેશે. એટલે કે અમુક દિવસોમાં દિવસે ઝાપટા પડે તો અમુક દિવસે રાત્રે ખેલેયાઓનો મૂડ બગાડવા સાંજે વરશે.

બંગાળાની ખાડીમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેલી છે. તારીખ 8 થી તારીખ 10 ઉપરાંત તારીખ ૧૫ની આસપાસ અને ઓક્ટોબર મહિનાના અંતમાં બંગાળાના ઉપસાગર તેમજ અરબ સાગરમાં  હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે.

જેના લીધે દરિયાકિનારા ના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. આ વખતે છેક ડિસેમ્બરની શરૃઆત  સુધી સમુદ્રમાં વાવાઝોડા થવાની શક્યતા રહેશે અને 8 ડિસેમ્બરથી ઠંડીની શરૃઆત થશે તેમ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે.

આ વખતે સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદ પડયો હતો. ઘણી વાર સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદ પડતો હોય છે. હમણાં બે દાયકા પહેલાં અને 1973માં પણ સપ્ટેમ્બર માસમાં વરસાદ પડવામાં હતો. સપ્ટેમ્બર માસમાં પણ સાબરમતી જેવી નદીઓમાં પૂર પણ આવેલા હતા. એટલે આવું ઘણી વખત બનતું હોય છે. ભારતીય ચોમાસાની અસર આફ્રિકાથી ચીન સુધીમાં અસર થતી હોય છે.

છેલ્લા બે વર્ષથી ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા નથી. તેથી આ વર્ષે તેઓ પાછળના બે વરસ નું સાટું વાળવા માટે ખૂબ જ ઉત્સાહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *