આજના સમયમાં લોકો નાની-નાની વાતમાં પોતાના જ અંગત વ્યક્તિઓ સાથે ઝઘડાઓ કરી રહ્યા છે. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો મૂળ ઉત્તરાખંડના રહેવાસી પરિવારમાં પત્ની સાથે બન્યો હતો. પત્નીનું નામ નેહા આર્ય હતું.
તેમની ઉંમર 28 વર્ષની હતી. તે પોતાના પતિ દિપક આર્ય સાથે રહેતી હતી. તે બંનેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. દિપક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દિપક અને નેહાને સંતાનમાં એક દીકરી છે. દીકરીની ઉંમર અઢી વર્ષની છે.
દીકરી તેમની દાદી સાથે ઉત્તરાખંડના હલદવાની ગામમાં રહે છે. દીપક અને તેમની પત્ની જ સાથે રહેતા હતા. દાદી અને પૌત્રી પોતાના વતન રહેતા હતા. દિપક અને તેમની પત્ની નેહા બંને સેક્ટર 52 માં ભાડાના મકાનમાં રહે છે. નેહાએ થોડા સમય પહેલા તેમના પતિ સાથે ઝઘડો કર્યો હતો. અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા.
જેના કારણે નેહા ખૂબ જ કંટાળી ગઈ હતી. તે પોતાની દીકરીને પણ મળવા માગતી હતી. નેહા બંને વચ્ચે થતા અણ બનાવને કારણે માનસિક ત્રાસી ગઈ હતી. એક દિવસ દીપક પોતાની ફરજ પર ગયો હતો અને નેહા પોતાના ઘરે એકલી હતી. ત્યારે તેમણે પોતાના ઘરનો દરવાજો બંધ કરીને બેસી ગઈ હતી. ત્યારબાદ સાંજ થતા દીપક પોતાની નોકરીએથી ઘરે પરત આવ્યો હતો.
ત્યારે તેમણે ઘરની બારીમાંથી એવું જોયું કે જોતા જ તે ત્યારે ત્યાં જ બેસી ગયો હતો. જેના કારણે આડોસ પાડોશના લોકો ભેગા થઈ ગયા હતા. દિપક સાથે મળીને પાડોશીના લોકોએ ઘરનો દરવાજો તોડવનો પ્રયાસ કર્યો પરંતુ ઘરનો દરવાજો તૂટ્યો નહીં. જેના કારણે દિપક તરત જ દોડતો દોડતો પોતાની ઘરની અગાસી પર ચડ્યો હતો.
અને ત્યાંથી ધાબા પરથી કૂદીને પાછળના દરવાજે ઘરમાં પ્રવેશ્યો હતો. ધાબા પરથી કુદી પડતા દિપકને પણ પગમાં ઈજા થઈ હતી. તરત જ દીપકએ પોતાના ઘરની રૂમમાં જઈને જોયું તો નેહાએ લટકીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ નેહાને તરત જ દીપક નીચે ઉતારીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.
પરંતુ ત્યાં ડોક્ટરે તપાસ કરતા નેહાનું મૃત્યુ થઈ ગયાનું જણાવ્યું હતું. ત્યારબાદ દીપકની પણ સારવાર કરાવવામાં આવી હતી. દિપકના પગના બંને હાડકા તૂટી ગયા હતા. ધાબા પરથી કૂદી પડતાં દીપક પણ ઇજાગ્રસ્ત થયો હતો. પોતાની પત્નીએ આપઘાતની ઘટના કરી નાખતા તે ખૂબ જ રડી રહ્યો હતો. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. અઢી વર્ષની દીકરી પરથી પણ પોતાની માતાની મમતાને ગુમાવી દીધી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]