વધારે કમાણી કરવાની રેસમાં અત્યારના માતા-પિતા તેમના બાળકોને સારા સંસ્કાર અને સારી શિખામણો આપવા માટે સમય ફાળવી શકતા નથી. આ ઉપરાંત તેમનું પાલન પોષણ કરવું પણ તેમના માટે ખૂબ જ અઘરું બની જાય છે. તેવો આખો દિવસ દરમિયાન નોકરી અને ધંધે ચાલ્યા જાય છે..
અને તેમના બાળકોને નોકરાણીના ભરોસે પાલનપોષણ માટે છોડી દેવા પડે છે. હકીકતમાં એક બિલકુલ ખોટી બાબત છે. અત્યારે એક નોકરાણીની કાળી કરતુતોને કારણે દરેક માતા પિતાના હોશ ઉડી જવા પામ્યા છે. આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરની છે. અહીં કલ્યાણપુર પાસે આવેલા રતન એપાર્ટમેન્ટની અંદર સૌરભસિંહ નામના વ્યક્તિ તેમની પત્ની સોનિયા સાથે રહે છે..
રતનસિંહ રેલવેના કાર્યાલયમાં મોટા અધિકારી છે. તો તેમની પત્ની સોનિયા એકાઉન્ટ તરીકે કામકાજ કરે છે. આ લગ્નજીવન દરમ્યાન તેમણે ત્રણ વર્ષનો દીકરો હોય અને દોઢ વર્ષનો દીકરો આરૂ પણ છે. બંને મા બાપ સવારના સમયે પોતાના નોકરી અને ધંધો ચાલ્યા જાય છે. ત્યારે બંને બાળકોને તેઓ નોકરાણીમાં ભરોસે પાલનપોષણ માટે છોડીને જતા હોય છે.
તેમના બંને બાળકોને ખવડાવી પીવડાવે છે. તેમજ ટ્યુશનને લેવા મુકવા માટે જાય છે. અને ઘરના અન્ય કામો પણ કરે છે. જ્યારે સાંજે માતા-પિતા નોકરી ધંધેથી ઘરે આવે છે. ત્યારે બાળકોને તેના માતા-પિતાનો ચહેરો જોવા મળતો હોય છે. પરંતુ અત્યારના સમયમાં એવી ઘટનાઓ સામે આવવા લાગી છે, જે દરેક માતા-પિતા માટે ખૂબ ચોંકાવનારી સાબિત થઈ જશે..
એક વખત જ્યારે સૌરભ સાંજના સમયે નોકરીએથી ઘરે પરત આવ્યો ત્યારે તેણે તેના નાના દીકરા આરૂને આંખ પાસે જોયું તો તેને ત્યાં ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. એટલા માટે તે તેની પત્નીને સાથે લઈને તેના નાના દીકરાને ડોક્ટર પાસે લઈ ગયો હતો. એ વખતે તેના ઘરે તેનો મોટો દીકરોઅયાંશને તેના ઘરની નોકરાણી ઘરે હાજર હતા..
અયાંશ કોઈ વાતને લઈને મજાક મશ્કરી કરતો હતો. જેનાથી ગુસ્સે ભરાઈને નોકરાણીએ તેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું. તેને એટલો બધો માર માર્યો હતો કે, જેના દ્રશ્યોને જોવા આપણા માટે પણ સહેલા નથી. તો બિચારા બાળકને કેવી રીતે સહન થયું હશે. ત્યારે તેના માતા-પિતા ઘરે પરત આવ્યા ત્યારે મોટો દીકરો અયાંશ રડવા લાગ્યો હતો..
અને પોતાના પિતાની સામે જોઈને એકદમ ચુપ થઈ ગયો હતો. સૌરભભાઈ સમજી ગયા કે, તેના દીકરા સાથે ખૂબ જ ખોટું કામ થયું છે. તેણે તેના દીકરાને પ્રેમથી પૂછવાની કોશિશ કરી હતી કે, તારી સાથે શું થયું છે.? ત્યારે તેને જણાવ્યું કે, ઘરમાં રહેલી નોકરાણી તેને તમારી ગેરહાજરીમાં ખૂબ જ ઢોર માર મારે છે..
અને રોજબરોજ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન પણ કરી રહી છે. જ્યારે બાળકના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે શરૂઆતમાં તો માતા પિતા માંથી કોઈ પણ વ્યક્તિને વિશ્વાસ આવ્યો નહીં. પરંતુ એક ઘરમાં મુકાવેલા છુપા કેમેરાના રેકોર્ડિંગ જોવાનું શરૂ કર્યું હતું. તેઓએ પોતાના બાળકો ઉપર દેખરેખ રાખવા માટે ઘરની અંદર કોઈ વ્યક્તિને દેખાય ન એવી રીતે કેમેરા ફીટ કરાવી દીધા હતા.
આ સીસીટીવી કેમેરાના ફૂટેજ જ્યારે ચેક કર્યા ત્યારે તેમના ઘરની નોકરાણીની કાળી કરતુતો સામે આવી હતી. ઘરમાં રહેલી નોકરાણી તેમના બાળકોને ઢોરમર મારતી હતી. બસ આ દ્રશ્ય જોઈને તરત જ તેમને નોકરાણીને ફોન કરીને પોતાને ઘરે બોલાવી હતી અને તેની પૂછપરછ કરવાનો શરૂ કર્યો હતો..
પરંતુ નોકરાણીએ આ તમામ બાબતોને નકારી કાઢી હતી અને જણાવ્યું કે, તમે મારી સાથે જુઠ્ઠું બોલી રહ્યા છો. જ્યારે સૌરભભાઈએ નોકરાણીની આ ફૂટેજ તેને બતાવ્યા હતા. ત્યારે પણ તે સમજવા માટે તૈયાર હતી નહીં અને અંતે સૌરભભાઈ તેની પત્ની સોનિયા સાથે પોલીસ સ્ટેશનને હાજર થયા હતા અને તેમના ઘરે નોકરાણી તરીકે કામ કરતી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે અમે નોકરાણીને અમારા બાળકોને સાચવવાના અને ઘરના કામકાજ કરવા માટે પૈસા આપીએ છીએ..
છતાં પણ તેઓ અમારા બાળક ઉપર હાથ ઉઠાવી રહી છે. જેમાં તેમના બાળકને ઇજા પણ પહોંચી છે. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. કેટલાક લોકો કહી રહ્યા છે કે, દરેક લોકો આ પ્રકારની માસિકતા ધરાવતા નથી પરંતુ અમુક લોકોને માનસિકતાને કારણે અત્યારે ફરી બદનામી સહન કરવાનો વારો આવ્યો છે.
થોડા સમય પહેલા પણ ઘરમાં કામ કરવા માટે આવતી એક મહિલાની કાળી કરતુતો સામે આવી હતી. જેની જાણકારી મળતા જ ફ્લેટના માલિકે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દિન પ્રતિદિન આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ વધતી જાય છે. જે દરેક માતા-પિતા માટે પડકાર જનક પ્રશ્ન સાબિત થયો છે. આ ઘટનાને જાણ્યા બાદ કેટલાક લોકો કહી રહ્યા છે કે, જો માતા-પિતાને તેમના બાળકોને સાચવવાની ત્રેવડ ન હોય તો એવા માતા પિતાને બાળકોને જન્મ આપવાનો પણ અધિકાર નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]