ફૌજીનું નામ સાંભળતાની સાથે જ આપણા શરીરના રુવાટા એક બેઠા થઈ જતા હોય છે. કારણકે આપણા દેશના વીર જવાનો દેશની બોર્ડર ઉપર દિવસ-રાત તાપ તડકો અને ઠંડી તેમજ વરસાદ આ તમામ બાબતો સહન કરીને દેશની સરહદે રક્ષણ કરે છે. અને દેશના ૧૩૦ કરોડ નાગરિકો ચેનથી ઊંઘ લઇ શકે એટલા માટે ફૌજીઓ દેશની સરહદે દિવસ રાત જાગતા હોય છે.
પરંતુ છેલ્લા બે મહિનાની અંદર આ બીજો એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ફૌજી પોતાની કાળી કરતૂતોના કારણે બદનામ થયા છે. હાલ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત કર્નલ પત્નીએ નિવૃત કર્નલ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવનાર મહિલાનું નામ નયના બહેન છે. જેમની ઉંમર 60 વર્ષની છે..
જ્યારે તેમના પતિ નિવૃત કર્નલ છે. તેમનું નામ રાહુલ છે. આ બંને આજથી 30 વર્ષ પહેલા જોધપુર બેસ કેમ્પમાં એક જ સાથે નોકરી હતા. એ સમયે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. અને બંને પરિવારની વિરુદ્ધ જઈને જોધપુરમાં જ લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્ન થતાની સાથે જ મહિલાના પતિએ તેને પોતાના માતા-પિતા સાથે સંબંધ તોડી નાખવા માટે જણાવ્યું હતું..
તેમજ મહિલા ફૌજીને જે પગાર આવતો હતો આપ તમામ પગાર તેનો પતિ લઈ લેતો હતો. આ ઉપરાંત આ મહિલા જ્યારે લગ્નજીવન દરમિયાન ગ.ર્ભ.વતી બની ત્યારે પણ તેના પતિએ તેને પેટ પર લાત મારીને ઘરમાંથી કાઢી મુકી હતી. આ મહિલાઓ ખૂબ જ દુઃખ વેઠયુ હતું. અને ત્યારબાદ તેણે એક દીકરો અને એક દીકરીને જન્મ આપ્યો હતો..
છતાં પણ તેનો પતિ અવારનવાર તેના પર ત્રાસ ગુજારતો હતો અને હેરાનગતિ પહોંચાડતો હતો. મહિલા ફોજીને જ્યારે પાકિસ્તાનની બોર્ડર પર પોસ્ટિંગ આપવામાં આવ્યું ત્યારે તેના દીકરા દીકરીને પોતાના પતિ પાસે છોડીને દેશની સેવા માટે ગઈ હતી. પરંતુ તે જ્યારે પરત ફરી ત્યારે તેના દીકરા અને દીકરી એ જણાવ્યું કે તેના પિતા તેને ખૂબ જ ઢોર માર મારતા હતા.
અને સારી રીતે રાખતા પણ નથી. આ ઉપરાંત તેને જમવાનું પણ આપતા નથી. એટલા માટે મહિલા ફોજી પોતાના દીકરા અને દીકરીને લઈને લખનૌ ખાતે રહેવા માટે જતી રહી હતી. પરંતુ તેનો પતિ ત્યાં પહોંચી આવ્યો હતો. અને તેની સાથે ઝઘડો કરીને કપડાં ફાડી નાંખ્યા હતા. આ ઉપરાંત તે મહિલા ફૌજી સાથે અવનવી માંગ કરતો હતો..
તે પોતાના મોબાઈલમાં ખૂબ જ ગંદા ગંદા વિડીયો પોતાની પત્નીને બતાવતો હતો. અને એ વિડીયો અનુસાર તેની સાથે શારીરિક સંબંધ બાંધવા પણ જણાવતો હતો. આ તમામ હરકતોથી પત્ની ખૂબ જ કંટાળી ગઈ હતી. એટલા માટે તે પોતાના દીકરા અને દીકરીને લઈને વડોદરા રહેવા આવી ગઈ હતી..
પરંતુ તેનો નિવૃત્ત પતિ ત્યાં પણ આવી પહોંચ્યો હતો એક પણ રૂપિયો પણ આપ્યો નથી છતાં પણ તે હેરાનગતિ પહોંચાડવા પહોંચી જતો હતો. એટલા માટે નિવૃત્ત પત્નીએ પોતાના નિવૃત્ત કર્નલ પતિ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. આ ઉપરાંત નિવૃત પત્નીએ જણાવ્યું છે કે, તેના નિવૃત્ત કર્નલ પતિ હાલ એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી રહ્યા છે..
પરંતુ એ કોલેજમાં પણ તે વિદ્યાર્થીનીઓ સાથે અનૈતિક સંબંધ રાખે છે. તેમજ ઘણાખરા લોકોને હેરાનગતિ પણ પહોંચાડે છે. આ બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હકીકતમાં આ મામલો સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો સફાળા બેઠા થયા છે. અને આ મહિલાને વ્હારે આવ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]