આજકાલ શહેરમાં લોકો સાથે બનતી ગંભીર ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ બનતા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અને પરિવારથી દૂર થઈને પરિવારના લોકોને નિસહાય કરી રહ્યા છે. અવારનવાર શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આપઘાતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે.
લોકો નાની નાની વાતમાં કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરના કતારગામ વિસ્તારના વેડરોડમાં આવેલા મંદિરના પૂજારીએ જીવલેણ ઘટના કરી નાખી હતી. મંદિરના પૂજારી ઘણા વર્ષોથી માતાજીના મંદિરની સેવા કરી રહ્યા હતા.
કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર બેચરાજી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર ખૂબ જ નામચીન મંદિર છે. પૂજારી મંદિરમાં 25 વર્ષથી માતાજીની સેવા કરી રહ્યા હતા. પૂજારીનું નામ મહંત શંભુનાથ હતું. તેઓ મૂળ નેપાળના વતની હતા પરંતુ પોતાના પરિવાર સાથે તેઓ બેચરાજીના મંદિરમાં રહીને માતાજીની પૂજા ઘણા વર્ષોથી કરી રહ્યા હતા.
પૂજારી પ્રણામી ધર્મના સ્નાતક હતા. તેઓ ખૂબ જ સ્વભાવથી ખુશ હતા અને તેનો સ્વભાવ પણ ખૂબ જ સરળ હતો. તેઓ અવારનવાર ધર્મની વાતો ભક્તોને કરતા હતા. મંદિરના ભક્તો તેમજ મંદિરની આસપાસ રહેલા લોકો પુજારીને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા પરંતુ પુજારીને કોઈ વાતને લઈને ચિંતામાં હતા. જેને કારણે એક દિવસ મંદિરના પરિસરમાં ગંભીર દુર્ઘટના પોતાની સાથે કરી નાખી હતી.
હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલુ થવાનો છે. સૌ કોઈ લોકો માતાજીના મંદિરે નોરતા રમવા માટે વર્ષો વર્ષ આવી રહ્યા હતા. આ વર્ષે પણ નવરાત્રીનું ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિને પણ હવે ગણતરીના દિવસોની જ વાર છે પરંતુ પૂજારીએ કોઈ ચિંતા હોવાને કારણે મંદિરના પરિસરમાં એક દિવસ આપઘાત કરી લીધો હતો.
પરિસરમાં આપઘાત કરી લેતા ભક્તોને જાણ થતા આસપાસના લોકો મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કરી રહેલા ભક્તોએ પણ પૂજારીને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ તરત જ ચોક બજાર પોલીસના ઘટનાની જાણ કરી હતી. જેને કારણે પોલીસ માતાજીના મંદિરે પહોંચ્યા હતા.
પૂજારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પૂજારીએ આપઘાત કરીને પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. હાલમાં નવરાત્રિનો ખૂબ જ સારો તહેવાર આવતો હોવા છતાં પૂજારીએ કોઈ વાતને લઈને પરિસરમાં લટકીને આપઘાત કરી લીધો હતો અને તેના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. પૂજારીના મૃત્યુ ની જાણ ભક્તોને થતા ભક્તો પણ નિરાશ થઈ રહ્યા છે. પૂજારીના મૃત્યુ બાદ ભક્તોએ અખંડ ધૂનના પાઠ પણ મંદિરમાં કર્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]