અત્યારે નવરાત્રિના તહેવાર ચાલી રહ્યો છે, આ તહેવારની અંદર દરેક લોકો મન મૂકીને ગરબે ઘૂમે છે. નવરાત્રીના તહેવારને પહેલાથી જ બજારની અંદર ચણિયાચોળી કેડિયા સહિતના ઘણા બધા ટ્રેડિશનલ ડ્રેસ નું વેચાણ શરૂ થઈ જતું હોય છે, નવરાત્રિની ખરીદે કરવા માટે ફેલાઈ આવો બજારની અંદર ભારે ભીડ પણ જમા કરી દેતા હોય છે..
પરંતુ અત્યારે કેટલાક બુદ્ધિજીવી વ્યક્તિ હોય નવરાત્રિની ચણિયાચોળી કેડિયાના વેપારની અંદર એવી ચીજ વસ્તુઓનો વેપાર શરૂ કરી નાખ્યો હતો કે, જેની ખબર પડતાની સાથે જ અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, તેમજ ત્યાં ઉભેલા લોકોને તો આંખે અંધારા આવી ગયા હતા..
આ ચોંકાવનારી ઘટના શુભલક્ષ્મી બજારમાંથી સામે આવી છે, આ બજારની અંદર મોટાભાગના વેપારીઓ સીઝનેબલ ધંધો ચલાવી રહ્યા છે. અત્યારે નવરાત્રીની સીઝન હોવાને કારણે ચણિયાચોળી કેડિયા સહિતના કુરતા તેમજ દાંડિયા અને દીવા જેવી ઘણી બધી તહેવારલક્ષી ચીજ વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું હતું..
આ બજારની અંદર શહેરના મોટાભાગના લોકો ખરીદી કરવા માટે આવી પહોંચતા હતા. અહીં રહેલા વેપારીઓ ચણિયાચોળી અને કેડિયાને હોલસેલ ભાવે ખરીદીને છૂટક ગ્રાહકોને વેચાણ કરીને પૈસા કમાતા હતા, એક દુકાનની અંદર ચણિયાચોળીના બોક્સની અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી હતી કે, જે જોતાની સાથે જ ગ્રાહકોમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો..
અને તાત્કાલિક ધોરણે પોલીસને ફોન કરીને પણ બોલાવી લેવામાં આવી હતી, શુભ લક્ષ્મી બજારની અંદર વૈકુંઠ ટ્રેડિશનલ ડ્રેસ નામની એક દુકાન આવેલી છે, આ દુકાનની અંદર જુદી-જુદી ભાતના ટ્રેડિશનલ કપડાઓ મળી રહ્યા છે, આ દુકાનની અંદર ગ્રાહકો ખૂબ જ વધારે ભીડ લગાવતા હતા કારણ કે, અહીં સૌથી વધારે સસ્તુ અને સૌથી સારું કલેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું..
આ દુકાનની અંદર જ કેટલાક યુવકો પણ આવી પહોંચતા હતા અને તેઓ ચણિયાચોળી તેમજ કેડિયાની ખરીદી કરવાની બદલે અન્ય કોઈ એક થેલી લઈને ત્યાંથી જતા રહેતા હતા ત્યાં રહેલા ગ્રાહકોને ખૂબ જ અજુગતું લાગતું હતું, પરંતુ તેઓએ ક્યારે પણ પૂછવાની કોશિશ કરી નહીં જ્યારે વધુ ભીડ સર્જાઈ જવાને કારણે કેટલા ગ્રાહકો ત્યાં મુકેલા ચણીયા ચોળીના બોક્સને પોતાની જાતે જ ખોલીને જોવા લાગ્યા હતા..
એ વખતે આ બોક્સ ખોલતાની સાથે જે ગ્રાહકે ચણિયાચોળીના બોક્સની અંદરથી એવી ચીજ વસ્તુ જોઈ લીધી હતી કે, તેણે બૂમા બૂમ મચાવીને ગ્રાહકોને ત્યાંથી બહાર નીકળી જવા માટે જણાવી દીધું હતું. હકીકતમાં સુભાષ નામનો એક યુવક તેની પત્નીને સાથે લઈને આ દુકાનની અંદર ખરીદી કરવા માટે આવી પહોંચ્યો હતો..
પરંતુ ગ્રાહકોની ભીડ એટલી બધી વધારે હતી કે, દુકાનદાર દરેક વ્યક્તિઓને એક સાથે ચણિયાચોળી બતાવી શકે તેવી પરિસ્થિતિ ન હોવાને કારણે સુભાષભાઈ અને તેમની પત્ની મીરાબેને તેમની જાતે જ ત્યાં મુકેલા ચણીયા ચોળી ભરેલા બોક્સને ખોલીને અંદરથી ચણિયાચોળી જોવાનું શરૂ કર્યું હતું..
તેઓએ બોક્સ ખોલ્યું ત્યારે તરત જ તેમને અંદરથી વિદેશી દારૂની બોટલો દેખાઈ આવી હતી, આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે, અહીં ચણિયાચોળી તેમજ કેડીયા જેવી ચીજ વસ્તુઓના વેચાણની અંદર આ બોક્સ ની અંદર વિદેશી દારૂની પણ હેરાફેરી થઈ રહી છે. અને અહીંયાથી ખૂબ જ મોટો વેપાર પણ ચલાવવામાં આવતો હશે..
આ ઘટના વિશે સુભાષભાઈએ જોરથી બૂમ મારીને ત્યાં ઉભેલા દરેક ગ્રાહકોને જણાવી કે, આ દુકાનની અંદર તો દારૂની ચીજ વસ્તુઓની વેચાણ કરવામાં આવે છે, તરત જ ત્યાંથી લોકો બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ સુભાષભાઈ પોલીસને પણ ફોન કરીને જાણકારી આપી કે, આ દુકાનની અંદરથી દારૂનું વેચાણ ચલાવી લેવામાં આવ્યું છે..
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જ્યારે તપાસ કરી તો ચણીયા ચોળી અને કેડિયા ભરેલા બોક્સની નીચેથી વિદેશી દારૂનો ખૂબ જ મોટો જથ્થો મળી આવ્યો હતો, આ ઉપરાંત દુકાનના ઉપરના માળે એક ગોડાઉન બનાવવામાં આવ્યું હતું, આ ગોડાઉનની અંદરથી પણ અંદાજે 500 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો..
તહેવારના સમયમાં અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘુસાડવાનું ખૂબ જ મોટું કાવતરું ઝડપાઈ ગયું હતું, આ વિદેશી દારૂને તેઓ છૂટા છૂટા ગ્રાહકોને વહેંચી રહ્યા હતા. સુભાષભાઈની સુજબુજને કારણે આ તમામ ભાંડો ફૂટી ગયો હતો, નવરાત્રી એ ધાર્મિક આસ્થાનો તહેવાર છે. જેમાં દરેક ખેલૈયાઓ અને ભક્તો માતાજીની પૂજા અર્ચના કરીને ગરબે ઘૂમતા હોય છે..
પરંતુ કેટલાક માથા ભરેલા લોકોએ લોકોની આસ્થા અને લાગણીઓ સાથે છેડા કરીને ન કરવાના કારનામાઓ શરૂ કરી નાખ્યા હતા, આ ઘટનાને લઈને પોલીસે દુકાનદારોની ધરપકડ કરી છે અને આ દુકાનની અંદર કામકાજ કરતા તમામ કારીગરોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, કારણ કે આ કારનામાની અંદર કારીગરો પણ સપડાઈ ચૂક્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]