Breaking News

નવરાત્રીના આ દિવસોમાં કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે આપી મોટી આગાહી, ખેલૈયાવો ખાસ વાંચી લેજો..!

અત્યારે વધુ એક મુશ્કેલી ભર્યા સમાચાર આવી રહ્યા છે, 15 તારીખના રોજથી રાજ્યમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રિના તહેવાર દરમિયાન દરેક ખેલયાવો ખૂબ જ ઉત્સુક થઈને આસ્થાને ધ્યાનમાં રાખીને નોરતાના રંગમાં રંગાઈ જઈ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે..

પરંતુ ઘણી બધી વાર વરસાદ ખેલૈયાઓ માટે વિલન સાબિત થઈ શકે છે, એમાં પણ અત્યારે રાજ્યના જાણીતા તેમજ સચોટ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે, આ વર્ષે પણ મેઘરાજા આ ખેલૈયાઓના રંગમાં ભંગ કરી શકે છે, કારણ કે રાજ્યમાં પહેલા બીજા નોરતે કડાકા ભડાકા સાથે ભારતીય ભારે વરસાદ વરસવાની આગાહી આપી દેવામાં આવી છે..

14 તારીખના રોજ વેસ્ટન ડિસ્ટર્બન્સની ક્રિયા સક્રિય થવા જઈ રહી છે, જેને કારણે 15 તેમજ 16 તારીખના રોજ સમગ્ર રાજ્યના વાતાવરણ ની અંદર એકા એક પલટો નોંધાઈ જશે, મોટાભાગના વિસ્તારની અંદર સામાન્યથી નહીવત વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે અમુક જિલ્લાઓમાં ભારતીય અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી રાજ્યના સચોટ આગાહીકાર અંબાલાલ પટેલે આપી દીધી છે..

14 તારીખના રોજ ભારત તેમજ પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચનું આયોજન પણ છે, જેમાં વરસાદની શક્યતા નહિવત નોંધાઈ રહી છે. પરંતુ એના પછીના જ દિવસે નવરાત્રિનું પહેલું નોરતું શરૂ થવા જઈ રહ્યું છે, અને એ દિવસે વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભારે વરસાદ વરસી શકે છે..

ખેલૈયાઓ આ આગાહી સાંભળતાની સાથે જ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, તેઓ ઊંડા વિચારમાં મુકાઈ ગયા કારણ કે, નવરાત્રિના તહેવારમાં તેઓ કોઈપણ પ્રકારનું વિઘ્ન આવે તેવું ઇચ્છતા હોતા નથી. એમાં પણ જો વરસાદ વિલન સાબિત થશે તો તેઓએ કરેલી તમામ તૈયારી ઉપર પાણી ફરી વળશે..

આ અગાઉના વર્ષોમાં પણ નવરાત્રીના સમય દરમિયાન ભારતથી અતિ ભારે વરસાદ વરસવાના કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં ખેલૈયાઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે, આ સાથે સાથે જે ગરબા આયોજકો ખુલ્લા પ્લોટમાં મોટી નવરાત્રીનું આયોજન કરતા હોય છે..

તેમના માટે પણ મુશ્કેલીઓ સાબિત થતી હોય છે, ખેલૈયાઓની ચિંતામાં હાલ વધારો તો થઈ ચૂક્યો છે, પરંતુ 15 અને 16 તારીખના રોજ મોટાભાગે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં થોડો વધારે વરસાદ વરસશે, જ્યારે બાકીના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી આપવામાં આવી છે..

ખેલૈયાઓની સાથે સાથે ખેડૂતોને પણ ચિંતામાં વધારો થઈ ગયો છે, આ વર્ષનું ચોમાસું બિલકુલ અનિયમિત રહ્યું છે. જ્યાં વરસાદ વરસ્યો ત્યાં સાંબેલાધાર વરસાદ વરસી જવાને કારણે ખેતરોમાં પણ નુકસાનીનો માર દેખાઈ રહ્યો હતો અને જ્યાં નહીવત વરસાદ વરસ્યો છે ત્યાં હજુ પણ ખેડૂતો વરસાદી પાણી માટે વલખા લગાવી રહ્યા છે..

હાલ ચોમાસુ પાક તૈયાર થવા જેવી પામ્યો છે અને એવા સંજોગોની અંદર જો વધુ એક વરસાદ વરસી જશે તો ખેડૂતોને ફરી એક વખત મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, હવે ધીમે ધીમે શિયાળુ પાકની શરૂઆત થવા જઈ રહી છે. શિયાળામાં અંદર પણ ઘણી બધી વાર વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસરો સક્રિય થતી હોય છે..

આ સાથે સાથે હિમવર્ષા સાથે કરાનું પ્રમાણ પણ વધવાને કારણે ખેડૂતોને મુશ્કેલીઓ અનુભવી પડે છે, નવરાત્રી પહેલા જ વરસાદની મોટી આગાહી આવી જતા ખેલૈયાવો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે, નવરાત્રીના તહેવારના 2 દિવસો દરેક ખેલયાવો માટે મુશ્કેલી ભર્યા સાબિત થવા જઈ રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *