ધાર્મિક આસ્થા અને લાગણી મુજબ દરેક લોકો પોતાના કુળદેવી અને ઈષ્ટ દેવમાં શ્રદ્ધા રાખીને તેમની ભક્તિ પણ કરે છે, જ્યારે પણ કોઈ સારું કામકાજ થવા જઈ રહ્યું હોય ત્યારે દરેક વ્યક્તિ તેમના ઇષ્ટદેવ અને કુળદેવીને જરૂર પ્રાર્થના કરી તેમનો આભાર વ્યક્ત કરતા હોય છે. અમુક વખત તો કોઈ અણધાર્યું કામ બહાર પાડવા માટે ઘણા બધા લોકો માનતા પણ માનતા હોય છે..
અને જ્યારે એ કામ પાર પડી જાય ત્યારે એ માનતા અને પૂર્ણ કરવા માટે નજીકના વ્યક્તિઓને સાથે લઈને મંદિરે દર્શન કરવા માટે પણ પહોંચી જતા હોય છે, અત્યારે એક પરિવાર માનતા માનવા માટે માતાજીના મંદિરે જઈ રહ્યો હતો. અને ત્યાંથી માનતા માનીને તેઓ તેમના ઘરે પરત આવવાના હતા..
જો તેમનું ધાર્યું કામ થઈ જશે તો તેઓ નવરાત્રીના સમય પછી ફરી પાછા માતાજીના મંદિરે ચાલીને દર્શન કરવા માટે જશે તેવું વિચાર્યું હતું, પરંતુ કહેવાય છે ને કે કાળ કોઈ પણ વ્યક્તિને કહીને આવતો નથી એવી જ રીતે આ પરિવાર માથે એવો કાળ ત્રાટકી ગયો હતો કે એક જ સાથે સમગ્ર પરિવાર ખલાસ થઈ જવા પામ્યો હતો..
આ ઘટનામાં ચારેકોર મોતનો માતમ છવાઈ ચૂક્યો છે, હચમચાવી દેતી આ ઘટના નકળંગ ચોકડી પાસેથી સામે આવી છે. આ ચોકડીની નજીક પસાર થતી લીલાપુર કેનાલ વાળા રોડ ઉપરથી પ્રફુલભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે કાર લઈને જઈ રહ્યા હતા, પરિવારમાં પ્રફુલભાઈની પત્ની વનિતાબેન પ્રફુલભાઈનો મોટો દીકરો યુગ અને નાનો દીકરો પ્રીતમનો સમાવેશ થતો હતો..
ચાર વ્યક્તિઓનો આ પરિવાર માનતા માનવા માટે માતાજીના મંદિરે જ જતો હતો અને ત્યાંથી માનતા માનીને તેઓએ માતાજીના દર્શન કરી અને ત્યારબાદ ત્યાં પ્રસાદ લીધા પછી તેમના ઘરે પરત આવવા માટે તેઓ નીકળી ગયા હતા, પ્રફુલભાઈ એક પ્રાઇવેટ કંપની ચલાવી રહ્યા છે તેમની કંપનીની અંદર અંદાજે 10 જેટલા વ્યક્તિઓ કામકાજ કરે છે..
જ્યારે વનિતાબેન અન્ય ત્રણ ચાર મહિલાઓની સાથે પાપડ અને ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવતા હતા, પ્રફુલભાઈ અને વનિતાબેનનો નાનકડો દીકરો પ્રીતમ જન્મથી જ ખૂબ જ મોટી બીમારી ધરાવતો હતો, પ્રફુલભાઈ તેના નાના દીકરાની સ્વાસ્થયને લઈને ઘણી બધી દવાઓ પણ કરાવી પરંતુ કોઈ પણ દવાથી તેમનો દીકરો સાજો થયો નહીં..
એટલા માટે વનિતા બેને માતાજીના મંદિરે જઈને માનતા માનવાનું નક્કી કર્યું હતું, તેઓએ માનતા લીધી હતી કે જો તેમના દીકરાને સ્વાસ્થ્ય ડોક્ટરથી સારું થઈ જશે તો તેઓ નવરાત્રીના ઉપવાસ પૂરા કરીને દશેરાના દિવસે મંદિરે પગપાળા ચાલીને આવશે અને આ માનતા એ પૂર્ણ કરશે..
આવી માનતા માનીને તેઓ પોતાના ઘરે પરત આવી રહ્યા હતા, જ્યારે નકળંગ ચોકડી પાસેની કેનાલ નજીકથી તેઓ પસાર થતા હતા. ત્યારે પ્રફુલભાઈને ઊંઘનું જોકુ આવી ગયું અને કોઈ પણ પ્રકારની અથડામણ વગર જ તેમની કાર પલટી ખાઈ ગઈ હતી, તેમની કાર પલટી ખાઈ જવાને કારણે કેનાલની બીજી બાજુએ આવેલા ઊંડા ખાડાની અંદર અંદાજે સાતથી આઠ ગુલાટી ખાઈ જવાને કારણે..
તેમની કારના કુરચે કુરચા ઉડી ગયા હતા અને અંદર બેઠેલા પરિવારના ચાર સભ્યોનું ખૂબ જ કરુણ રીતે મૃત્યુ થયું હતું, પ્રફુલભાઈ અને વનિતાબેન નું શરીર કારની અંદર જ કચડાઈ જવાને કારણે તેમનું કારની અંદર જ મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે તેમના બંને દીકરા પાછળની સીટ ની અંદર બેઠેલા હોવાને કારણે તેઓ નું શરીર કાર અને નીચેની જમીન સાથે અથડાઈ જવાને કારણે તેને ત્યાં જ તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું..
આ સંસાર રસ્તા ઉપર વાહનોની અવરજવર પણ ખૂબ જ ઓછી હતી, એટલા માટે કોઈ પણ વ્યક્તિ આકસ્માતને નજર સામે જોઈ શક્યું નથી પરંતુ જ્યારે થોડા સમય બાદ અહીંથી કેટલાક વાહનો પસાર થવા લાગે અને તેઓએ જોયું કે, અહીં એક કાર પલટી ખાઈ ચૂકી છે અને અંદર કેટલાક વ્યક્તિઓ પણ બેઠેલા હતા..
જેમનું રીતે મૃત્યુ થયું છે, ત્યારે વાહનો થોભાવીને તેઓ અહીં મદદ માટે આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને અંદર બેઠેલા ચારે ચાર વ્યક્તિઓનું રીતે મૃત્યુ થઈ ગયું હતું, બિચારો પરિવાર માનતા માનવા માટે માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો..
એ વખતે જ તેમને કાળનો કોળિયો ભેટી જતા એક સાથે ચાર મોત થયા છે, મૃત્યુના સમાચાર જ્યારે પ્રફુલભાઈના પરિવારના દરેક લોકો સુધી પહોંચે ત્યારે કોઈ પણ વ્યક્તિ દૂધનો આઘાતને સહન કરી શક્યા નહીં કારણ કે, એક સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુના આઘાતને સહન કરવો કોઈ પણ વ્યક્તિ માટે સહેલું હોતું નથી..
વારંવાર દરેક લોકો આ દુઃખદ ઘટનાને લઈને રડવા લાગતા હતા, પ્રફુલભાઈના વતને રહેતા માતા-પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં, પ્રફુલભાઈના પિતા જયસિંહભાઈ વારંવાર રડતા રડતા કહેવા લાગ્યા કે, પ્રફુલ તેમનો એકનો એક લાડકવાયો દીકરો હતો અને તેનું ખૂબ જ કરુણ રીતે મૃત્યુ થઈ જતા હવે તેઓ પણ આગળનું જીવન સહેલાઈથી જીવી શકશે નહીં..
આ ઘટનાએ સૌ કોઈ લોકોને આંખમાં આંસુ લાવી દીધા હતા, જ્યારે પ્રફુલભાઈના સમગ્ર પરિવારના સભ્યોના અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવામાં આવી ત્યારે ત્યાં ઉભેલા દરેક લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા હતા. કેટલાક લોકોનું કહેવું છે કે એવું તો શું થયું હશે કે તેમની કાર અચાનક જ પલટી ખાઈ ચૂકી હતી..
અમુક લોકોનું કહેવું છે કે, પ્રફુલભાઈને ઊંઘનું જોકું આવી ગયું હશે જ્યારે અમુક લોકોનું કહેવું છે કે, જીવ કોઈ પણ રીતે જઈ શકે છે. કદાચ તેમના નસીબની અંદર મોત લખી હશે એટલા માટે સમગ્ર પરિવારનું એક જ સાથે મૃત્યુ થયું છે, આ ઘટનાએ જુદી-જુદી ચર્ચા વિચારણા કરવા પર લોકોને મજબૂર કરી દીધા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]