રોજબરોજ ના સમયમાં કોઈને કોઈ વ્યક્તિ સાથે માથા બનાવો જરૂર બનતા હોય છે કારણ કે, આવતી કાલે આપણી સાથે શું થવાનું છે તેની આપણને કોઈ ખબર હોતી નથી, ઈશ્વર ઉપર ભરોસો રાખીને દરેક વ્યક્તિ તેમના પરિવાર સાથે જીવન જીવતા હોય છે અને ક્યારે તેઓ કાળનો કોળિયો બની જાય તેનું પણ નક્કી હોતું નથી..
હાલ નવરાત્રીનો સમય ખૂબ જ નજીક આવી રહ્યો છે, એટલા માટે દરેક બજારોની અંદર ખૂબ જ વધારે ભીડ જોવા મળી રહી છે, કેટલાક લોકોએ તો દિવાળીની ખરીદી પણ અત્યારથી જ શરૂ કરી દીધી છે, જ્યારે મહિલાઓ અને યુવતી હોય તો નવરાત્રી પહેલા જ બજારની અંદર ચણિયાચોળી તેમજ દાંડિયા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ભીડ લગાવી દીધી હતી..
મોટા ભાગના શહેરના બજારોમાં નવરાત્રીની ખરીદીઓ જોશથી ચાલી રહી છે, આ ખરીદીઓની વચ્ચે જ ચણિયાચોળી ખરીદવા માટે ગયેલી બે યુવતીઓ સાથે એવી ઘટના બની હતી કે, જેને જાણીને તમે પણ મોઢું ફાડી જશો. આ હચમચાવતો બનાવો મગનપાર્ક બજારમાંથી સામે આવ્યો છે..
મગન પાર્કની ફરતે ફરતે ચણિયાચોળીની બજાર ભરાય છે અને ત્યાં શહેરના મોટાભાગના લોકો ચણીયા ચોળી તેમજ નવરાત્રીના વસ્ત્રોની સાથે સાથે દાંડિયા સહિત ઘણી બધી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે આવી પહોંચે છે, આ બજારની અંદર શહેરના પશ્ચિમ છેડે આવેલી અવધ પાર્ક કોલોનીમાં રહેતી 22 વર્ષની ચંદ્રિકા અને 24 વર્ષની કરુણા નામની બે યુવતીઓ આ બજારની અંદર ચણીયા ચોળીની ખરીદી કરવા માટે આવી પહોંચી હતી..
તેઓને એવી તો શી ખબર કે તેઓ ખરીદી કરીને ઘરે પરત પહોંચે એ પહેલા જ તેમની ઉપર કાળ ત્રટકી જવાનો છે, આ ઘટનાને લઈને સમગ્ર બજારમાં હોબાળો બચી જવા પામ્યો હતો. હકીકતમાં બપોરના ચાર વાગ્યે આસપાસ આ બજારની અંદર મહિલાઓની એટલી બધી ભીડ આવી ચૂકી હતી કે, ચારેકોર ટ્રાફિકનો માહોલ સર્જાઇ ચુક્યો હતો..
અને આ ટ્રાફિકની અંદર રસ્તા ઉપરથી પસાર થતા વાહનો પણ પ્રભાવિત થયા હતા, આ રસ્તા ઉપરથી એક ડમ્પર ચાલકે પૂર ઝડપે આવી રહ્યો હતો અને જ્યારે કરુણા તેમજ ચંદ્રિકા ચાલતાં ચાલતાં બજારમાંથી ખરીદી કરવા માટે દુકાન શોધી રહ્યા હતા, ત્યારે આ ટ્રકે ચંદ્રિકાને ટક્કર મારીને ફંગોળી નાખી હતી અને તેના ઉપરથી ટ્રકના બે ટાયર ચાલી જવાને કારણે તેનું રોડ ઉપર જ ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થઈ ગયું હતું..
ચંદ્રિકા અને કરુણાએ એકબીજાનો હાથ પકડ્યો હતો, એ સમય દરમિયાન જ્યારે ટ્રકે ટક્કર લગાવી ત્યારે કરુણાનો હાથ છૂટી જવાને કારણે કરુણા બચી ચૂકી હતી, જ્યારે ચંદ્રિકા આ ટ્રકની ચપેટમાં આવી જવાને કારણે તેનું ખૂબ જ કરુણ મૃત્યુ થઈ ગયું હતું. રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ તો આ દ્રશ્યને જોઈ શક્યા નહીં..
કારણ કે, એટલું બધું કરુણ દ્રશ્ય જોતાની સાથે જ દરેક લોકોએ પોતાની આંખો બંધ કરી દીધી હતી અને કેટલાક લોકો તો ત્યાંથી ચાલતી પકડવા લાગ્યા હતા, આ અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રકનો ચાલક ટ્રકની ઘટના સ્થળ પર જ મૂકીને ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો, પરંતુ આ બજારની અંદર માણસોની ખૂબ જ વધારે ભીડ હોવાને કારણે તે ભાગવામાં સફળ રહ્યો નહીં..
અને લોકોએ તેને પકડી પાડીને મેથીપાક જ કાઢવાનું પણ શરૂ કરી દીધું હતું, આ ઘટનાને લઈને એમ્બ્યુલન્સ તેમજ પોલીસના કાફલાને પણ બોલાવી લેવામાં આવ્યો હતો, એમ્બ્યુલન્સની મદદથી ચંદ્રકાની બોડીને હોસ્પિટલે સારવાર માટે લઈ જવાનું લોકોએ નક્કી કર્યું હતું પરંતુ ઘટના સ્થળે જ તેનો જીવ ચાલ્યો ગયો હતો..
ત્યારબાદ ડોક્ટર પણ કશું કરી શકે તેમ હતું નહીં, આ ઘટનાને લઈને કરુણાએ તરત જ ચંદ્રિકાના માતા-પિતાને ફોન કરીને જાણકારી આપી કે, બજારની અંદર ચાલતા એક ટ્રક ચાલકે ચંદ્રિકાને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દીધી છે, જ્યારે તેનો આબાદ રીતે બચાવ થઈ ગયો છે, પોલીસનો કાફલો ઘટના ચાલે પહોંચ્યો અને તેઓએ આ ટ્રાફિકને હળવી કરાવી હતી..
અને ત્યારબાદ ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વધુ તપાસ પણ શરૂ કરી હતી કારણ કે, દિવસના સમય દરમિયાન ભીડ વાળી જગ્યાએથી આવા ભાર વાહન સાધનો ચલાવવા એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, છતાં પણ ટ્રક ચાલકે આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ટ્રક ચલાવવાની કોશિશ કરી હતી..
અને જેમાં એક નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધી હતી, નવરાત્રી પહેલા જ આ ઘટના ઘટી જતા ચારેકોર ચકચારનો માહોલ સર્જાઈ ગયો હતો, ચંદ્રિકાની માતા તો ચંદ્રિકાની લાશને જોઈને આઘાતને સહન કરી શકી નહીં અને તે જોર જોરથી જીસો પાડીને રડવા લાગી હતી. તે વારંવાર કહેતી હતી કે તેની દીકરીને નવરાત્રી રમવાનો ખૂબ જ શોખ હતો..
અને તેની જ ખરીદી માટે તે આ બજારમાં આવી હતી, પરંતુ નવરાત્રીનો તહેવાર નજીક આવે એ પહેલાં જ તેમની દીકરીનો જીવ ચાલ્યો જતા હાલ સમગ્ર પરિવાર ઊંડા આઘાતની અંદર ચાલ્યો ગયો છે. આ ઘટનાએ ચારેકોર ચકચાર મચાવી દીધો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]