અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે, જેમાં દરેક ભક્તોની અંદર કંઈક જુદો જ ઉત્સાહ અને લાગણી જોવા મળતી હોય છે, દરેક ભક્તો માતાજીની પૂજા અર્ચના કરીને માતાજીના નામનું સ્મરણ કરીને ગરબે ઘૂમતા હોય છે. આ સમયમાં જ એક એવો બનાવ સામે આવી ગયો છે..
જેના વિશે ક્યારેય કોઈએ વિચાર પણ કર્યો હશે નહીં, જે વ્યક્તિને સૌ કોઈ લોકો માન સન્માન આપીને તેમની પાસેથી પણ ઘણી બધી વાર સારા આશીર્વાદ મેળવવાની કોશિશ કરતા હોય એ જ વ્યક્તિએ માતાજીના નજરની સામે જ ખૂબ જ ખરાબ કામકાજ કરી નાખ્યું હતું, આ કામકાજ અને લઈને હાલ ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે..
તેમજ આ ઘટના સીસીટીવી જ્યારે વાયરલ થયા ત્યારે તો ભલભલા લોકોના હોશ છૂટી ગયા હતા, ચોકાવનારી આ ઘટના રાજસ્થાનના ઉજ્જૈનમાંથી સામે આવી છે. અહીં નવરાત્રિના સમયે દરમિયાન માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, કોઈને કોઈ રકમ દાન પેટે જરૂર મુકતા હતા..
આ રકમ માતાજીની બરાબર સામે જ મૂકવામાં આવતી હતી અને ત્યાં બાજુમાં એ મંદિરની દેખરેખ રાખતો પૂજારી ત્યાં બેઠો હતો, આ પૂજારીએ દાનની એટલી મોટી રકમ જોઈને મનમાં લાલચ જગાવી બેઠી અને તેમાંથી રૂપિયાની ચોરી કરવા લાગ્યો હતો. જ્યારે મંદિરના સમિતિના તમામ અધ્યક્ષોને ખબર પડી કે, દાનની રકમ ખૂબ જ ઓછી થઈ રહી છે..
ત્યારે તેઓએ સીસીટીવી કેમેરાની તપાસ ચલાવી હતી અને ત્યારે ખબર પડી કે, જે ભક્તો દાનની રકમ મૂકીને ત્યાંથી જતા રહે છે. ત્યારબાદ આ પૂજારી દાન પાત્રમાંથી આ રકમને લઈ પોતાના ખિસ્સામાં નાખી દેતો હતો, આ ઘટના દિવસ રોડ ઉપર આવેલા આમુખેડીના માતાજીના મંદિરમાંથી સામે આવી છે..
આ મંદિરમાં જીવણભાઈ નામના વ્યક્તિ પૂજારી તરીકે ફરજ બજાવતા હતા, તેવો માતાજીના મંદિરે દેખરેખ રાખીને પૂજા અર્ચના કરતા હતા અને તેઓએ જ દાનની થાળીમાંથી કેટલાક રૂપિયા ચૂપચાપ ચોરી કરવાની કોશિશ કરી હતી અને જેમાં તેઓ સફળ થઈ ગયા હતા પરંતુ કહેવાય છે કે જે વ્યક્તિ ખોટા કામકાજ કરે છે તેમનો ભાંડો એકને એક દિવસ જરૂર ફૂટી જતો હોય છે..
તો માતાજીની નજર સામેથી જ પૈસાની ચોરી કરીને પોતાના ખિસ્સામાં મૂકી દીધા હતા અને માત્ર બે દિવસની અંદર જ તેની આ ચોરી પકડાઈ જતા દરેક લોકો ચોકી ઉઠ્યા હતા કે, જે પૂજારીને તેઓ ખૂબ જ સારો અને સજજન વ્યક્તિ ગણી રહ્યા હતા, એ જ પૂજારીએ રૂપિયાની ચોરી કરીને ખૂબ જ ચોંકાવનારું કામકાજ કરી નાખ્યું હતું..
આ ઘટનાને વિડીયો જ્યારે વાયરલ થઈ ગયો ત્યાર બાદ મંદિર સમિતિના તમામ અધ્યક્ષ ઉપર પણ લોકો સવાલ ઉપાડવા લાગ્યા છે કે, તેઓ મંદિર જેવી અન્ય ધાર્મિક જગ્યાઓનો વિકાસ થાય એટલા માટે તેઓ દાન નોંધાવતા હોય છે. પરંતુ આ દાન પૂજારી પોતાના ખિસ્સામાં રાખી મોજ શોખ કરી રહ્યા હતા..
આ વાત કોઈપણ વ્યક્તિને સહેલાઈથી પચી હતી નહીં. આ ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે, જેમાં માતાજીની મૂર્તિની બરાબર સામે એક વાસણ મુકવામાં આવ્યું છે, જેની અંદર દર્શન કરનારા તમામ લોકો કોઈને કોઈ રકમ મૂકીને જતા હતા અને ત્યાં બાજુમાં જ પૂજારી સ્થાન ગ્રહણ કરીને બેઠા હતા..
અને તેઓએ આ વાસણની અંદર કોઈપણ ભક્તોની નજર ન પડે એવી રીતે ધીમે ધીમે હાથ ફેલાવીને અંદર રહેલી કિંમત અને તે પોતાના ખિસ્સામાં મૂકતો નજરે ચડ્યો હતો, આ ઘટનાએ ભક્તોમાં પણ રોષ ફેલાવી દીધો હતો, આ પુજારીને સમજાવીને તેઓની જગ્યા પર અત્યારે અન્ય પુજારીને દેખરેખ માટે રાખવામાં આવ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]