છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ ઓછી બનતી હતી. પણ હવે તહેવાર અને રજાઓનો સમય નજીક આવતા જ આ ઘટનાઓ ફરી પાછી વધવા લાગી છે. ગઈકાલે અમેરા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સગા-બાપ દીકરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો..
મોટી સીતોડી ગામમાં રહેતા રાજદીપ ભાઈ તેમજ તેના પિતા શાંતિભાઈ બંને સવારના સમયે માતાજીના મંદિરે દર્શન કરવા માટે મોટી ગાડી લઈને ઘરેથી નીકળ્યા હતા. રાજદીપભાઈની ઉંમર 28 વર્ષની છે. જ્યારે તેમના પિતા શાંતિભાઈની ઉંમર 55 વર્ષની છે. તેઓ પોતાની કાર લઈને માતાજીના મંદિરે દર્શન માટે જતા હતા..
એવામાં હાઇવે ઉપર એક બેકાબૂ ડમપરે તેમની કારને ટક્કર મારી દીધી હતી. પરિણામે તેમની કાર પલટી મારી ગઈ અને અંદર બેઠેલા બંને બાપ દીકરાનું ઘટના સ્થળે જ કરવાનુ મૃત્યુ થયું હતું. જેમાં કારના તો કુરચે કુરચા ઉડી ગયા હતા. ચારેકોર ભારે સન્નાનાટો છવાઈ ગયો હતો. આ બનાવ બનતાની સાથે જ ડમ્પર ચાલક ડમ્પરને રોડ પર જ મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો..
ડમ્પર ચાલકે બેકાબુ બનીને રાજદીપભાઈ અને શાંતિભાઈની કારને ટક્કરે ચડાવી દીધી હતી, અથડામણ થતાની સાથે જ કાર પલટી ખાઈ ગઈ અને અંદર બેઠેલા બંને બાપ-દીકરાનું માથું ફાટી ગયું હતું, ઘટના સ્થળે જ એટલું બધું લોહી વહી ગયું છે કે તેમના જીવને બચાવવા ખુબ જ મુશ્કેલ બની ગયા હતા..
જ્યારે પોલીસને માહિતી મળી ત્યારે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને જરૂરી તપાસ ચલાવ્યા બાદ બંને મૃતક વ્યક્તિઓના દેહને પોસ્ટમોટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરથી તેમની ઓળખ મેળવવામાં આવી અને તેમના પરિવારજનોને પણ સૂચના આપી દેવામાં આવી હતી કે..
રાજદીપભાઈ અને તેમના પિતા શાંતિભાઈનો એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળતાની સાથે જ પરિવારજનો પણ ભારે દુઃખની લાગણીમાં ચાલ્યા ગયા હતા. નવરાત્રીના પવિત્ર તહેવારમાં તેઓ માતાજીના દર્શને નીકળ્યા હતા. પરંતુ તેઓને શું ખબર કે કાળભર્યો અકસ્માત તેમના જીવને ભરખી જશે..
હાલ ડગલેને પગલે વાહન ચાલ લોકોને ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. જો ડ્રાઇવિંગ કરતી વખતે સહેજ અમથી ચૂક થઈ જાય તો કે કેટલા વ્યક્તિના જીવ જતા રહે તેનું નક્કી હોતું નથી. હાઇવે ઉપર ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. કારણકે આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, જેને આંખે જોનારા લોકો પણ કહી રહ્યા છે કે, આ અકસ્માત જોયા બાદ ભલભલા વ્યક્તિઓની ઊંઘ ઊડી જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]