વ્યાપાર કે નોકરી કરીને પૈસા કમાવાનું કામકાજ ઘરના પુરુષો સંભાળતા હોય છે, જ્યારે મહિલાઓ ઘર કેવી રીતે ચલાવવું તેમ જ ઘરનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની ઘણી બધી બાબતો મહિલાઓના હાથમાં હોય છે. ઘર ખર્ચથી માંડીને તમામ વ્યક્તિઓના દિલ જીતવા સુધીની ચીજ વસ્તુઓમાં મહિલાઓ ખૂબ જ આગળ હોય છે..
પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ ખૂબ જ કંટાળી ચુકી છે, કારણ કે રોજબરોજની વધતી જતી આ મોંઘવારીની અંદર મધ્યમ વર્ગીય લોકો માટે જીવન ગુજારવું ખૂબ જ મુશ્કેલ છે, દરેક ચીજ વસ્તુઓનો ભાવ એટલો બધો વધી ગયો છે કે, ગૃહિણીઓની આંખો પણ લાલ ગુમ થઈ જવા પામતી હોય છે..
અમુક ચીજ વસ્તુઓનેતો ભાવ જોતાની સાથે જ નીચે મૂકી દેવી પડે છે, છેલ્લા કેટલાક સમયથી સીંગતેલ, કપાસિયા તેલ, સૂર્યમુખી તેલ સહિતના ઘણા બધા ખાદ્ય તેલના ભાવની અંદર ખૂબ જ વધારો નોંધાયો હતો. જેના કારણે ગૃહિણીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો હતો..
પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ખાદ્ય તેલના ભાવની અંદર ઘણો બધો ઘટાડો નોંધાયો છે, કહેવાય રહ્યું છે કે નવરાત્રી તેમજ દિવાળીનો સમય નજીક આવતાની સાથે જ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, ઘણા બધા લોકો સમગ્ર વર્ષ દરમિયાન ખાવા પીવામાં ઉપયોગી ખાદ્ય તેલની ખરીદી દિવાળીના સમયે નજીક આવતાની સાથે જ કરી લેતા હોય છે..
અને અત્યારે પણ ખાદ્ય તેલના ભાવમાં ખૂબ જ ઘટાડો નોંધાતાની સાથે ખાદ્ય તેલના હોલસેલ વેપારીઓની દુકાનની બહાર લાંબી લાંબી લાઈનો લાગી ચૂકી હતી. છેલ્લા એક અઠવાડિયાથી ભાવની અંદર સતત ઘટાડો દેખાતા ગૃહિણીઓને રાહત મળી છે, આ સાથે સાથે બજારની અંદર નવી મગફળીની આવક પણ શરૂ થઈ જવાને કારણે ભાવમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અસર જોવા મળશે..
નવી આવક ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે, જેના કારણે ભાવમાં ઘટાડો નોંધાશે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે અઠવાડિયાથી વરસાદ ખેંચવાની સ્થિતિને ધ્યાનમાં લઈને સીંગતેલના ડબ્બામાં કુલ 200 રૂપિયાનો ઘટાડો થયા હોવાની માહિતી સામે આવી છે..
સીંગતેલના ડબ્બાનો ભાવ 3100 ની સપાટીને કુદાવી ગયો હતો, પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી ભાવની અંદર નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે અત્યારે ભાવ 29 રૂપિયા ની સપાટીએ સ્થિર થયો છે. જેને કારણે લોકો સીંગતેલની ખરીદી કરવા માટે લાંબી લાંબી લાઈનો લગાવવા લાગ્યા છે..
સિંગતેલની સાથે સાથે કપાસીયા તેલ અને પામોલીનના તેલની અંદર પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ફરસાણની દુકાન ધરાવનાર વેપારીઓ પણ તેલની પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. ખાવા પીવાની ચીજ વસ્તુઓ ના વધતા જતા ભાવ સૌથી વધારે મધ્યમ વર્ગીય પરિવારને અસર કરતા હોય છે, કારણ કે મધ્યમ વર્ગીય પરિવાર ઓછી કમાણીની સાથે આ ભાવ વધારાને નો માર સહન કરીને પરિવારનું જીવન ગુજરાત ચલાવવાનું જાણતો હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]