Breaking News

નવરાત્રીમાં માતાજીનો ચમત્કાર, ઘરે દેખાયા કંકુવાળા બાળ પગલા, માતાજી સાક્ષાત હાજરો-હજૂર.. વાંચો..!

ગુજરાતમાં નવરાત્રી નો પાવન પર્વ ગઈકાલે પૂર્ણ થઇ ગયો છે. આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા છે. તેમજ દશેરાના દિવસે તો જલેબી ફાફડા ખાઈને તહેવારનો આનંદ બમણો કરી નાખ્યો છે.

ગઈકાલે અમદાવાદની એક સોસાયટીમાં એવું કુતૂહલ જોવા મળ્યું છે કે લોકો જોઈને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. હકીકતમાં અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આરાસુરી સોસાયટી આવેલી છે.જેમાં છેલ્લા ૩૦ વર્ષથી ચિરાગભાઈ શાહ અને તેમના ધર્મપત્ની કામિનીબેન શાહ વસવાટ કરે છે.

કામિનીબેન ના ઘરે મંદિર પાસે કંકુ વાળા માતાજી ના પગલા દેખાયા હતા. શરૂઆતમાં તેઓ ને લોહીના પગલાં છે તેવું લાગ્યું હતું જે જોતાં જ તેઓ ડરી ગયા હતા. પરંતુ ત્યારબાદ નજીક જઈને જોયું તો તે પગલાં કંકુના હતા.

આ પગલાં દેખાતાં જ આસપાસના લોકોના ટોળા કામિનીબેન ના ઘરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. નવરાત્રીના નવમા દિવસે કામિનીબેન ના ઘરે કંકુવાળા 9 પગલાં ઘરના મંદિરની પાસે દેખાયા હતા. નવરાત્રિના નવમાં દિવસની રાત્રે ગરબાને વળાવીને કામિનીબેન તેમજ ચિરાગભાઈ સુઈ ગયા હતા.

પરંતુ સવારમાં તેવો ઉઠ્યા અને જોયું તો ઘરમાં કંકુવાળા પગલા હતા જે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પગલાને સૌ પ્રથમવાર ચિરાગભાઈ એ જોયા હતા. તો તેઓ તરત જ તેમની ધર્મપત્ની કામિનીબેન ને પૂછ્યું હતું કે શુ અહીંયા કંકુ ઢોળાયું છે? તો તેઓએ કહ્યું હતું કે ના અહીં કોઇ જ કંકુ ઢોળાયું નથી.

આ સાથે જ કામિનીબેન એ પડોશમાંથી એક બહેન ને બોલાવ્યા હતા અને આ કંકુના પગલા દેખાડ્યા તો તેઓએ કહ્યું કે આતો માતાજીના બાળ પગલાં છે. ત્યારબાદ ચિરાગભાઈ એ ડભોડાના મહારાજને વિડીયો કોલ કરીને કંકુવાળા 9 પગલા દેખાયા હતા. એ વખતે મારા જ તેમણે કહ્યું કે તમારા ઘરે માતાજીની પધરામણી થઈ છે.

આ માટે એક દિવસ સુધી તમામ લોકોને દર્શન કરવા દો. આ ચમત્કાર થયા બાદ કામિની બહેને કહ્યું હતું કે તેઓ છેલ્લા દસ વર્ષથી અપાર શ્રદ્ધા સાથે માતાજીની પૂજા-અર્ચના કરે છે. તેમજ આ વર્ષની નવરાત્રિમાં જ્યારે અંતિમ દિવસ હતો. ત્યારે તેઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે, તમે સ્વપ્નમાં આવીને અમને દર્શન આપો અને સવારે ઊઠીને જોયું તો… માતાજીના કંકુવાળા પગલા હતા આ જોઈને તેઓ ખૂબ ધન્ય થઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *