Breaking News

નવા મકાનના ઝગડામાં લાજ-શરમ વગરની માતાએ તેના 2 મહિનાના દીકરાને કુવામાં ફેંકીને પતાવી દીધો, માતાની મમતા લજવાઈ ગઈ..!

લોકોને આજના સમયમાં બીજા લોકોનું જોઈને ઈર્ષા થઈ રહી હોય છે અને તેના કારણે બનેલી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. નાની-નાની વાતમાં પોતાના પરિવારના લોકો સાથે પણ જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. હાલમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો બારાન જિલ્લાના ભોયલ ગામમાં રહેતા પરિવારના યુવક સાથે બની છે.

પરિવારમાં નિર્ભય મહેતા તેમની પત્ની અને બાળકો સાથે રહેતા હતા. નિર્ભયભાઈ મહેતાની ઉંમર 30 વર્ષની હતી. તેમની પત્નીનું નામ નીશુબેન મહેતા છે. નિશુબેન મહેતાની ઉંમર 26 વર્ષની છે. નિર્ભયભાઈ મહેતા પોતાના બંને ભાઈઓ સાથે ઘણા વર્ષોથી રહેતા હતા. તેઓ ભોયલ ગામમાં રહીને ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

7 વર્ષ પહેલા તેમના લગ્ન નીશુબેન સાથે થયા હતા. ઘણા વર્ષોથી જૂના મકાનમાં તેના ભાઈઓ સાથે રહે છે. નિર્ભય મહેતા ભાઈઓ સાથે ખેતી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ થોડા સમય પહેલાં ત્રણેય ભાઈઓમાં જમીન વેચવામાં આવી હતી. ત્યારબાદ નિર્ભયભાઈએ પોતાના ભાગની જમીન તેમ જ રાખી હતી.

અને તેમના મોટા બંને ભાઈઓએ જમીનમાં નવા મકાનો બનાવ્યા હતા. ત્યારથી નીશુબેન નિર્ભયભાઈને નવું મકાન બનાવવાની કહેતી હતી અને તેણે પોતાના પતિ સાથે નવા મકાન બાબતે જીદ કરી હતી. નીશુબેન અને નિર્ભય ભાઈને સંતાનમાં બે બાળકો છે, જેમાં એક મોટી દીકરી અને એક નાનો દીકરો છે.

જેમાં ત્રણ વર્ષની દીકરી અને બે મહિનાનો દીકરો છે. નીશુબેનના પિયરના લોકો પહાડી ગામમાં આવેલા દેવળી ગામમાં રહેતા હતા. નીશુબેનને નવા મકાનમાં રહેવું હતું. જેના કારણે તે વારંવાર તેમના પતિને નવા મકાન બનાવવા માટે જીદ કરીને કહેતી હતી. પરંતુ નવું મકાનના બનતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.

અને એક વર્ષ પહેલાં નીશુબેનને પોતાની ત્રણ વર્ષની દીકરીને આ ઝઘડાઓમાં ઉશ્કેરાઈ જઈને કુવામાં ફેંકી દીધી હતી પરંતુ ગામના લોકોને આ વાતની જાણ થતા હાજર લોકોએ દીકરીને બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો અને તે સમયે પણ પોલીસ સ્ટેશનમાં આ વાતની જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ હાલમાં બંને પતિ-પત્ની વચ્ચે એક દિવસ મકાનની વાતને લઈને ફરી ઝઘડો થયો હતો અને જેના કારણે નિશુબેન ગુસ્સે થઈને પોતાના ઘરેથી એની તેમના બે મહિનાના દીકરાને લઈને નીકળી ગઈ હતી. ત્યારબાદ તેના પતિ નિર્ભયભાઈને આ વાતની જાણ થતા તે બીજા દિવસે તેના સાસરે પહોંચી ગયો હતો. ત્યાં તેની પત્ની જોવા મળી હતી.

પરંતુ તેની સાથે દીકરાને લઈને નીકળી હતી, જેના કારણે દીકરા દેખાયો નહીં નિર્ભયભાઈએ પોતાના દીકરા વિશે પૂછતા તેમની પત્નીએ કોઈ જવાબ આપ્યો નહીં. જેના કારણે બે મહિનાના બાળકને શોધવા માટે પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પહાડી ગામમાં આવેલા દેવળી ગામમાં પહોંચી ગયા હતા.

અને ત્યાં પહોંચીને તેમણે બાળકની તપાસ કરી હતી પરંતુ પત્નીએ કોઈ જવાબ આપ્યો નહીં, જેના કારણે પોલીસે નીશુબેનની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશનને લઈ જઈને કડક પૂછપરછ કરવામાં આવી હતી. તે વખતે નિશુબેને જણાવી દીધું હતું કે, તેમનો દીકરો રોહિત દેવળી ગામમાં ગામના પાદરે આવેલા એક કુવામાં ફેંકી દેવામાં ફેંકી દીધો છે.

એક નિર્દય માતા કહેતા પણ તે જરાપણ અચકાઈ નહીં. જોઈને તરત જ પોલીસ દેવળી ગામમાં પહોંચી હતી અને તેમના દીકરાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ દીકરાનો મૃતદેહ બહાર કઢાવ્યો હતો. દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. આ વાતની જાણ પતિને થતા તેમણે પોતાની પત્ની સામે કેસ નોંધાવ્યો હતો. નિશુબેનની આગળની પૂછપરછ થઈ રહી હતી. આજકાલ નિર્દય માતાઓ પોતાના સ્વાર્થ માટે તેમના બાળકો સાથે આવી જીવલેણ ઘટનાઓ કરી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *